SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૩ अन्वयिनो गुणा अथवा सहभुवो गुणा इति गुणलक्षणम् । [ जयसेनाचार्य ] પ્રવચનસાર પ્રવચનો ૪૯૫ અહીંયા કહે છે પ્રભુ! જેવા સિદ્ધના ગુણ છે. ભલે એને પ્રગટ છે પર્યાય. એવા ગુણો તારામાં ભરેલા છે પ્રભુ! એવો જે મહાસાગર! સુખનો મહાસાગ૨! શાંતિનો મહાદરિયો! જ્ઞાનનો મહા પ્રવાહ! જ્ઞાનનો પ્રવાહ!! આહા... હા ! જ્ઞાન.... જ્ઞાન.... સમજણ.... જ્ઞાન.... જ્ઞાન.... જ્ઞાન.... જ્ઞાન....! એવો જે દ્રવ્યસ્વભાવ, તેના ગુણો અન્વય એટલે કાયમ રહેનારા અન્વયની સાથે રહેનારા અન્વયો ( અનંત ) આહા... હા ! ઓલું વિશેષણ આપ્યું છે ને.! વિશેષણ કહો કે અન્વયશક્તિ કહો કે અન્વયગુણ કહો (એકાર્થ છે) શક્તિનો અર્થ એટલો જ. અન્વયગુણો લીધા અહીંયા. આહા... હા! આ તો મૂળતત્ત્વની વાતું છે બાપુ! અત્યારે તો ગોટા હાલ્યા ગોટા! જે બોલવાની પર્યાયભાષા (વર્ગણાના ૫૨માણું છે.) તો કહે છે કે એ ૫૨માણુની જે અન્વયશક્તિઓ છે એને ક્રમે ભાષા (પર્યાય) થવાની છે તે કાળ જ તે ભાષાની પર્યાય થાય છે. એ ભાષાની પર્યાયનો કર્તા તે ૫૨માણું છે. આત્મા નહીં નહીં – હોઠ નહીં. આહા... હા ! કો ' દેવીલાલજી! આવી વાત છે! આટલામાં એ (બધું) ભર્યું છે. જીવ = ,, (અહીંયા કહે છે કેઃ ) “ પર્યાયોના અન્યપણા વડે દ્રવ્યનો ” અસત્-ઉત્પાદ નકકી થાય છે. ભાષા એમ લેવી ભાઈ ! આહા... હા! શું કહે છે? ઘણું ભર્યુ છે! ભાઈ ! તું કોણ છો ? ભગવાન છો. ભગવાનમાં અનંતા-અનંતા ગુણો ભગવત્સ્વરૂપે પડયા છે (ધ્રુવ છે.) એની વર્તમાનમાં, તે પર્યાય, જો દ્રવ્ય ઉ૫૨ દષ્ટિ હોય, તો તો તે પર્યાય ક્રમાનુપાતી (ક્રમબદ્ધ) સમ્યગ્દર્શન-જ્ઞાન ને ચારિત્ર એ પર્યાય આવે. જો દષ્ટિ દ્રવ્ય ઉ૫૨ ન હોય, તો રાગ અને ૫૨ ઉપ૨ હોય – સંયોગ ઉ૫૨ (હોય ) તો વિકારી થાય આવે, વિકાર માર્ચે છે એ મિથ્યાત્વની પર્યાય ઉત્પન્ન થાય. ઈ પર્યાયોનો ઉત્પાદ– અસત્ ( ઉત્પાદ ) પહેલો નહોતો ને થયો છતાં ઈ દ્રવ્ય પોતે જ ઈ અસ-ઉત્પાદપણે ઊપજયું એમ પણ કહેવાય છે. આહા... હા! કેમ કે દ્રવ્ય પોતે પર્યાયના કર્તા, કરણ અને અધિકરણ હોવાને લીધે પર્યાયોથી અપૃથક છે. આહા... હા ! કેટલું સમાવ્યું છે! હવે આવું સાંભળવું! મળે નહિ બિચારાને ને રખડયા–રખડ, ચોરાશીના અવતાર! આહા... હા ! ઓગણ પચાસ દિ' થી છે લાભુભાઈને! હજી અંદર દિ' રહેવું પડશે ! આહા... હા! ભાષા નહીં ને આમ ને આમ રહેવું એ પણ એ પર્યાયનો જે દ્રવ્યના અન્વયગુણની સાથે સંબંધવાળો પર્યાય એ કાળનો એ ક્રમાનુપાતી – ક્રમે થનારો તે જ પર્યાય થાય છે. આહા... હા ! દાકતરોથી મટે... દવાથી મટે. આરે...! આરે! એ બધી વાત જૂઠી છે. તે દ્રવ્યની તે સમયની તે ક્રમમાં આવેલી પર્યાય, એ અન્વયની સાથે સંબંધ રાખીને- સંબંધ તોડીને નહીં- એ પર્યાય થાય છે તેનો કર્તા તે દ્રવ્ય, કરણ એટલે દ્રવ્ય સાધન અને દ્રવ્યવસ્તુ તે તેનો આધાર (છે.) એ પર્યાયનો આધા૨ દ્રવ્ય (છે.) આહા... હા... હા ! (શું કહે છે કેઃ ) આ (ઠવણી ) ઉ૫૨ ૨હેલ પુસ્તકનો આધાર (ઠવણી ) હૈઠે ( છે. ) તે નહીં Please inform us of any errors on rajesh@Atma Dharma.com
SR No.008295
Book TitlePravachana sara Pravachano
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages549
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy