SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૪ પ્રવચનસાર પ્રવચનો પ૨૫ જોવાનું) બંધ કર્યું તો પછી પર્યાયમાં કાંઈ વિકાસ રહ્યો કે નહીં ? વિકસિત – ચમત્કાર જે વસ્તુ છે એ બંધ વખતે પણ પ્રભુ! પરિચિત નહિ શકે એમ કરીશ મા સર્વજ્ઞ પ્રભુ! પરિચિત પરિ એટલે સમસ્ત પ્રકારે ને ચિત્ એટલે જ્ઞાન - પરિચિત એટલે સર્વજ્ઞ! આનો પરિચય! ઓલું “શ્રુતપરિચિતા અનુભૂતાઃ' એ નહીં ગુલાંટ ખાઈને આમ પરિચિત થાય છે. પહેલો પરિચિત રાગને એનો પરિચય છે, પર્યાયદષ્ટિનો પરિચય છે. આહા. હા! ગુલાંટ ખાય છે. ત્યારે દ્રવ્યને જનારી આંખ્યું વડ જતાં ત્યારે પરિચિત નામ સર્વજ્ઞપણું પ્રગટ થઈ જાય છે. પરિ + ચિત્ છે. ઈ. પરિ નામ સર્વથા પ્રકારે ( ચિત્ ) નામ જોવું જ્ઞાનને. પરને જવું નહીં. જ્ઞાનને જોવું હોં? ભાઈ ! આહા. હા! આવી વાતું છે. (અહીંયાં કહે છે કે, “તે બધુંય જીવદ્રવ્ય છે” એમ ભાસે છે.” તે બધુંય જીવદ્રવ્ય છે. એમ ભાસે છે. અહીં સુધી તો પર્યાયને જોવાનું બંધ કરીને અને બંધ થઈ એટલે ઉઘડયું જ્ઞાન, દ્રવ્યને જોવાનું ઉઘડ્યા વિના રહે જ નહીં. આહા... હા! જેણે પર્યાયને જોવાનું ચક્ષુ બંધ કરી, એને અને જાણવાનું ઉઘડેલું જ્ઞાન ઉઘડ્યા વિના રહે જ નહીં. (એ જ્ઞાન ઉઘડે જ.) આહા... હા! અને એ ઉઘડેલા જ્ઞાન વડે (એટલે) દ્રવ્યાર્થિક નય વડ – દ્રવ્યાર્થિક નય પણ જ્ઞાન છે ને..! નય છે ને...! ઈ તો જ્ઞાનનો અંશ છે ને...! દ્રવ્યાર્થિક એટલે દ્રવ્યને (જોનારું) જ્ઞાન, દ્રવ્યાર્થિક નયથી જનારું દ્રવ્ય (છે.) આહા... હા! એ ઉઘડેલું જ્ઞાન તે દ્રવ્યાર્થિક નય છે એનાથી જોતાં દ્રવ્ય જોવાય. (દખાય.) આહા. હા! લખે છે ને.? પાછું નાખશે, આતમઘરમમાં આવશે ઈ. આહા.. હા! હવે આ જયારે ભાસ્યું ત્યારે હવે પર્યાયને જાણવાનું યથાર્થ જ્ઞાન થયું. પહેલી દ્રવ્યાર્થિક (નય) ને બંધ કરીને પર્યાયને જોવાનું નથી કિધું. (પરંતુ) પર્યાયાર્થિક ચક્ષુને (સર્વથા) બંધ કરીને દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જો. (એમ કીધું છે.) અને દ્રવ્ય ભાસ્યું ત્યારે હવે પર્યાયને જાણવાનું યથાર્થ જ્ઞાન થયું. પહેલી દ્રવ્યાર્થિક (નય) ને બંધ કરીને પર્યાયને જોવાનું નથી કીધું. (પરંતુ) પર્યાયાર્થિક ચક્ષુને (સર્વથા) બંધ કરીને દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જ. (એમ કીધું છે.) અને દ્રવ્ય ભાસ્યું ત્યારે પર્યાયનું યથાર્થ જ્ઞાન થયું. કોસમજાણું કાંઈ ? (અહીંયાં કહે છે કે, “અને જયારે દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને ” જે દેખવામાં આવ્યું છે. પણ તેના તરફનું લક્ષ છોડી દઈ અત્યારે આહા.. હા ! સામાન્ય જીવ “આ બધુંય છે” “આ બધુંય છે” એવું જ્ઞાન થયું છે. છતાં તે તરફનું જોવું બંધ કરી પર્યાય પણ તારી છે – તારામાં છે એને જોવા માટે આ (ચક્ષુ- દ્રવ્યાર્થિકનય) બંધ કર. આહા... હા! બહુ ઝીણી વાત છે ભાઈ ચંદુભાઈ ! ગંભીર છે બાપુ ! પરમાત્માની વાણી ! દિગંબર સંતોની વાણી! શ્વેતાંબરમાં તો કથન પદ્ધતિ ય મિથ્યાદષ્ટિ થયા પછી કરે છે આરે ! પ્રભુ! આકરું લાગે! શું થાય? આ વાત છે આકરી ! આહા... હા... હા! જ્યાં કેવળજ્ઞાન રેલાય છે આમ !! અલ્પકાળમાં કેવળજ્ઞાન થવાની તૈયારીવાળું છે જ્ઞાન! આહા.. હા! છતાં કહે છે પર્યાયને જોવાનું - તારી પર્યાયને જોવાનું બંધ કરી દે. અને હવે, દ્રવ્યાર્થિક (ચક્ષુને) બંધ કર. જોવાઈ ગયું – જણાઈ ગયું! પણ તે તરફનું લક્ષ બંધ કર. સમજાણું....? આહા.... હા. હા ! દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને.” એટલે તેના તરફનું લક્ષ છોડી દઈને “એકલા ઉઘાડેલા પર્યાયાર્થિક ચક્ષુ વડે” ઓલામાં “એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે” હતું. પહેલી લીટીમાં. આમાં “એકલા ઉઘાડેલા પર્યાયાર્થિક ચક્ષુ વડે” Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008295
Book TitlePravachana sara Pravachano
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages549
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy