SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૪ પ્રવચનસાર પ્રવચનો ૭૧ પારમેશ્વરી અનેકાંત વિદ્યાને પામીને, સમસ્ત પક્ષનો પરિગ્રહ શત્રુમિત્રાદિનો સમસ્ત પક્ષપત છોડયો હોવાથી, અત્યંત મધ્યસ્થ થઈને – અત્યંત મધ્યસ્થ થઈ ગયા છે. એ શબ્દો અહીંયાં વાપર્યા. આહા! ભગવાન કુંદકુંદાચાર્ય માટે શબ્દો વાપર્યા. એ શબ્દો અહીંયાં (દ્રવ્યમાં) દ્રવ્યને આશ્રયે (માટે) વાપર્યા છે. આત્મા છે ને...! તું ય આત્મા છો ને પ્રભુ! તને એક સમયની પર્યાયની રમતમાં તને અંતર પડ્યો (ધ્રુવ) પ્રભુ! એની સૂઝ પડતી નથી તને! સૂઝ-બૂઝ પડતી નથી પ્રભુ! એક સમયની પર્યાયની રમતુંમાં અનંતકાળ ગાળ્યો પ્રભુ! એથી તને એમાં સૂઝ પડતી નથી. પણ પ્રભુ તું મહાપ્રભુ બિરાજે છે જોડ (પર્યાયની જોડ) અંદર, અંતરમાં- એવા મહાપ્રભુનો આશ્રય લઈ અને જેણે એકાંતદષ્ટિ સર્વથા છોડી દીધી છે. આમ તો આ બાજુ ઢળી ગયો છે, નય છે સમ્યકએકાંત. પણ સમ્યકએકાંત, મિથ્યા એકાંતનો નાશ કરીને સમ્યકએકાંત ઉત્પન્ન થયું છે. આહા.. હા.. હા! આહા... હા..! સમસ્ત એકાંતદષ્ટિના પકડને... સ્વીકારને... અંગીકારને પ્રક્ષણ કર્યો છે. “એવા મનુષ્યાદિગતિઓમાં અને તે ગતિઓના શરીરોમાં અહંકાર- મમકાર નહિ કરતાં.” (ગાથા) ૯૪ છે ને..? અહંકારને મમકારનો અર્થ કર્યો છે બીજો કંઈક આમાં. ટીકામાં છે. જુઓ! “મનુષ્ય પિયરુપો ૩ મિત્યદવારો મળ્યો' જયસેન આચાર્યની ટીકા. અહં ને મમનો બેનો ફેર પાડ્યો. આહા... હા! (જયસેન આર્ચાયની) ટીકામાં છે. એ પેરેગ્રાફ વંચાય છે ને એ જ ઉપર છે. જેને પર પ્રત્યેના અહંકાર- મનુષ્ય છું, દેવ છું, ગતિ છે ને એનો અહંકાર છૂટી ગયો છે અને એના તરફથી મને સુખ થતું – એવો મમકાર છૂટી ગયો છે. એમ અર્થ કર્યો બે (પ્રકારે). આહા.. હા! “અહંકાર-મમકાર નહિ કરતાં અનેક ઓરડાઓમાં સંચારિત રત્નદીપકની માફક.” લઈ જવામાં આવતા – જેમ જુદા જુદા ઓરડાઓમાં લઈ જવાતો રત્નદીપક રત્નનો દીવો “એકરૂપ જ રહે છે. ગમે તે ઓરડામાં લઈ જાવ તે તો એકરૂપ જ રહે છે. આહા... હા! ગમે તેવા રાગને મનુષ્ય. દેહાદિદેવ – દેવીમાં હો એ તો રતનનો દીવો તો એવો ને એવો ચેતનમૂર્તિ ભગવાન છે. “આત્માને ઉપલબ્ધ કરતા થકા” અનેક ઓરડામાં રતનનો દીવો લઈ જાવ તો રતનના દીવાને તો કંઈ પવન લાગતો નથી – એની ચમક ને. એમ અનેક ઓરડામાં જતાં તે ઓરડારૂપે તે રતન થતો નથી. - એમ ભગવાન આત્મા, અનેક શરીરોમાં ને રાગાદિમાં ભલે વર્તાઈ ગયો છતાંય ચેતનરતન તો એનાથી ભિન્ન જ વર્તે છે. આહા.... હા... હા ! આવું વ્યાખ્યાન! હુવે ! બાપુ મારગ તો પ્રભુનો આવો છે! આહા... હા! વીતરાગ સર્વજ્ઞદેવ! ત્રિલોકનાથ! વીતરાગપણું પ્રાપ્ત કરવાનો ઉપદેશ છે! ભાઈ તું વીતરાગભાવથી ભરેલો પ્રભુ છો ને...! તારામાં વીતરાગભાવ - જિનસ્વરૂપ ઠસોઠસ ભર્યું છે! એનો જેણે આશ્રય લીધો અને સમસ્ત એકાંતદષ્ટિ ક્ષય થઈ ગઈ છે. આહા.. હા... હા! પ્રક્ષીણ થઈ ગઈ છે. વિશેષ ક્ષય થઈ ગઈ છે. પ્રભુ ! વર્તમાન તો ક્ષયોપશમ સમકિત હોય છે ને ! ક્ષાયિક તો છે (નહીં) તો પણ કહે છે કે ક્ષયોપશમ સમકિતમાં પણ સમસ્ત એકાંતદષ્ટિનો વિશેષ નાશ થઈ ગ્યો છે!! આહા... હા! ભલે ક્ષયોપશમ હો કે ક્ષાયિક થવાની બીજે ભવે તૈયારી હોય તો એવો હોય અહીંયાં – પણ એ બધા આગ્રહ જેટલા એકાંત (દષ્ટિ) ના છૂટી ગયા છે, નાશ થઈ ગ્યા છે. આહા! એકલો પ્રભુ! પૂર્ણાનંદનો નાથ ભગવાન ધ્રુવ સ્વભાવ, જ્ઞાયકભાવ- એનો આશ્રય લઈને જે ચેતનના પ્રકાશનાથના નૂર પ્રગટયાં – એમાં – આગ્રહએકાંતદષ્ટિનો નાશ થઈ જાય છે. અને નિર્મળ અનેકાંતપર્યાય પ્રગટ થાય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008295
Book TitlePravachana sara Pravachano
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages549
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy