SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૪ પ્રવચનસાર પ્રવચનો પ૩૬ આહા.... હા ! જાણવામાં આવ્યું કે છે આ શાસ્ત્ર! તે જ્ઞાનની પર્યાય તેમાં (શાસ્ત્રમાં) તન્મય નથી. તે કાળે વિશેષ જાણવામાં આવ્યું પણ તે કાળે પોતે પરની હારે તન્મય નથી. એ અન્ય-અન્ય પર્યાય છે એ તે પર્યાયની અપેક્ષાએ અન્ય કહેવાય, છતાં દ્રવ્યની અપેક્ષાએ તેને અનન્ય કહેવાય. દ્રવ્યથી તે (પર્યાયવિશેષ) જુદી નથી. આહા. હા ! આહા. હા! જેમ બીજાં દ્રવ્યો અને પર્યાયો (આ દ્રવ્યથી) તદ્દન જુદાં છે. શેઢે ને સીમાડ ક્યાં? ય મેળ નથી. સ્વદ્રવ્યની પર્યાય અને દ્રવ્યને બીજાં દ્રવ્ય કે તેની પર્યાય હારે ક્યાં ય મેળ નથી – સંબંધ નથી. આહા.... હા! જેની હારે પચાસ-પચાસ, સાઠ-સાઠ વરસ ગાળ્યાં હોય (ધર્મપત્ની હારે ) સીતેર-સીતેર, સો વરસ ગાળ્યાં હોય, પણ કહે છે કે એક સમય (માત્ર) પણ તેની તન્મય નથી. અન્ય છે તે અન્ય જ છે. અને આ પર્યાય અન્ય છે તે પર્યાય અનન્ય (પણ) છે. આહા.... હા! કેટલે ઠેકાણેથી આને ઉપાડી મૂકવો! (બધેથી ખૂંટીઓ ઉપાડી મૂકવી.) આહા.... હા! (અહીંયાં કહે છે કે, “ત્યાં, એક ચક્ષુ વડે અવલોકન તે એકદેશ અવલોકન છે” એક ચક્ષુ વડ જતાં એકદેશ જ્ઞાન છે. એક ભાગનું (અવલોકન છે) “અને બે ચક્ષુઓ વડે અવલોકન તે સર્વ અવલોકન (-સંપૂર્ણ અવલોકન ) છે”, જાણવાનું-જાણવાની અપેક્ષાએ વાત છે ને...! આદરવાનું શું છે ઈ અત્યારે અહીંયાં (વાત નથી.) આદરવાનું તો જ્યાં ક્ષાયિકભાવ પણ આદરણીય નથી. આહા... હા! એક બાજુ એક કહે છે કે ક્ષાયિકભાવ પરદ્રવ્ય, પરભાવ હોય છે. અહીંયાં ઉદયભાવ ગતિનો (શ્રોતા ) હેય છે. (ઉત્તર) છે ઈ જ. છે તારામાં. હું? એકે-એક ગાથા !! કેટલી ગંભીરતાથી છે!! એમ ને એમ વાંચી જાય. (રહસ્યની ગંભીરતા ન સમજાય). “માટે સર્વ અવલોકનમાં દ્રવ્યનાં અન્યત્વ” અનેરી–અનેરી પર્યાય “અને અનન્યત્વ” વર્તમાન-અપેક્ષાએ અનન્યત્વ છે. પર્યાય જુદી નથી, દ્રવ્યથી (અનન્ય છે.) એ “વિરોધ પામતાં નથી.” (દ્રવ્યનાં) અન્યત્વ અને અનન્યત્વ વિરોધ પામતાં નથી. શું કીધું ? જે પાંચ પર્યાયો છે ગતિની. ઈ ગતિની પર્યાય છે એક-એક તે અન્ય-અન્ય છે. સિદ્ધ સિવાયની ઓલી ચાર છે ઈ ગતિની છે. સિદ્ધ છે ઈ ઓલી ચાર નથી. મનુષ્યની છે તે દેવની નથી. અન્ય છે, અનેરી-અનેરી છે. પણ આત્માની અપેક્ષાએ – આત્મા એમાં તન્મયપણે વર્તે છે, (તેથી) અનન્ય છે. આહા.... હા! હવે આવું સમજવાનો વખત મળે ક્યારે? આખો દિ' જગતના પાપ! બાયડી-છોકરા (ની ઉપાધિમાં) એ ક્યાં જશે? ઘણા (તો) મરીને ઢોરમાં જવાના. પશુ થવાના. જેને હજી પુણ્યના ય ઠેકાણાં નથી. ધરમ તો ક્યાં રહ્યો? અરે રે! અહીંયાં તો પરના સંબંધથી તો સર્વથા ભિન્ન જ કરી નાખ્યું. ભિન્ન જ છે. પરથી–એનાથી ભિન્ન છે સર્વથા-એની વ્યવસ્થામાં રોકાઈ જવું. આહા...હા! કો” ચીમનભાઈ ! આવું છે. ક્યાં બાયડી ? Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008295
Book TitlePravachana sara Pravachano
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages549
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy