SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૨૩ હું...! જેના એક એક શબ્દમાં અનંતી-અનંતી ગર્ભમાં રહસ્ય પડ્યા છે...! અહીંયાં તો કહે છે, હે નાથ “તાનિધ્ય” – તમારે જે સ્તુતિ અમે કરીએ છીએ (કેમકે) તમને જેવા ગુણો (પર્યાયમાં) પ્રગટ્યા છે તેવા અમને મળે (પ્રગટે). ત્યાં જે ગુણ શબ્દ છે તે કેવળજ્ઞાનાદિ પર્યાય છે. અહીંયાં કહે છે કે પર્યાય, તું પર દ્રવ્ય અને પર ગુણથી ઉત્પન્ન થતી નથી. તને જે જ્ઞાન-આનંદધર્મની પર્યાય, તે તે તારા દ્રવ્ય અને ગુણથી ઉત્પન્ન થાય છે. એમ કહીને તો એમ કીધું કેઃ પર્યાયમાં ભલે રાગ હોય, વિકાર હોય, – તે સમયે પણ તે સમયે જે પર્યાય સમ્યકધર્મની છે તે પર્યાય દ્રવ્ય-ગુણથી રચાયેલી છે, વિકારથી (રચાયેલી) નહીં. એમ આમાં આવ્યું ને...! શું કહ્યું? ફરીને, વિકાર પર્યાયમાં છે અને નિર્વિકાર પર્યાય થાય છે - એક સમયે બેય (છે) છતાં તે પર્યાય – નિર્વિકારી પર્યાય- ધર્મની પર્યાય-સમ્યગ્દર્શન-જ્ઞાનની પર્યાય, એ દ્રવ્ય-ગુણથી રચાયેલી છે (પણ) રાગથી રચાયેલી નથી. (તે સમયે) રાગનો વિકલ્પ હો પણ તેને (જ્ઞાની) જાણે. પણ તેનાથી (રાગથી) સમ્યગ્દર્શનની પર્યાય રચાતી નથી. આહા... હા ! સમજાણું કાંઈ ? (શ્રોતા:) અભિમાન ભૂલાવી દે તેવું છે.! (ઉત્તર) (અજ્ઞાની) તો જ્યાં હોય ત્યાં મેં કર્યું. મેં કર્યા. ફલાણાને મેં કરી દીધું.. દુકાને બેઠો તો કહું કે વ્યવસ્થિત કામ મેં કર્યા (એમ અભિમાન કરે ). (હવેશું આમાં કરવું? (કહે છે કેઃ) એક એક પરમાણુ અને એક એક આત્મા - (એના) અનંત પરમાણુઓ અને અનંત આત્માઓ છે. તેમાંથી એક એક આત્માને દ્રવ્ય કેમ કહીએ? કેઃ તેના ગુણો અને તેની પર્યાયોનું (તે) દળ છે માટે તેને દ્રવ્ય કહીએ. અને ગુણ કેમ કહીએ? કેઃ તે અનંત શક્તિઓ છે તેનો આધાર એક છે અને ગુણ કહીંએ. પર્યાય કોને કહીએ? કે: દ્રવ્ય ને ગુણ જે કીધાં તેનાથી ઉત્પન્ન થાય તેને પર્યાય કહીએ આહા...હા..! તો અહીંયાં તો ( પ્રયોજન એ છે કે, સમ્યગ્દર્શનની – ધર્મની પર્યાય કેમ (ઉત્પન્ન) થાય ? આહા ! એ દ્રવ્ય જે વસ્તુ ભગવાન (આત્મા) છે અને ગુણ છે એ દ્રવ્યના આધારે છે. (એ દ્રવ્યગુણથી સમકિતની પર્યાય થાય. એ રાગથી ન થાય, એ બીજાથી ન થાય, એ વાણીથી ન થાય, એ દેવ-ગુરુથી ન થાય, ભગવાન ને મંદિર અને એના દર્શન કરવાથી પણ એ પર્યાય ન થાય, એમ કહે છે, સમ્યગ્દર્શનની પર્યાય-ધર્મની પહેલી શરૂઆતની પર્યાય એ ક્યાંથી થાય? (તો કહે છે) કેઃ દ્રવ્ય – ગુણ જે કીધાં તેનાથી એ પર્યાય થાય. આ ગજબ વાત કરી છે ને..!! પહેલો વ્યવહાર – રત્નત્રય – રાગ (શુભરાગ) તેનાથી ન થાય એમ કીધું (છે). આહા..હા...હા... આ તો (અજ્ઞાની માને) વ્યવહાર કરીએ, એ કરતાં – કરતાં (થશે). શું કષાય મંદ કરતાં (સમ્યગ્દર્શન) થાય? તો અહીંયાં ના પાડે છે. (કહે છે) કે એ પર્યાય સમકિતની છે એ દ્રવ્ય - ગુણથી થાય. એનાથી થાય અને બીજું નહીં. (એટલે અન્યથી ન થાય). સમજાણું કાંઈ? (શ્રોતા:) પ્રયત્ન તો ખૂબ કરીએ છીએ..! (ઉત્તર) પ્રયત્ન એણે કર્યો જ નથી ને..! એણે પ્રયત્ન કર્યો છે એ તો રાગ થયો તદ્દન. રાગ એના દ્રવ્ય-ગુણથી ઉત્પન્ન થયેલો છે, વિકૃત અવસ્થાવિભાવ અપેક્ષાએ (એના દ્રવ્ય-ગુણથી ઉત્પન્ન થયેલી પર્યાય છે). આગળ પહેલી ટીકામાં આવી ગયું છે, હો! રૂપ અને જ્ઞાનની ટીકામાં પહેલાં બે આવી ગયાં. ત્યાં સ્વદ્રવ્ય-રૂપ અને ગુણ લીધા છે. સર્વ દ્રવ્યમાં રૂપ અને વર્ણ-ગંધ વિભાવિક હોય છે. એમ ટીકાના પાઠમાં છે. એ (ગાથા) આવે ત્યારે (તે) વાત કરશું. હોં! Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008295
Book TitlePravachana sara Pravachano
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages549
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy