SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧૨ પ્રવચનસાર પ્રવચનો ૪૭ર મોક્ષ અને મોક્ષની પર્યાયને કરતું નથી. (“સમયસાર”) સર્વ વિશુદ્ધ અધિકાર (માં કહ્યું છે કે, મોક્ષ ને મોક્ષની પર્યાયને દ્રવ્ય કરતું નથી. આંહી કહે છે કે “દ્રવ્ય પર્યાયમાં વર્તતું થયું ” આહા... હા ! ભેદ સમજાવવો છે ને.. ભિન્ન- ભિન્ન આહા.... હા! (કહે છે કે:) “જીવ દ્રવ્ય હોવાથી” –જીવ દ્રવ્ય હોવાથી એમ. જીવ. દ્રવ્ય હોવાથી આહા...! ઓલો (પહેલા) સિદ્ધાંત કીધો હવે ઉતારે છે (જીવના ઉદાહરણ ઉપર) “જીવ.. દ્રવ્ય હોવાથી, દ્રવ્ય... પર્યાયોમાં વર્તતું હોવાથી” આહા... હા! “જીવ નારકત્વ” જીવનારકીપણું “તિર્યંચત્વ” તિર્યચપણું “મનુષ્યત્વ” મનુષ્યપણું “દેવત્વ” દેવપણું અને “સિદ્ધત્વ” સિદ્ધપણું (અથવા) સિદ્ધ- પાંચેય પર્યાય હો? (પર્યાયો છે). ચાર ગતિની જ માત્ર એમ નહીં. “સિદ્ધત્વમાંના કોઈ એક પર્યાયે અવશ્યમેવ થશે”. ઈ પાંચમાંથી કોઈ એક પર્યાયે (જીવ) જરૂર થશે. આહા.... હા! ચાર ગતિ (ની) અને (એક) સિદ્ધપર્યાય. (બધી) પર્યાય છે ને..! ઈ જીવ પર્યાયમાં વર્તતું થયું આહા.. હા ! “પરિણમશે.” પરંતુ તે જીવ તે પર્યાયરૂપ થઈને શું દ્રવ્યત્વભૂત અન્વયશક્તિને છોડે છે?” આહા.... હા ! એ સિદ્ધની પર્યાય થઈ, છતાં ઈ દ્રવ્ય (જીવ) તે પર્યાયરૂપે થઈને શું દ્રવ્યત્વભૂત અન્વયશક્તિને છોડે છે? સિદ્ધપર્યાય થઈ છતાં દ્રવ્ય પોતાનું દ્રવ્યત્વ અન્વયશક્તિને છોડે છે? (“નથી છોડતો”) આહા.... હા! આવું (વસ્તુસ્વરૂપ) દ્રવ્યાનુયોગની વાત છે. નારકીપણે તો ઠીક, ચાર ગતિની પર્યાયપણે વર્તતું થકું- જીવદ્રવ્ય વર્તતું થયું પોતાના ત્રિકાળી અન્વયગુણોને છોડતું નથી. એમ સિદ્ધત્વનીય પર્યાયે વર્તતું થયું જીવદ્રવ્ય પોતાની દ્રવ્યત્વઅન્વયશક્તિઓને છોડતું નથી. આહા.... હાં.. હા... હા! છે ને એમ અંદરમાં? (પાઠમાં.) જુવાનિયાઓને તો આબધું નવું લાગે. જુવાન કોણ છે બાપાઓમાં? એ તો બધી જડની અવસ્થા છે. ભગવાન (આત્મા) તો આ અંદરમાં (તેનો તે જ છે) કહે છે ને કે પર્યાયમાં પરિણમ્યો તો ય વસ્તુ તો એવી ને એવી ને એમ ને એમ રહી છે. આહા.... હા ! એ વસ્તુ પર્યાયોમાં વર્તે છે એમ કહેવું વ્યવહારે. આહા... હા! (શ્રોતા:) વ્યવહારે આત્મા! (ઉત્તર) વ્યવહાર પર્યાય. (આત્મદ્રવ્ય નહીં) ઈ દ્રવ્યનું પર્યાયમાં પ્રવર્તવું- પરિણમન એનું છે એમ બતાવવું છે ને દ્રવ્યત્વ (કીધું ને) દ્રવ્યત્વ બતાવવું છે ને? દ્રવ્યત્વગુણ છે ને.! દ્રવ્યત્વ ગુણ છે ને...! તો દ્રવ્યત્વગુણનો અર્થ: દ્રવે છે. એમ ત્યારે સિદ્ધ થાય છે ને... ( પાંચ પર્યાયો.) આહા... હા! તેથી દ્રવ્યત્વ લીધું છે ને...? (કીધું છે) “દ્રવ્યત્વભૂત” એનું જે “પણું છે ઈ ' પણું પાછું પર્યાયમાં જ્યારે પરિણમે છે છતાં તે અન્વયશક્તિને છોડતું નથી. આહા. હા! અરે ! આવો વિચાર કરવો ક્યારે? (વખત) મળે ! નહીં ને સાંભળવા મળે નહીં ને નિર્ણય ક્યારે કરે? “કરવાનું તો આ છે.” આહા.... હા! (કહે છે) ભાઈ.! ઈ કાંતિભાઈના સમાચાર આવ્યા” તા કાલ. કે રાત્રે દશ વાગ્યા સુધી તો વાતું કરતા” તા. હવે સવારમાં ઊઠયા ને.. ત્રેસઠ વરસની (ઉંમર) દીકરો-દીકરી થયા નથી. દશ વાગ્યા સુધી રાતે મિત્રો હારે વાતું કરી સૂઈ ગયા. સવારે ઊઠયા–ઊઠયાને એકદમ આંચકો-બંધ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008295
Book TitlePravachana sara Pravachano
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages549
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy