SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૪૮ કીધું એમ નથી. ૮૧ ની વાત છે. ગઢડાના ચોમાસામાં. તમારાં ઓલા જનમ પહેલાંની વાતું (છે.) એકાશી કેટલા થયાં? ૫૪ (ચોપન વરસ પહેલાંની વાત છે). જુઓ વાત તો કાંઈ કરે નહીં! દીકરી નો'તી. પણ મળ્યા હશે (ને વેવાઈ ) પૈસાવાળાને છોકરાઓ તો પૈસા થ્યા તો દસ લાખ. પછી વધી ગયા કરોડોપતિ થઈ ગ્યા. અહીં તો કાંઈ નહિ. પણ એ વાત કરતા બોલ્યા વ્યાખ્યાનમાં બેઠા. ને એટલું બોલ્યાઃ જ્ઞાનાવરણીયનો જેટલો ક્ષયોપશમ થાય એટલું જ્ઞાન થાય. કીધું એમ નથી પોતાના પુરુષાર્થથી જેટલો જ્ઞાનનો પર્યાય ઊઘડે એટલો ક્ષયોપશમ થાય. કર્મ તો સામે નિમિત્તરૂપ છે એને શું છે? આ.. રે! આવી વાતું! લખાણ ઈ આવે નિમિત્તના જ્ઞાનાવરણીય કરમ જ્ઞાનનો રોકે લ્યો! હવે, છે? જ્ઞાન ને જ્ઞાનાવરણીય જુદ ચીજ છે. (શ્રોતા.) ભાવજ્ઞાન, જ્ઞાનાવરણીયને રોકે ને....! (ઉત્તર) હું, ભાવ, ભાવ! ભાવઘાતી છે ને....! કીધું તું ને રાતે. ભાવઘાતી જ્ઞાનની હીણી પર્યાય ઈ ભાવઘાતી પોતે છે. આહા... હા ! ઈ બીજી ચીજ તો નિમિત્તમાત્ર વસ્તુ છે. પણ નિમિત્તથી કાંઈ આમાં ફેરફાર જરીએ – ઓછું - અધિક – વિપરીત કાંઈ મદદ થાય એમ નથી. ઈ તો આજ ઘણું આવ્યું” તું ને ઉપાદાનનું (વ્યાખ્યાનમાં). સવારે નહોતું આવ્યું!' ઉપાદાન-નિમિત્ત' દોહરા, સઝજાયમાં (શ્રોતા ) શાસ્ત્રકારે નિમિત્ત – ઉપાદાનનો ભેદ બતાવ્યો છે? (ઉત્તર) નિમિત્ત છે એ બતાવ્યું છે. (શ્રોતા:) નિમિત્તમાં ફેર બતાવ્યો છે! (ઉત્તર) ફેર એટલે નિમિત્ત છે. દરેકની ચીજમાં નિમિત્ત ભિન્ન ભિન્ન જાતના છે, એક જાતના નિમિત્ત ન હોય. ઉચિત નિમિત્ત છે, એમ કીધું' તું (ગાથા-૯૫, નિયમસાર' માં) (શ્રોતા ) નોકર્મની અસર તો હોય છે ને ! (ઉત્તર:) એ નોકર્મ હોય કે ગમે તે (કર્મ નિમિત્ત છે) એ બધું નિમિત્ત છે. નિમિત્ત છે અને ઉચિત નિમિત્ત હોય પાછું. એની લાયકાતનું (જો હોય છતાં નિમિત્ત એને કાંઈ કરતું નથી. પાઠ જ આ છે ઉચિત નિમિત્ત. એથી કરીને (કાંઈ તે કરે છે એમ નહીં) ઈ તો નિમિત્તને નિમિત્તતા ઉચિત કીધી. જેમ આત્મા ગતિ કરે તેને ધર્માસ્તિકાય ઉચિત નિમિત્ત છે. છતાં એ ઉચિત નિમિત્ત (ધર્માસ્તિકાય) કાંઈ (આત્માને) ગતિ કરાવતું નથી. આહા... હા! (શ્રોતા:) નિમિત્ત તો ઉચિત જ, હોય ને..! (ઉત્તર) એમ જ. ઘડાને (કુંભાર) ઉચિત નિમિત્ત કહેવાય, પણ ઉચિત નિમિત્તથી ઘડામાં કાંઈપણ થાય છે એમ નહીં. આહા... હા! સારા અક્ષર લખનારને એવો ક્ષયોપશમ હોય તે ઉચિત નિમિત્ત કહેવાય, પણ એને લઈને (સારા) અક્ષરો પડે છે ને લખે છે એમ બિલકુલ નહીં કરીએ (નહીં). આહા.. હા! જેમ કે આ પાપડ થાય, વડી જાય, પુડલા થાય, એમાં હુશિયાર બાઈ હોય છે આમ સરખા કરે – આમ ઘી પાય ને (સરખા ફેરવે ને.) તો એ ઉચિત નિમિત | ઉચિત નિમિત્તથી એમાં કાંઈ થ્ય (એમ નથી.) (શ્રોતા) પણ ઈ બાઈ હુશિયાર હોય તો થાય ને...? (ઉત્તર) બિલકુલ નહીં. હુશિયારી તો એનામાં (બાઈમાં) રહી અહા! આ પુડલામાં ક્યાં એ ગઈ (છ)? (શ્રોતા) પણ નિમિત્ત હોશિયાર એમ તો જણાય છે ને ! (ઉત્તર) ઈ, ઈ ખબર પડે છે એનામાં ઈ હુશિયારી છે એમ જણાય. પણ એનાથી અહીંયાં કાંઈ થ્ય છે (એમ છે નહીં.) તેથી ઉચિત નિમિત્તે કીધું છે. ઉચિત નિમિત્તનો અર્થ એ જ એ લીધો છે કે તે (ચીજા સામે છે તેથી સારું થાય છે પણ તેનાથી કાંઈક થાય છે એમ નથી એ તો નિમિત્તની યોગ્યતા, એ કાર્યકાળે આવું નિમિત્ત હોય એમ જણાવ્યું છે. પણ એ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008295
Book TitlePravachana sara Pravachano
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages549
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy