SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૯ પ્રવચનસાર પ્રવચનો ૨૦૯ પરિણામ (એ) દ્રવ્યના છે. કર્મને લઈને નહીં. કર્મ પરદ્રવ્ય છે. એ કર્મ (ને) પણ તેના પ્રવાહકમમાં જે પરિણામ આવવાના એ ઉત્પાદવ્યયધ્રૌવ્ય સ્વભાવમાં એ પરમાણુઓ છે. કર્મના (જે ) પરમાણુઓ છે એ પરમાણુઓ કર્મના પરિણામપણે આવ્યા છે. આહા. હા! (કહે છેઃ ) જ્ઞાનાવરણીયપણે પરિણમે છે (કર્મના) પરમાણુ, તે સમયે તે પરમાણુના તે પર્યાયપણે – ઉત્પાદપણે થવાનો તેનો સ્વભાવ છે. આહા... હા! આવી વાતું છે. “દરેક પરિણામ સ્વકાળમાં” સ્વ-કાળમાં છે. ને..! પરિણામ સ્વકાળે જ ઊપજે છે. જે સમયે જે તેના પરિણામ થવાના તે જ થાય છે, આવા – પાછા નહીં. આહા.... હા.... હા! કેમ કે ઉત્પાદ, પ્રવાહુક્રમમાં એનો જે સમય આવે છે ત્યારે તે સમયના તે પરિણામ પોતાથી ઊપજે છે. એને કર્મની ને પરની અપેક્ષા છે નહીં. આહા... હા.! એમ અજ્ઞાનીએ રાગદ્વેષ કર્યા–ચ્યા. એ પોતાના પરિણામથી ચ્યા. અને એ વખતે કર્મ બંધાણું. એ કર્મના પરમાણુઓ તેના કર્મરૂપે (પૂર્વની અવસ્થા) વ્યય થઈને પરિણમ્યા તેથી તે કર્મ બંધાણું છે. અહીંયાં રાગદ્વેષ ધ્યા માટે કર્મ બંધાણું છે એમ નથી. આહા... હા! આવી વાતું હવે ! (શ્રોતા:) એમ ને એમ ઉપરથી અધ્ધરથી કંઈ કર્મ બંધાય. .(ઉત્તર) એ વાત જ નથી. એ પ્રશ્ન કર્યો તો ત્યાં મૂળશંકર (દેશાઈ) એ ત્યાં રાજકોટમાં એમ કે (જીવ) રાગ ન કરે તો ક્યાં કર્મ બંધાય? એમ પ્રશ્ન કર્યો હતો. પણ ઈ પ્રશ્ન જ આંહી નથી. મૂળ, તત્ત્વની દષ્ટિની આખી ખબર નહીં. આહા... હા ! (કહે છે કે:) અહીંયાં રાગ થાય છે. એ પણ પોતાના ઉત્પાદનો – પરિણામનો કાળ છે. માટે દ્રવ્ય તે રાગપણે પરિણમે છે. એક વાત. (હવે બીજી વાત) અને સામે જ્યાં ચારિત્રમોહના પરિણામપણે (કર્મ) બંધાય. પરમાણુઓ પણ તે ચારિત્રમોહની પર્યાયપણે ઉત્પન્ન થાય એવો એનો સ્વભાવ છે. ઈ સ્વભાવમાં ઈ પરમાણુઓ રહ્યા છે. એ પરમાણુનો એના ઉત્પાદવ્યયધ્રૌવ્ય (સ્વભાવમાં) રહ્યા છે. એ મિથ્યાત્વના – દર્શનમોહના જે પરિણામ ચ્યાં એ પરિણામ તે પરમાણુઓએ ઉત્પન્ન કર્યા છે. અને (જીવ) રાગદ્વેષ-મિથ્યાત્વ સેવ્યું માટે દર્શનામોહ (રૂપે પરમાણુઓ) ચ્યાં છે એમ નથી. આવું છે!! આહા... હા! વીતરાગ સિવાય આવી વાત ક્યાં છે? શ્વેતાંબરમાં તો એ છે (કર્મથી વિકાર થાય) દિગંબરમાં (પણ) એ છે. પંડિતોય (પોકારે છે) કર્મને લઈને થાય... કર્મને લઈને થાય. શ્વેતાંબરમાં તો ચોખ્ખી વાત જ ઈ છે (કર્મને લઈને બધું થાય.) આહા.... હા! પરદ્રવ્યને લઈને પદ્રવ્યના પરિણામ થાય! અહીંયાં ભગવાન ના પાડે છે. ત્રણ કાળ, ત્રણ લોકમાં આમ બનતું નથી. દરેક કાળે, દરેક દ્રવ્ય, પોતાના સ્વભાવમાં વર્તે છે અને તે સ્વભાવ તેનો “સત્ (એટલે ) ઉત્પાવ્યાધ્રૌવ્યયુવતમ્ સત્ (છે). તે – પણાના ઉત્પાદપણે તે પર્યાય તેના કાળક્રમે આવી છે, તે – પણાના (ઉત્પાદના) એ દ્રવ્યના પરિણામ છે. દ્રવ્યથી તે પરિણામ ઉત્પન્ન થ્યાં છે. આહા.... હા ! સમજાય છે? (જુઓ, ) આ ભાષા થાય છે. (તે) ભાષા વર્ગણા (છે). કહે છે કે એ પરમાણુ જે ભાષાના Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008295
Book TitlePravachana sara Pravachano
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages549
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy