SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૯ પ્રવચનસાર પ્રવચનો ૧૭૫ ક્રમબદ્ધ પરિણામ થાય છે. લોકો અત્યારે માનતા નથી. કે ક્રમબદ્ધ થઈ જાય તો પુરુષાર્થ શું રહ્યો...? આહા...! એક પછી એક (ક્રમબદ્ધ) પરિણામ થાય તો પુરુષાર્થ વળી (ક્યાં રહ્યો). પણ ક્રમબદ્ધના નિર્ણયમાં પોતાના સ્વરૂપ તરફ દષ્ટિ થાય છે. (એ દષ્ટિ થવી) એ પુરુષાર્થ છે. આહ.. હા... હા..! આ તો ભગવાનની વાણી છે..! દિવ્ય ધ્વનિ છે...! (ત્રિલોકનાથની દિવ્યધ્વનિમાં (આવ્યું કે, પ્રભુ તારી ચીજ (આત્મા) શું છે..? એ વિસ્તાર (ક્રમ) શું છે.? પ્રવાહ (ક્રમ ) શું છે..? વિસ્તારમાં પણ એક-એક પ્રદેશ ભિન્ન ( ભિન્ન) છે અને પ્રવાહુક્રમમાં પણ એકએક પરિણામ ભિન્ન ( ભિન્ન) છે. એક એક પ્રદેશ ઉપર નજર કરવાથી ઉત્પન્ન દષ્ટિ થાય છે. બીજા પ્રદેશની અપેક્ષા “વિનષ્ટ' (દષ્ટિ) છે. અને બધા પ્રદેશને અખંડ દેખવાથી “ધ્રૌવ્ય” છે. (એટલે) પ્રદેશ છે... છે... છે... છે..., ઉત્પન્ન – વિન નહીં. ધ્રૌવ્યમાં, પ્રદેશ છે, પ્રદેશ છે, પ્રદેશ છે બસ. એવી રીતે પ્રવાહુક્રમમાં જે પરિણામ થાય છે અનાદિ-અનંત છે. એ પરિણામ બીજા પરિણામથી ભિન્ન છે. આહા. હાસંતોએ – દિગંબર મુનિઓએ તો આ વાત કરી છે ભાઈ.! ભાઈ, તારે આત્મા જાણવો હોય, તો આ (વસ્તુ-મર્યાદા) જાણવી પડશે. આવું (વસ્તુસ્વરૂપ) જાણ્યા વિના આત્મા જણાય, ધર્મ થાય – એવું હોતું નથી. આહા... હા..! (કહે છે કેઃ) આ આત્મા શું છે..? વિસ્તારકમથી કેવો છે, પ્રવાહુકમથી કેવો છે..? (શ્રોતા:) વિસ્તારક્રમ કોને કહેવો અને પ્રવાહકમ કોને કહેવો..? (ઉત્તર) વિસ્તાર આમ વસ્તુ – આત્મા, વિસ્તાર (કમ) એક નામ. અસંખ્યપ્રદેશે એકરૂપ એ વિસ્તાર. અને પરિણામ એક પછી એક થાય છે એ પ્રવાહુક્રમ. પરિણામ અનંત છે. વિસ્તારક્રમમાં પણ એક પ્રદેશથી બીજો પ્રદેશ ભિન્ન છે. એમ પ્રવાહકમમાં અનંત પરિણામ થાય છે. (અનાદિ-અનંત) એમાં એક-એક પરિણામ બીજા-બીજા પરિણામથી ભિન્ન ભિન્ન છે. આહા... હા..! “સ્વ-રૂપથી ઉત્પન્ન”. શું કહે છે એ? જુઓ, “તે પરિણામો પોતાના અવસરમાં “સ્વ-રૂપથી ઉત્પન્ન.” કહેવામાં આવ્યા. અને “પૂર્વરૂપથી વિનષ્ટ હોવાથી” પૂર્વના (પહેલાના) પરિણામની અપેક્ષા વર્તમાન પરિણામ વિનષ્ટ તો (પૂર્વના- પહેલાના પરિણામ) વિનષ્ટ-વ્યય કહેવામાં આવે છે. પોતાની અપેક્ષા ઉત્પન્ન કહેવામાં આવે છે. પરની અપેક્ષાથી વ્યય કહેવામાં આવે છે. “તથા સર્વત્ર પરસ્પર અનુસૂતિથી રચાયેલા એકપ્રવાહપણા વડે.” કોણ...? પરિણામ, પરિણામ, પરિણામ, પરિણામ, પરિણામ, પરિણામનું એકરૂપ, અનાદિ-અનંત એકરૂપ છે તો “અનુત્પન્ન અવિનષ્ટ હોવાથી. આમ. પરિણામ છે.. છે.... છે. છે. એમ, (ધ્રૌવ્ય). આત્મામાં અસંખ્ય પ્રદેશ છે. એ વિસ્તારક્રમ (છે), એમાં એક-એક પ્રદેશ છે એ બીજા પ્રદેશથી ભિન્ન છે. એમાં એક પ્રદેશ પર નજર પડે તો ઉત્પન્ન- ઉત્પાદ કહેવાય છે, અને બીજા પ્રદેશની અપેક્ષા વિનષ્ટ-વ્યય કહેવાય છે અને બધા પ્રદેશ છે. છે.. છે.. છે... છે.. એનું નામ ધ્રૌવ્ય (છે.) એવી રીતે આત્માના પરિણામ “ઉત્પત્તિ- સંહાર-ધ્રૌવ્યાત્મક છે. આહા... હા.! કાંઈ કોઈ દી” સાંભળ્યું ન મળે..! જગતની મજૂરી કરીને મરી ગ્યા...! અનંતકાળથી આહી.. હા..! તત્ત્વ..!! વીતરાગ શું કહે છે, એ તત્ત્વની હજી કાંઈ ખબર નહીં. પ્રતીતિ તો પછી. આહા... હા...! આ આત્મા છે, અસંખ્ય – પ્રદેશી છે, અનાદિ-અનંત પરિણામવાળો છે. બે વાત (કરી). (વિસ્તારકમ ને પ્રવાહકમ) હવે એમાં અસંખ્યપ્રદેશોમાં જે એક પ્રદેશ છે તે બીજો પ્રદેશ નથી. તો એક પ્રદેશ ઉપર લક્ષ તો ઉત્પન્ન (ઉત્પાદ) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008295
Book TitlePravachana sara Pravachano
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages549
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy