SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૩૪ છે. આત્મામાં પણ જ્ઞાન, દર્શન, આનંદાદિમાં રાગાદિ વિકાર કે મતિજ્ઞાનાદિ (થાય છે) એને અહીંયાં વિભાવપર્યાય કહેવામાં આવેલ છે. આહા... હા...! ‘રૂપાદિકને જ્ઞાનાદિકને સ્વ-૫૨ના કા૨ણ સ્વ ઉપાદાનને ૫૨ નિમિત્ત...! “પૂર્વોત્તર પહેલાની અને પછીની “આપત્તિ ” નામ આવી પડવું તે, જાણવામાં આવે છે (જે) પૂર્વોત્તર અવસ્થામાં થતી જે તારતમ્યતા તેને લીધે જોવામાં આવતી સ્વભાવવિશેષરૂપ - એ છે તો વિભાવરૂપ છતાં સ્વભાવ (પોતામાં છે માટે) એ અનેકત્વની આપત્તિ તે વિભાવ પર્યાય છે. અભ્યાસ (જોઈએ ). લોકોને આ મૂળતત્ત્વનો અભ્યાસ નથી. અને એમને એમ ચાલ... કરો. આ સામાયિક કો... પોષહ કરો... પ્રતિણ કરો. ત્યાગ ( કરો )... પણ શેના ? મિથ્યાત્વના ત્યાગ વિના પરનો ત્યાગ ક્યાંથી આવ્યો..? પરનો ગ્રહણ-ત્યાગધર્મ તો આત્મામાં છે નહીં ? .. (‘ સમયસાર ’) પરિશિષ્ટમાં પાછળ ૪૭ શક્તિઓ છે. (તેમાં એક ‘ત્યાગોપાદાન શૂન્યત્વશક્તિ છે. આત્મા સિવાય ૫૨૫દાર્થના ગ્રહણ-ત્યાગ એનાથી આત્મા શૂન્ય છે.) જડને ગ્રહણ કરે અને જડને છોડે શું આત્મા...? એમ એનાથી આત્મા તો ભિન્ન છે. ૫૨ના ત્યાગ- ગ્રહણથી ( આત્મા ) શૂન્ય છે. આ તો ૫૨ છૂટયું તો મેં ત્યાગ કર્યો... પણ શું ત્યાગ કર્યો? હજી તને મિથ્યાત્વનો તો ત્યાગ નથી, તો (સાચો ) ત્યાગ ક્યાંથી આવ્યો ? આહા... હા..! સમજાણું કાંઈ ? એ દયા, દાન, વ્રત, ભક્તિ (ના) પરિણામ જે શુભ પરિણામ છે તે ધર્મ નથી, અધર્મ છે. એ અધર્મ છે અને તેને ધર્મ માનવો (તે) મિથ્યાત્વ છે. તો હજી અધર્મનો દૃષ્ટિમાં ત્યાગ નથી ત્યાં એને બહા૨માં ત્યાગ અને ત્યાગી થઈ ગયો એ ક્યાંથી આવ્યું...? આહા...હા..! આવી વાતો છે બાપુ...! પ્રભુ (આત્મા) અનંત-અનંત-અનંત ગુણોથી ભરેલો છે..! જેની ( ગુણોની ) સંખ્યાનો પાર નથી. એક એક આત્મામાં હોં...! જેટલા ગુણ- (પાર નહીં, અપાર. અપાર) આહા... હા..! - જેટલા આત્મા છે એનાથી અનંતાગુણા પરમાણુ છે. તેનાથી અનંતગુણા ત્રણ કાળના સમય છે. એનાથી અનંતગુણા આકાશના પ્રદેશ છે. આ લોક છે ત્યાં સુધી ભગવાન બિરાજે છે. એ અસંખ્ય જોજન છે. અને (ત્યારપછી) ખાલી ભાગ અલોક છે. અનંત...અનંત...અનંત...અનંત...આકાશ છે. જેનો ક્યાંય અંત નહીં એ આકાશમાં (ક્ષેત્રમાં) એક ૫૨માણું રહે તેને પ્રદેશ કહે છે. એ આકાશના પ્રદેશની સંખ્યા અપાર-અપાર છે. દશેય દિશામાં ક્યાંય પાર નહીં, પછી શું...પછી શું... પછી શું..એમ અનંત....! અનંત....! અનંત...! ચાલ્યા જાઓ લક્ષથી, તો પણ ક્યાંય અંત નથી. એ આકાશના જે પ્રદેશ છે. સંખ્યા (છે) એનાથી અનંતગુણ ગુણ એક (એક) આત્મામાં છે...! અરે, એક (એક) પરમાણુમાં પણ અનંતગુણા ગુણ છે. જેટલી સંખ્યા આત્મામાં ચૈતન્ય (ગુણોની ) છે એટલી પરમાણુમાં જડના ગુણોની છે. એ પરમાણુમાં પણ આકાશના પ્રદેશો કરતાં અનંતગુણા ગુણ છે. આહા...હા...! સમજાણું... ? હજી દ્રવ્ય ને ગુણ કોને કહે...? પછી પર્યાય કોને કહે...? (તેની સમજ નહીં ). આહા...હા...! (હિન્દી) ભાઈ એક હતા ને! ગયા લાગે છે. હિન્દી હતા ને...! ઝીણું બહુ પડે! એને વળી મુહૂર્ત કેવું! મુહૂર્ત કેવું આત્મામાં... અરે પ્રભુ, એ તો વ્યવહારનયથી અસદભૂત વ્યવહારનયથી જાણવા કહેવાય પણ આદરણીય તો પ્રભુ આત્મા છે. અનંત ગુણ, પૂર્ણાનંદ...! અનંત.... અનંત.... અનંત... અનંત ક્યાંય અંત નહીં એટલા અપાર ગુણ-શક્તિનો ભંડાર પ્રભુ (આત્મા ) છે. એ ગુણભેદનો પણ આદર નહીં, Please inform us of any errors on rajesh@Atma Dharma.com
SR No.008295
Book TitlePravachana sara Pravachano
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages549
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy