SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૪ પ્રવચનસાર પ્રવચનો ૫૧૧ આ લખે છે ‘શ્રીમદે નવ તત્ત્વ કહ્યાં ને... એમાં સમ્યગ્દર્શનની વ્યાખ્યા કરી છે, છ-પદને જોવું .... અહીંયાં તો કહે છે કે ઈ છ-પદના ભેદ છે. ( શ્રોતાઃ ) ઈ ભેદ તો રાગ છે, એને વિચારવાથી તો રાગ (વિકલ્પ ) ઉત્પન્ન થાય... (ઉત્ત૨:) આહા...! ( ભેદને જોવાની ) એ આંખ્યું ને બંધ કરી દઈને... આહા... હા ! · એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે.” (અવલોકન કર.) બહેનું-દીકરિયું ને ઝીણું પડે ધ્યાન રાખીને સાંભળવું. બાપુ! આ તો અમૃતના ઘર છે બાપુ, માંડ માંડ આવ્યું છે! બે ' ન–દીકરી, માતાઓને ઝીણું પડે થોડું, ધી... રે થી સાંભળવું – વિચાર કરવો. આહા...! અરે, આવા સમય ક્યારે આવે ભાઈ ! આહા... હા! " (કહે છે) વાહ! ભર્યા છે (ભાવ) શું જોયું? સામાન્ય-વિશેષ વસ્તુ છે. એણે વિશેષ (ને) જોવાની આંખ્યું સર્વથા બંધ કરી દઈ અને દ્રવ્યાર્થિક (એટલે ) ઉઘડેલું જ્ઞાન દ્રવ્યને જોનારું ઉઘડેલું જ્ઞાન, પાછું છે તો ઈ પર્યાય, ‘પણ પર્યાય પર્યાયને ન જોતાં, પર્યાય દ્રવ્યને જોતાં' – એમ કહેવું છે. આહોહો ! આહા... હા... હા! ગજબ વાત છે ભાઈ! મીઠાલાલજી! સમજાય છે ને? વસ્તુ છે ઈ ભગવાન આત્મા, એમાં સામાન્ય અને વિશેષ બે પડખાં ખરાં. છતાં વિશેષ પડખાંને જોવાની આંખ્યું તો સર્વથા બંધ કરી દે. પ૨ને જોવાની વાતું તો નહીં પણ તારી પર્યાયને જોવાનું સર્વથા બંધ કરી દે. આહા... હા! અને એકલા ઉઘડેલા દ્રવ્યાર્થિક (એટલે ) એકલા દ્રવ્યને જાણવાનું જે જ્ઞાન ઉઘડેલું જે છે. આહા... હા... હા! ગજબ ભર્યું છે ને...! ( શ્રોતાને ) સામે પુસ્તક છે ને... ? આહા... હા ! “ એકલા ” ઓલાને બંધ કરી દીધું છે ને...? ‘ એકલા’ ને પાછું “ ઉઘાડેલા ” વ્યાર્થિક, એમ ને એમ વ્યાર્થિક નય ( નહીં ), પણ દ્રવ્યનું જેને પ્રયોજન છે એવું જ્ઞાન ઉઘડયું છે. આહા... હા! હું? આવી વાતું છે. દેવીલાલજી! આહા... હા ! સંતોએ તો અમૃત રેડયાં છે! શબ્દે-શબ્દમાં કેટલી ગંભીરતા ને કેટલી ઊંડપ છે? આહા... હા! ભલે (સમજણમાં) થોડો વખત લાગે. સત્યને સમજવા માટે પણ બરાબર થોડું (પણ ) સત્ય સમજવું જોઈએ. આહા... હા ! 12 ( કહે છે કેઃ) ભગવાન આત્મા, સામાન્ય ને વિશેષ (પણે ) હોવા છતાં, સામાન્ય નામ ત્રિકાળી ધ્રુવ એવું ને એવું અને વિશેષ નામ પર્યાય, બદલતી રહેતાં છતાં, બદલતી પર્યાયને જોવાની આંખ્યું બંધ કરી દઈને, આહા... હા... હા! બીજાને જોવાનું ને ભગવાનને જોવાનું તે (તો) બંધ કરીજ દઈને, પણ તારી પર્યાય છે તેને જોવાની આંખ્યું બંધ કરી દઈને આહા... હા! વિમલચંદજી! વિમલચંદ (આત્મા) ની વાત હાલે છે અહીંયાં. આહા... હા... હા! પ્રભુ! તારી વાત તો જો (અનિર્વચનીય ) આચાર્યો-સંત કહી શક્યા નથી. ગંભીર વાત! છોડીને બેઠા (છે મૌન જંગલમાં.) આહા... હા! પર્યાયને ( જોવાનું) સર્વથા બંધ કરી દઈને પ્રભુ શું કહેવું છે તારે આ! આત્માને જોવા માટે એની પર્યાયને જોવાની આંખ્યું સર્વથા બંધ કરી દઈ અને જયારે હવે વ્યાર્થિકને (દ્રવ્યને ) જોવું છે ને...! તો ઈ તો (જોવાનું) પર્યાયમાં આવે કે નહીં? (જોવાનું કાર્ય તો પર્યાયનું છે.) તેથી કહે છે “એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે. ” આહા... હા ! વાહ! પ્રભુ ! અંદરનો જ્ઞાનનો પર્યાય, Please inform us of any errors on rajesh@Atma Dharma.com
SR No.008295
Book TitlePravachana sara Pravachano
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages549
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy