SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૨ પ્રવચનસાર પ્રવચનો ૪૮૦ પર્યાય ( કીધી ને ) એટલે નિગોદની. સિદ્ધની પર્યાય કેવળજ્ઞાનની આહા...! એ જીવ મનુષ્ય, દેવાદિકએ પાંચ (પર્યાયપણે) પરિણમતાં છતાં અન્ય થતો નથી ( કોણ ?) દ્રવ્ય-જીવ. “ અનન્ય રહે છે તેનો તે જ રહે છે” તેવો ને તેવો જ રહે છે. આહા... હા! “ અનન્ય રહે છે ’ અને “તેનો તે જ રહે છે ” આહા...હા આ ‘ જ્ઞેય અધિકા૨’ છે. જ્ઞેયની મર્યાદા સ્વતંત્ર છે. ગમે તે પર્યાયો-રૂપે પરિણમે છતાં દ્રવ્ય તો દ્રવ્યરૂપેજ રહે છે દ્રવ્ય અનેરું થતું નથી, તેનું બીજું થતું નથી, બીજી રીતે થતું નથી. “ તેનો તે જ રહે છે ” આહા.. હા ! (અહીંયાં કહે છે કેઃ ) “ કા૨ણ કે તે જ આ દેવનો જીવ છે, જે પૂર્વભવે મનુષ્ય હતો ” આહા... હા! આચાર્યોની સ્થિતિ તો આચાર્યદેવ દેહ છૂટીને દેવામાં જવાના છે. પંચમઆરાના છે ને...! તો ઈ દેવપર્યાય થઈ, એ પૂર્વભવે મનુષ્ય હતા. એ જીવ જ પૂર્વભવે મનુષ્ય હતો. આહા...હા! અને અમુક ભવે તિર્યંચ હતો ”–એમ જ્ઞાન થઈ શકે છે. “ આહા...હા ! “ આ રીતે, જીવની માફક.” જીવનું દૃષ્ટાંત દીધું અહીંયાં તો ( એમ ) “દરેક દ્રવ્ય પોતાના સર્વ પર્યાયોમાં તેનું તે જ રહે છે. ” પરમાણુ આદિ દરેક દ્રવ્ય, પોતાના સર્વ પર્યાયો-અવસ્થામાં, ગમે તેવી પર્યાયમાં વર્તતું હોય પણ “ તેનું તે જ ” દ્રવ્ય રહે છે. આહા...હા...હા ! k (કહે છે) ૫૨માણુ વીંછીના ડંખ- પણે પરિણમે અને ( એજ પરમાણુ) મેસુબની પર્યાય-પણે પરિણમે, પણ પરમાણુ (દ્રવ્ય ) તો તેનો તે જ ને તેવડો ને તેવડો (એવો ને એવો) જ રહે છે. આહા... હા ! એકવાર ઈ ૫૨માણુ સર્પની દાઢમાં ઝે૨-પણે પરિણમેલો હોય છે. આહા... હા! છતાં ૫૨માણુ તો તેનો તે જ- તે રીતે જ રહયો છે. અને એ ૫૨માણુ સાકરની પર્યાયપણે પરિણમે. આહા... હા! તો દ્રવ્ય છે તે તો તેનું તે જ રહ્યું ને તેવું ને તેવું જ રહ્યું છે. દ્રવ્યમાં કાંઈ ઓછું-વત્તુ કે ઘાલમેલ થઈ નથી. આહા... હા ! આવી અંદર પ્રતીતિ, પર્યાયપણે દ્રવ્ય વર્તે છતાં દ્રવ્ય, દ્રવ્યમાં છે આહા... હા ! એવી દૃષ્ટિનું પરિણમન થવું-એ એનું તાત્પર્ય છે. (કહે છે કેઃ) આનું તાત્પર્ય શું? કે (વસ્તુસ્થિતિ) આમ છે, આમ છે. આનું તાત્પર્ય આ છે. આહા...હા ! ઈ ગમે તે મનુષ્યની પર્યાય-પણે તું હો (પણ) પ્રભુ! તું આત્મા તો તેવો ને તેવો જ રહયો છો. ગરીબને ઘરે- માગી ખાય ત્યારે રોટલા મળે. અને લૂલો હોય-પાંગળો હોય, આંધળો હોય. આહા...હા ! ઈશરીરની અવસ્થા છે. અંદરમાં એ જાતની યોગ્યતા (છે. ) છતાં ( આત્મ ) દ્રવ્ય તો તેવું ને તેવું જ છે. આહા...હા! ગમે તે અવસ્થા (હો ) આ પરમાણુ (શરીરના) એક વાર વીંછીના ડંખપણે પરિણમેલા હતા. આ ૫૨માણુ સર્પની દાઢમાં ઝેર-રૂપે થયેલા હતા. અત્યારે આ (શરીરની) પર્યાયપણે છે છતાં વસ્તુ (૫૨માણુદ્રવ્ય ) છે ઈ છે એવી ને એવી છે. આહા...હા ! (અવસ્થાઓમાં ) કેટલો ફેર! પર્યાયનો કેટલો ફેર! ઈ તો પર્યાયનો ફેર, વસ્તુનો ફેર કાંઈ નથી. આહા...હા ! આવું સ્વરૂપ છે (જ્ઞેયોનું. ) આ ‘જ્ઞેય અધિકાર’ છે. જ્ઞેય છે ઈ દ્રવ્ય તરીકે તે એવું ને Please inform us of any errors on rajesh@Atma Dharma.com
SR No.008295
Book TitlePravachana sara Pravachano
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages549
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy