SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૧ પ્રવચનસાર પ્રવચનો ૪૫૬ વ્યતિરેકવ્યકિતઓનો પર્યાયોને પામતા સુવર્ણને સદ્ભાવસંબદ્ધ જ ઉત્પાદ છે.” સોનામાં હતી તે પર્યાય આવી. આહા... હા! સોનામાં અન્વયશક્તિઓ હતી, “કાયમ રહેનારી હતી', એમાંથી ઈ બાજુબંધની પર્યાય આવી એમ દ્રવ્યદૃષ્ટિથી દ્રવ્યની મુખ્યતાથી એને (સદ્ભાવસંબદ્ધ જ ઉત્પાદ) કહેવામાં આવે છે. આહા. હા... હા! કો” સમજાય છે કે નહીં? (શ્રોતા ) કોઈ “હા પાડતું નથી... (ઉત્તર) હા પાડે તો.... ઈ કેવી રીતે? પૂછે તો.... (પણ) આ સાદી ભાષા તો છે! (કહે છે) વસ્તુ છે. આત્મા વસ્તુ છે. અને વસ્તુ છે તો તેમાં વસેલી અન્વયશક્તિઓ છે. જ્ઞાન-દર્શન આદિ. હવે જો અન્વયશક્તિમાંથી કેવળજ્ઞાન થયું. મતિ (જ્ઞાન) માંથી એકદમ કેવળ (જ્ઞાન) થયું. તો કહે છે કે કેવળજ્ઞાનનીય પર્યાય, ઈ અન્વયશક્તિ (૪) સદ્ભાવસંબદ્ધ છે. તેના સંબદ્ધ થઈ માટે “છે તે થઈ છે' એમાં હતી તે થઈ છે' હતીમાંથી આવી છે' છતીમાંથી છતી થઈ છે” આહા... હા... હા... હા ! સમજાણું કાંઈ? “સુવર્ણનો દાખલો દીધો ને..સુવર્ણમાં એની પીળાશ, ચીકાશ, વજન આદિ અન્વયશક્તિઓ પડી છે. એમાંથી ઈ બાજુબંધ આદિ પર્યાયો થઈ. બાજુબંધ આદિ એટલે કડાં, વીંટી (વગેરે) એ સુવર્ણમાં અન્વયશક્તિઓ છે એમાંથી ઈ પર્યાયો થઈ છે. કોઈ હથોડો, એરણ કે કારીગરે) ઘડી (એટલે થઈ ) એમ નહીં એમ કહે છે. આહા.... હા ! સમજાણું કાંઈ ? અહીંયાં તો હજી દ્રવ્યનીય મુખ્યતાથી કથન આવે છે. પર્યાયની મુખ્યતાથી આવશે ત્યારે એમ આવશે. ઈ પર્યાય પણ દ્રવ્યની જ છે, દ્રવ્ય જ છે. દ્રવ્ય, પર્યાયરૂપ છે. ઈ પર્યાય છે તે જેમ દ્રવ્ય છે અન્વયશક્તિ (ઓ) થી પ્રાપ્ત થઈ માટે ઈ પણ દ્રવ્ય છે. પર્યાય પણ દ્રવ્ય છે. જેમ દ્રવ્ય છે તે પર્યાય છે તેમ પર્યાય છે તે દ્રવ્ય છે. આહા.... હા ! વીતરાગ મારગ બહુ ઝીણો બાપુ! તત્ત્વજ્ઞાનની દષ્ટિ વિના, તત્ત્વનો વાસ્તવિક ભાવ અંદર શું છે? એનું જ્ઞાન થયા વિના ક્યાં એને અટકે છે ને ક્યાં છૂટે છે એની એને ખબરું નથી. આહા.... હા! અહીંયાં કહે છે કે આત્મામાં જે સદ્ભાવસંબદ્ધ છે, અન્વયશક્તિઓ વડે- છે અંદર? સુવર્ણની અન્વયશક્તિ (ઓ) જે પીળાશ, ચીકાશ આદિ, એમાંથી બાજુબંધ વગેરે- કડા-કુંડળ પર્યાયો જેટલું ટકનારી–પર્યાય જેટલું, ક્રમે પ્રવર્તતી “બાજુબંધ વગેરે પર્યાયોની નિપજાવનારી તે તે વ્યતિરેક”. વ્યતિરેક એટલે જુદી જુદી પર્યાયોને “વ્યકિતઓને ” જુદી જુદી પર્યાયોને “પામતા સુવર્ણને સદ્ભાવસંબદ્ધ જ ઉત્પાદ છે.” છે એવું ઉત્પન્ન થયું છે' એવો –એવો સંબંધ છે. કો” દેવીલાલજી! ચીમનભાઈ ! સમજાયું કે નહિ આમાં? (શ્રોતા:) પ્રાસની પ્રાપ્તિ છે... (ઉત્તર) છે એમાંથી આવે છે. છે' (એમાંથી આવે છે) ઈ અહીંયાં અત્યારે (વાત કહેવી છે) પછી બીજી (વાત) કહેશે... આહા..! ઈ દ્રવ્યનું સ્વરૂપ જ ઈ છે. એને તું બીજી –બીજી ચીજ કહી દે કે આ અમુક પર્યાય આવી એકદમ, માટે કોઈ બીજાને લઈને ને બીજી ચીજ છે, બીજું દ્રવ્ય છે એમ નહીં. આહા.. હા! (શ્રોતા ) બીજાને લઈને થઈ નથી. એ વાત જ બરાબર છે...! (ઉત્તર) ઈ સાટુ તો કહેવું છે અહીંયાં..! “કે એકદમ'! (પર્યાયો બદલે છે.) સોનામાં અન્વયશક્તિઓ છે-પીળાશ, ચીકાશ, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008295
Book TitlePravachana sara Pravachano
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages549
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy