SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૮ પ્રવચનસાર પ્રવચનો ૧૫૩ (અહીંયાં કહે છે કે, “જેમ કે દ્વિ-અણુક વગેરે તથા મનુષ્ય વગેરે.” બે અણુ, ત્રણ - પરમાણુ ઉત્પન્ન થાય એ પર્યાય છે ઈ એના દ્રવ્યની પર્યાય છે. (ધરૂપની) મનુષ્યપણું ધ્યું તો એના પરમાણુ દ્રવ્યની એ જડની (પરમાણુની) પર્યાય છે. આ મનુષ્યપણું ઉત્પન્ન થયું છે એ જડની પર્યાય છે. “કાદાચિત્કપણાને લીધે પર્યાય છે.” આ પર્યાય (મનુષ્યપણાની) એમ ને એમ રહે સદાય રહે એમ નહીં. આહા... હા..! બહુ નાનું છે...! બે પરમાણુ (લઈને ) અનંત પરમાણુ સુધીના (સ્કંધની) ઉત્પત્તિ તે એ (પરમાણુ ) દ્રવ્યથી થાય છે. આહા... હા..! બીજા આત્માથી નહીં. આ (શરીર છે મનુષ્યનું) એ અનંત પરમાણુથી ઉત્પન્ન થયેલી આ પર્યાય છે, એ પરમાણુથી ઉત્પન્ન થયેલ છે. આત્માથી ઉત્પન્ન થયેલ નહીં.” જે દ્રવ્યોથી ઉત્પન્ન થાય છે તે તો દ્રવ્યાંતર નથી.” પર્યાય હો, કાદાચિત્ક છે ને....! પર્યાય સદાય થાતી નથી. (મનુષ્યપણારૂપ) જીવની પર્યાય સદાય થાતી નથી. જીવની પર્યાય કદાચિત્ એટલે જે સમયે જ્યાં હોય (મનુષ્ય, દેવ, તિર્યંચ, નારકમાં) ત્યાં થાય એમ. કદાચિત્યનો અર્થ કદાચિત (છે). પણ (દ્રવ્યમાં) પર્યાય તો સદાય થાય છે, પણ એ પર્યાય (મનુષ્ય, દેવ, આદિ) તે સમયની હોય ત્યારે (ત્યાં) થાય છે એમ કદાચિત (કહ્યું છે). આહા.... હા.... હા...! ઘણું સમાવ્યું છે ઘણું સમાવ્યું પ્રભુ...! ઓહોહો..! (હવે કહે છે કે દ્રવ્ય તો અનવધિ (મર્યાદા વિનાનું), ત્રિસમય-અવસ્થાયી (ત્રણે કાળ રહેનારું) હોવાથી ઉત્પન્ન ન થાય.” આહા.... હા..! ત્રિ-સમય અવસ્થાયી છે. (દ્રવ્ય) ત્રિ-સમય અવસ્થાયી. શું કહે છે. પર્યાય છે ઈ તો કદાચિત્ ઉત્પન્ન થાય છે. અને વસ્તુ છે (દ્રવ્ય) તે ત્રિકાળ છે. આહા... હા..! ભાઈ ! આવું હતું ત્યાં ક્યાંય? ક્યાંય નથી. બીજે વેપાર ધંધા છે. આહા.. હા..! શું તત્ત્વની ઝીવણવટની સ્થિતિ..! આહા..! “દ્રવ્ય તો અવધિ” છે. ઉત્પન્ન થાય તે તે પર્યાય છે, કદાચિત છે તે તે સમયે ઉત્પન્ન થાતી છે. એ પર્યાય સદાય ઉત્પન્ન થાય એમ નથી. આહા... હા...! “હવે એ રીતે જેમ દ્રવ્ય સ્વભાવથી જ સિદ્ધ છે, તેમ “(તે) સત્ છે” એવું પણ તેના સ્વભાવથી જ સિદ્ધ થાય છે.” “સત્” છે એ પણ દ્રવ્યથી ઉત્પન્ન થયેલું છે નવું એમ નથી. દ્રવ્ય છે એમ સત્ પણ છે. આહ... હા..! “એમ નિર્ણય હો.” જેમ દ્રવ્ય છે તેમ સત્ સત્તા પણ છે. એમ નિર્ણય હો. “કારણકે સત્તાત્મક એવા પોતાના સ્વભાવથી નિષ્પન્ન થયેલા ભાવવાળું છે (- દ્રવ્યનો સત્ છે એવો ભાવ દ્રવ્યના સત્તાસ્વરૂપ સ્વભાવનો જ બનેલો - રચાયેલો છે). એ સ્વભાવ ને સત્ એ બે જુદાં નથી. કે આ દ્રવ્યથી સત્તા-સત્ ઉત્પન્ન થયેલું છે. એમ પણ નથી. દ્રવ્યથી સત્ કોઈ જુદું છે એમ નથી. જેમ દ્રવ્ય અનાદિઅનંત છે તેમ “સ” તેની સાથે અભેદ છે. આહા... હા..! વિશેષ કહેવાશે....... Please inform us of any errors on rajesh@ Atma Dharma.com
SR No.008295
Book TitlePravachana sara Pravachano
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages549
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy