SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૩૧ પ્રવચન : તા. ૧૫-૬-૭૯. પ્રવચનસાર ૧૦૦ મી ગાથા. (શ્રોતા કહે છે કે, કંઈક ઝીણું પડે છે. કહે છે સવારે સહેલું હતું બપોરે ઝીણું પડે છે. ધ્યાન રાખે તો પકડાય એવું છે. (અહીંયાં કહે છે કે, “જે સર્ગ છે તે સંહાર છે.” શું કહે છે? (આ વિશ્વમાં) જે છ દ્રવ્ય છે તેની જે સમયે (જે) પર્યાય ઉત્પન્ન થાય, તે સંહારથી (એટલે) પૂર્વની પર્યાયના સંહારથી થાય છે. હવે આ તો સમજાય એવું છે. “સર્ગ છે તે જ સંહાર છે. – ઉત્પન્ન જે છે તે જે સંહાર છે. તે ઉત્પાદથી લેશે. જે સંહાર છે – વ્યય છે તે જ ઉત્પાદ છે. “જે સંહાર છે તે જ સર્ગ છે; જે સર્ગને સંહાર છે તે જ સ્થિતિ છે.” ઉત્પાદ છે, વ્યય છે, એ સ્થિતિ છે. ત્રણેય એક સમયમાં છે. જે સ્થિતિ છે તે જ ઉત્પન્ન અને સંહાર છે. “જે સ્થિતિ છે તે જ સર્ગ ને સંહાર છે. તે આ પ્રમાણે:” હવે દષ્ટાંતરૂપે સમજાવશે. “ કુંભનો સર્ગ છે તે જ મૃત્તિકાપિંડનો સંહાર છે.” કુંભનો ઘડાનો કર્તા કુંભાર નથી. આહા..! કુંભનો ઉત્પાદ- ઘડાનો ઉત્પાદ, ઘડાનો ઉત્પાદ (એટલે ) ઊપજે છે ને ઘડો. એ મૃત્તિકાપિંડનો સંહાર છે. ઘડાની ઉત્પતિ જે છે તે જ મૃત્તિકાપિંડનો અભાવ (છે). મૃત્તિકાપિંડનો સંહાર કહો કે અભાવ કહો (એકાર્થ છે). આહા.... હા! આ તો સમજાય એવું છે! (અહીંયાં કહે છે) “કારણ કે ભાવનું” એટલે ઉત્પાદભાવનું, ઘડાની ઉત્પત્તિના ભાવનું “ભાવાંતર” એટલે અનેરા ભાવથી “અભાવસ્વભાવે” ભાવ એટલે ઉત્પાદ એનાથી ભાવાંતર એટલે સંહાર- વ્યય, એના અભાવસ્વભાવે (એટલે) વ્યયયના અભાવસ્વભાવે ઉત્પાદનનું “અવભાસન છે” (શ્રોતાઃ) વધારે ચોખ્ખું કરો.. ને પ્રભુ! (ઉત્તર) કહીએ. આ તો ઘડાનો દષ્ટાંત આપ્યો. (આચાર્ય) (જુઓ, ભાષા થાય છે. ભાષાની જે ઉત્પત્તિ છે તે જ સંહાર છે. એટલે? વચનવગર્ણાની જે પર્યાય હતી તેનો સંહાર થ્યો એટલે કે ભાષાની પર્યાયથી ભાવાંતરનો અભાવ- ભાષાની પર્યાયથી ભાવાંતર (જે ભાવ છે) તે ભાવનો અભાવ, ભાવાંતર (અર્થાત ) ભાષાની પર્યાયથી બીજો અનેરો ભાવ (એટલે ) સંહાર-વ્યય તેના અભાવ સ્વભાવે ઈ ભાષાની પર્યાય પ્રકાશે છે. આત્માથી નહીં. આહા..! લો આવે છે. ભુકકો - બુક્કાનું અહીંયાં નથી. ભુકકાનો વેપાર છે ને એને...! શું કહેવાય એને ? પાવડર. એ પાવડરની ઉત્પત્તિ થઈ, પર્યાયપણે. તો તે પૂર્વની પર્યાય – અવસ્થા હતી તેનો સંહાર (-તે નાશ). ઉત્પત્તિના (પાવડરના) ભાવથી અનેરો ભાવ એટલે (ગાંગડાનો) સંહાર, એ ભાવથી ભાવાંતર, એના અભાવ (સ્વભાવે) તે ભાવ (પાવડર) દેખવામાં આવે છે. લ્યો, આ તમારા પાવડર પર ઊતાર્યું! આહાહા. આચાર્ય પણ ઘટનો દષ્ટાંત આપ્યો છે ને....! જુઓ ! ઘડાની ઉત્પત્તિ, એનો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008295
Book TitlePravachana sara Pravachano
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages549
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy