SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૧ પ્રવચનસાર પ્રવચનો ૪૫૨ પ્રવચન : તા. ૧-૭-૭૯. “પ્રવચનસાર' ટીકા. (કાલે થોડી ટીકા ચાલી હતી આજે ફરીને.) ટીકા - “આ પ્રમાણે યથોદિત સર્વ પ્રકારે.” એમ કહેવામાં આવ્યું છે “યથોદિત સર્વ પ્રકારે અકલંક લક્ષણવાળું.” નિર્દોષ જેનું લક્ષણ છે. “અનાદિનિધન” આ દ્રવ્ય, દ્રવ્ય. છ શેયો છે. શયનો અધિકાર છે ને....! ઈ ય છે– વસ્તુ તો અનાદિ અનંત છે. અનાદિ (નિધન) “આ દ્રવ્ય સસ્વભાવમાં (અસ્તિત્વસ્વભાવમાં) ઉત્પાદ પામે છે.” આહા... હા! ઈ અસ્તિત્વ સ્વભાવ છે. એમાં ઉત્પાદ પામે છે. સત્ ઉત્પાદ છે. એમ કહીને (કહે છે કે, બીજો સંયોગ આવ્યો, માટે ત્યાં ઉત્પાદવિલક્ષણ રીતે, વિપરીત રીતે દેખાય છે એમ નથી. એ દ્રવ્યની અન્વયશક્તિઓમાંથી પર્યાય આવી છે આ. પરદ્રવ્યના સંબંધથી આવી નથી. જરી વિચાર માગે છે ભઈ આ તો! વિચારનો વિષય છે. “આ દ્રવ્ય સસ્વભાવમાં (અસ્તિત્વસ્વભાવમાં) ઉત્પાદ પામે છે.” (શું કહે છે?) અસ્તિત્વસ્વભાવમાં ઉત્પાદ પામે છે. ઉત્પાદવ્યય (ધ્રૌવ્ય) એનો સ્વભાવ છે એમાં ઉત્પાદ પામે છે. આહા.... હા! (અહીંયાં કહે છે કે, દ્રવ્યનો તે ઉત્પાદક દ્રવ્યની અભિધેયતા વખતે.” દ્રવ્યના મુખ્ય કથન વખતે, અભિધેયતા છે ને? (તેનો અર્થ ફૂટનોટમાં) કહેવાયોગ્યપણું; વિવક્ષા; કથની. “સદ્ભાવસંબદ્ધ છે.” આત્મામાં કે પરમાણુમાં જે સમયે અન્વયશક્તિ જે છે- આત્માની જ્ઞાન, દર્શન, આનંદ (આદિ) અન્વયશક્તિઓ, પરમાણુમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ (આદિ) અન્વયશક્તિઓ –એમાં સદભાવસંબદ્ધ છે એમાંથી પર્યાયો ઉત્પન્ન થાય છે. દ્રવ્યથી-દષ્ટિએ જોઈએ તો દ્રવ્ય જ કહેવામાં આવે છે એમ કહ્યું ને...! ત્યારે પર્યાયો નહિ. આહા....! (“અને પર્યાયોની અભિધેયતા વખતે અસદ્ભાવસંબદ્ધ છે. તે સ્પષ્ટ સમજાવવામાં આવે છે:-) (અહીંયાં કહે છે કે, “જ્યારે દ્રવ્ય જ કહેવામાં આવે છે- પર્યાયો નહિ, ત્યારે ઉત્પત્તિવિનાશ રહિત,” અંદર, અંદર શક્તિઓ. સની વસ્તુ છે તે સત્ છે એની અન્વય શક્તિઓ પણ સત્ છે. યુગ૫ પ્રવર્તતી” યુગપ (એટલે) સાથે પ્રવર્તતી. “દ્રવ્યની નિપજાવનારી અન્વયશક્તિઓ વડે.” આ ભાષા બધી એવી છે! વસ્તુ છે આત્મા! એના જ્ઞાન-દર્શન-આનંદ (આદિ) અન્વયશક્તિઓ (તે) ગુણ છે. કાયમ રહેનારી શક્તિઓ ગુણ- (તે) અન્વયશક્તિઓ એ “વડે ઉત્પત્તિવિનાશલક્ષણવાળી” એ વડે એટલી વાત ત્યાં. હવે “ઉત્પતિવિનાશલક્ષણવાળી ' ક્રમે પ્રવર્તતી પર્યાયોની નિપજાવનારી.” અવસ્થાને નિપજાવનારી તે તે વ્યતિરેક વ્યકિતઓને પામતા દ્રવ્યને સદ્ભાવસંબદ્ધ જ ઉત્પાદ છે.” આહા..! જે વસ્તુ છે. એમાં અન્વયશક્તિઓ એટલે ગુણ છે. એને સંબદ્ધથી જ ત્યાં પર્યાય ઉત્પન્ન થાય છે. દ્રવ્યનું લક્ષ છે તેય એનો અન્વય છે, સત્ છે એનાથી તે ઉત્પન્ન થાય છે. શક્તિઓ છે તે ઉત્પન્ન થાય છે. સમજાય છે આમાં! Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008295
Book TitlePravachana sara Pravachano
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages549
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy