SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૯ પૂર્ણ પયાર્ય પ્રગટ કરવી ત્યાં લક્ષ છે, એમ કહે છે. ત્યાં આગળ તેનું ધ્યેય છે ઉપાય અને ઉપય. એટલે ઉપાયનું ધ્યેય, દ્રવ્ય તો ધ્યેય છે જ. તે તો દષ્ટિમાં ધ્યેય છે પણ પ્રગટ કરવા માટે ઉપય એ સિદ્ધપદ (છે). તે તેનું (સાધકનું) સાધ્ય છે. સાધવા માટે સાધ્ય એ છે. આહા..હા..હા ! સમજાણું કાંઇ? આ શ્લોકો તો ગજબ છે!! અમૃતચંદ્ર આચાર્યના શ્લોક (છે). (તેમાં) કેવળજ્ઞા રેડ્યાં છે એકલા ! એને (અજ્ઞાનીને) એના માહાભ્યની ખબરું નથી ! એ ભગવાન આત્મા પૂર્ણજ્ઞાનનો આધારપૂર્ણ ચૈતન્યનો આધાર (છે.) જેણે “ચેતન' (આત્માનો) યથાર્થપણે નિર્ણય કર્યો અને હવે (ભાન વર્તે છે કે) પૂર્ણ જ્ઞાન પૂર્ણચંતનના આધારે છે. એને શક્તિ અને સ્વભાવરૂપે (ચૈતન્ય) છે, એને પર્યાયરૂપે (પૂર્ણપણે પ્રગટ) કરવા માટે “પ્રશમના લ” વીતરાગભાવના લક્ષે (-ઉપશમ પ્રાપ્ત કરવાના હેતુથી) વાત તો ઈ (એક જ) છે. ઉપશમ એટલે (મંદ કષાયરૂપ) ઉપશમ એમ નહીં (પણ) વીતરાગભાવ છે – કષાયરહિત વીતરાગ-ભાવની પર્યાય અને કેળવજ્ઞાનની પર્યાય, એને પ્રાપ્ત કરવાના હેતુથી – “શેયતત્ત્વ જાણવાની ઈચ્છક (જીવ) ” – પોતાનું જે જ્ઞાન (છે) એનો આધાર આત્મા (છે), પણ જ્ઞાન છે ઈ પર્યાયમાં જેટલા શેયો (જણાય) છે તેને જાણવાનો ઈચ્છક (જીવ) (એટલે કે) અનંત જ્ઞયો જે દ્રવ્ય-ગુણ-પર્યાય (સહિત) છે તેને જાણવાનો ઈચ્છક જીવ સર્વ પદાથોને (જાણે છે). જે સર્વ પદાર્થોને દ્રવ્ય-ગુણ-પર્યાય સહિત જાણે છે. જોયું? અહીંયાં તો કહે છે (ક) “સર્વ પદાર્થોને દ્રવ્ય-ગુણ-પર્યાય સહિત જાણે છે.” –અહીંયાં તો કહે છે કે સર્વ પદાર્થોને દ્રવ્ય-ગુણપર્યાયપણે (જાણે છે). એટલે એકનું દ્રવ્ય-ગુણ-પર્યાયની જ્યાં સ્વતઃ સિદ્ધિ થઈ (તો) એવા અનંતા પદાર્થોના દ્રવ્ય-ગુણ – પર્યાય એવી રીતે છે તેનું જ્ઞાન એને થઈ જાય છે ! આ જ્ઞાનતત્ત્વ અધિકાર થયો ને (તેમાં) જ્ઞાનતત્ત્વનું પૂર્ણતાનું (સ્વરૂપ) બતાવ્યું. હવે જ્ઞયતત્ત્વ અધિકારની શરૂઆત આ એક શ્લોકમાં બેય (ની) વાત કરે છે – સંધિ કરે છે. આહા...હા...! આ પંડિતાઈની ચીજ નથી. ભગવાન ચૈતન્યહીરા - જેમ હીરો પ્રકાશે છે તેના પ્રકાશનો આધાર હીરો છે, એમ ચૈતન્યહીરો એના પ્રકાશનો (આધાર ચેતન આત્મા છે). ગાથા-૯૦ માં આવી ગયું ને...! અંતર્મુખ અને બહિર્મુખ પ્રકાશવાળું એમ આવ્યું હતું. ઈ તો (એ તો ) પોતાનો સ્વભાવ જ એવો છે! અંતર્મુખ (એટલે) પોતાનો અને બહિર્મુખ (એટલે) પર, બેયને જાણવાના સ્વભાવવાળું (ચૈતન્ય) છે. એવું આ ચૈતન્ય અને જ્ઞાયક, તેની પૂર્ણ પ્રાપ્તિ માટે સર્વ પદાર્થોને (દ્રવ્ય-ગુણ-પર્યાય સહિત જાણે છે.) હવે આવા (ચૈતન્યનો સ્વભાવ) સર્વ પદાર્થોને જાણવાનો છે. (સાધક ) છત્મસ્થ છે, સમ્યગ્દષ્ટિ છે. જ્ઞાનતત્ત્વનો નિર્ણય કર્યો છે. તો એ જ્ઞાનતત્ત્વ તો જાણનાર છે એટલે જાણનારું છે (તો) એ સર્વ પદાર્થોને જાણવા માટે ( પુરુષાર્થશીલ) છે. સર્વ પદાર્થોને દ્રવ્ય-ગુણ-પર્યાય સહિત જાણે છે. આહા.... હા..! વજન આહીં છે, “સર્વ પદાર્થોને” (જાણે છે). અરે! મતિ અને શ્રુતજ્ઞાનમાં (જ્યાં) આત્મા જણાણો કે આ જ્ઞાયકભાવ ચેતનને આધારે છે એ જીવ પૂર્ણ-સર્વ પદાર્થોને પૂર્ણપણે (દ્રવ્ય-ગુણ-પર્યાય સહિત) જાણવાની ઈચ્છક છે..! એટલે કે કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરવાની ઈચ્છક છે..! છે..? (પાઠમાં) તેની સિદ્ધિને અર્થે શયતત્ત્વને જાણવાનો ઈચ્છક. એટલે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે (ઈચ્છક ) સર્વ પદાર્થોને દ્રવ્ય-ગુણ-પર્યાય સહિત જાણે છે. “કે જેથી મોહાંકુરની બિલકુલ ઉત્પત્તિ થાય.” રાગના વિકલ્પની પણ ઉત્પત્તિ ન થાય એ રીતે પોતાના સ્વભાવને પર્યાયમાં પરિપૂર્ણ પ્રગટ કરવાનો કામી સર્વ પદાર્થોને જાણવા ઈચ્છક (જીવ) દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે છે (ક) જેથી મોહાંકુરની બિલકુલ ઉત્પત્તિ ન થાય. વીતરાગતા અને કેવળજ્ઞાન થાય. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008295
Book TitlePravachana sara Pravachano
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages549
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy