SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૩૦ થયું (છે). એ પાનું અને આંગળી (ની પર્યાય) સમાન જાતીય દ્રવ્યપર્યાય છે. આહાહા...! આવી વાતું પરમાત્માની બાપા...! લોકોને તત્ત્વની ખબર ન મળે અને ધર્મ-ધર્મ થઈ જાય (એ કેમ બને કદી ન બને ). જાણે સામાયિક થઈ. પોષહુ થયા. . એમ માને. (પણ) હજી તો ચીજ (વસ્તુસ્વરૂપ) શું છે – દ્રવ્ય કોને કહીએ, પદાર્થ કોને કહીએ, પદાર્થની શક્તિ કોને કહીએ, પદાર્થની પલટતી અવસ્થા કોને કહીએ એની તો (કંઈ ) ખબર નથી. (અને વસ્તુસ્વરૂપ જાણ્યા વિના ધર્મ ન થાય). કોઈ (દ્રવ્યની) અવસ્થા (બીજા) કોઈ દ્રવ્યથી થાય એમ માને તે મિથ્યાદષ્ટિ છે. આહા...હા...! સમજાણું કાંઈ...? અસમાન જાતીય - જેવી રીતે જીવવુગલસ્વરૂપ દેવ, મનુષ્ય વગેરે” એ દ્રવ્યપર્યાયના બે પ્રકાર લીધા કયા બે પ્રકાર (લીધા). સમાનજાતીનય અને અસમાનજાતીય. સમાનજાતીય અર્થાત્ આ પરમાણુ-પરમાણુ એક સાથે (સ્કંધરૂપે) દેખાય છે તે સમાનજાતીય દ્રવ્યપર્યાય છે. (એ પર્યાય) આત્માથી ઉત્પન્ન થઈ નથી. બીજી વાતઃ જે કર્મબંધન થાય છે. બંધના એ કર્મના જે પરમાણુ છે તેના જે ગુણ છે. કર્મથી પર્યાય એના દ્રવ્ય-ગુણથી ઉત્પન્ન થઈ છે. આત્માએ રાગ કર્યો માટે કર્મબંધની પર્યાય ઉત્પન્ન થઈ છે, એમ નથી. (શ્રોતા:) સિદ્ધ ભગવાનને કર્મ નથી બંધાતા...! (ઉત્તર:) ત્યાં તો એકલી શુદ્ધ પર્યાયો ( પ્રગટ) થઈ. પોતાના દ્રવ્ય અને ગુણથી શુદ્ધ પૂર્ણ પર્યાય થઈ પછી કર્મબંધ ખલાસ થઈ ગયા. (પછી ક્યાં વાત રહી..!) અહીંયાં અશુદ્ધતા છે એટલે કર્મબંધ છે એમ પણ નથી. એમ અહીંયા કહે છે. જે કર્મબંધ થાય છે તે પરમાણુ છે. તે સમાનજાતીય પરમાણુ એક સમયમાં દ્રવ્યપર્યાય કહેવામાં આવે છે. કર્મની પર્યાયને સમાનજાતીય દ્રવ્યપર્યાય કહેવામાં આવે છે. અને આ શરીર અને આત્મા ( એક સાથે દેખાય) તે અસમાનજાતીય દ્રવ્યપર્યાય છે. બે એક જાત નથી. પણ બંનેને મેળવીને અસમાનજાતીય દ્રવ્યપર્યાય કહેવાય છે. આવી ઝીણી વાતું છે બાપા..! વીતરાગ માર્ગ બહુ ઝીણો...! અને એ તત્ત્વની વાસ્તવિક દષ્ટિ અને જ્ઞાન થયા વિના સમ્યગ્દર્શન થતું નથી. સમ્યગ્દર્શન વિના ત્રણ કાળમાં ધર્મ થતો નથી. આહા...હા...હા..! (અહીંયાં) પર્યાય બતાવી છે, ગુણો બતાવ્યા છે – પણ એ બધા ભેદની દૃષ્ટિ છોડીને એક દ્રવ્યસ્વરૂપ અખંડ-અનંત ગુણ અને અનંત પર્યાયનો પિંડ જે દ્રવ્ય છે તે દ્રવ્ય ઉપર દૃષ્ટિ દેવાથી (એકાગ્રતા કરવાથી) -પર્યાયદષ્ટિ છોડવાથી - સમ્યગ્દર્શન થાય છે. ધર્મની પહેલી શરૂઆત-ચોથું ગુણસ્થાન (પર્યાયમાં પ્રગટે છે.) શ્રાવક અને મુનિની દશા એ તો જુદી વાત છે બાપુ...! એ તો કોઈ અલૌકિક વાત છે. અત્યારે તો મુશ્કેલ છે. હજુ તો સમ્યગ્દર્શનની વાતના પણ વાંધા છે. (સત્ય વાતનો સ્વીકાર નથી). આહા...હા....! પરમાત્મા, ત્રિલોકનાથ, જિનેશ્વર દેવ..! પર્યાયના બે પ્રકાર કહે છે. એક (પર્યાય) સમાન જાતીય દ્રવ્યપર્યાય એકલી શરીરની અને અસમાનજાતીય દ્રવ્યપર્યાય જીવ અને શરીર બેયને મેળવીને પણ બે એક થયા નથી (માત્ર સંયોગ છે તેથી) અસમાનજાતીય દ્રવ્યપર્યાય કહે છે. આવું છે ભગવાન..! તું ય ભગવાન છો પ્રભુ.! (આ વસ્તુસ્વરૂપ સમજ કે ન સમજ તો પણ) આહા...હા...! (શ્રોતા.) જીવથી વાણી આવે છે તે કઈ પર્યાય..? (ઉત્તર) જીવ તો ભિન્ન છે, શરીરની પર્યાય ભિન્ન છે પણ એક સાથે ગણવામાં આવે છે એને અસમાનજાતીય દ્રવ્યપર્યાય કહેવાય છે, પણ એક થયા નથી. (શ્રોતા:) આત્મામાં રાગ-દ્વેષ થાય છે તે અસમાનજાતીય દ્રવ્યપર્યાય થઈ કે નહીં ? (ઉત્તર) ના, અસમાનજાતીય નહીં. એ અત્યારે અહીંયાં નહીં. એ અસમાનજાતીય નહીં. જે રાગ થાય છે તે પોતાના દ્રવ્ય-ગુણથી થાય છે. પછી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008295
Book TitlePravachana sara Pravachano
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages549
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy