SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૪ પ્રવચનસાર પ્રવચનો પર પ્રવચન : તા. ૩૦-૩૧. ૫. ૭૯. હવે આનુષંગિક – એટલે પૂર્વગાથાના કથન સાથે સંબંધવાળી, એવી આ જ સમય પરસમયની વ્યવસ્થા ( અર્થાત્ સ્વસમય-પરસમયનો ભેદ) નક્કી કરીને (તે વાતનો) ઉપસંહાર કરે પ્રવચનસાર” ગાથા-૯૪ जे पज्जयेसु णिरदा जीवा परसमयिग ति णिद्धिद्वा। आदसहावम्मि ठिदा ते सगसमया मुणेदव्या।। પર્યાયમાં રત જીવ જે તે “પરસમય ' નિર્દિષ્ટ છે; આત્મસ્વભાવે સ્થિત જે તે “અકસમય ” જ્ઞાતવ્ય છે. હરિગીત * ટીકા - જુઓ! અસમાનજાતીય (દ્રવ્યપર્યાય) પહેલા લીધી. “જેઓ જીવ૫ગલાત્મક અસમાન જાતીય દ્રવ્યપર્યાયનો - કે જે સકળ અવિદ્યાઓનું એક મૂળ છે તેનો – આ હા.... હા..! અહીં પર્યાયમૂઢને શરીરની સાથે લઈ લીધો. પર્યાયની દષ્ટિ છે એની દષ્ટિ પર ઉપર જાય છે. તો એ “શરીરની પર્યાય મારી છે ને શરીર પર્યાય હું કરું છું' એવો જે મૂઢ જીવ (એની આવી માન્યતા) સકળ અવિદ્યાઓનું મૂળ એ છે” અસમાનજાતીય – (એટલે) જીવ અને પુદ્ગલ (નો સંયોગ) છે. બન્નેને એક માને છે અને હું પુદ્ગલને કરી શકું છું, પુગલ મને કરી શકે છે. એવું જે અજ્ઞાન-અવિધા એ બધું (મિથ્યા અભિપ્રાય) અવિદ્યાનું મૂળ છે. આહા! ટીકા છે અમૃતચંદ્રાચાર્યની! અસમાનજાતીય લીધું છે ભાઈ ! આત્મામાં અસમાનજાતીય ક્યાં ? આત્મા, આત્મા સમાનજાતીય છે. પદગલને આત્મા (એક સાથે દેખાય છે) એને એ (મૂઢ) એક માને છે. શરીરને આત્મા માને છે. પર્યાયદષ્ટિવાળાની દષ્ટિ શરીર ઉપર જાય છે. અને પર્યાયદષ્ટિ છોડીને જે દ્રવ્યદષ્ટિ થઈ તેની દૃષ્ટિ આત્મા ઉપર, ધ્રુવ ઉપર છે. સમકિતીની દષ્ટિ ધ્રુવ ઉપર છે. મિથ્યાત્વીની દષ્ટિ, પર્યાય ઉપર છે (એટલે કે) હોય છે દષ્ટિ શરીર ઉપર – પર ઉપર તેની દષ્ટિ જાય છે. આહા... હા..! આવું ઝીણું હુવે એ કરતાં (આવું સમજવા કરતાં) દયા પાળે, વ્રત કરે, ભક્તિ કરે (ધર્મ થઈ જાય) સહેલું સટ! રખડવાનું! આહા...! આ મારગ !! “જેઓ જીવપુગલાત્મક અસમાનજાતીય દ્રવ્યપર્યાયનો - કે જે સકળ અવિદ્યાઓનું એક મૂળ છે” – મિથ્યાત્વ નું મૂળ છે.” તેનો આશ્રય કરતા થકા યથોકત આત્મસ્વભાવની સંભાવના કરવાને ” છે... ને? “યથોકત” – જેવું છે તેવું (સ્વરૂપ) (૯૩) ગાથામાં કહ્યું હતું. સંભાવના નામ સંચેતન; અનુભવ; માન્યતા; આદર. (અજ્ઞાની મૂઢ) આત્મસ્વભાવની સંભાવના –– – – – –– –– – –– – – –– – – – –– – – – – –– –– – –– –– – –– ––– – –– –– –– – * ટીકા, મૂળ ગાથા અને અન્વયાર્થ માટે જુઓ પાના નં. ૫૦ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008295
Book TitlePravachana sara Pravachano
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages549
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy