SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪-જ્ઞાનશક્તિ : ૨૯ નહિ હોવાથી જ્ઞાન અરૂપી અનાકાર-નિરાકાર જ છે. તો સાકાર કેવી રીતે છે? અહાહા..! જ્ઞાનમાં સ્વ-પર સહિત ચેતન-અચેતન સમસ્ત પદાર્થોને વિશેષપણે આકારો સહિત જાણવાનું વિશેષ-અસાધારણ સામર્થ્ય છે તેથી તે સાકાર છે. આ પ્રમાણે -પુદ્ગલની જેમ મૂર્તિક નહિ હોવાથી જ્ઞાન નિરંજન નિરાકાર-અનાકાર છે. -અરૂપી આકાર-ક્ષેત્ર સહિત હોવાથી સાકાર છે, પણ એ વાત અહીં નથી. -સ્વ-પર-દ્રવ્ય-ગુણપર્યાય સહિત સમસ્ત પદાર્થોને વિશેષપણે ભિન્ન ભિન્ન જાણવાના અસાધારણ સામર્થ્ય સહિત છે માટે જ્ઞાન સાકાર છે એમ અહીં વાત છે. અહા! ભેદને વિષય નહિ કરતી હોવાથી દર્શનશક્તિ અનાકાર ઉપયોગમયી છે, અને ભેદ-અભેદ સર્વને જાણી લેતું હોવાથી જ્ઞાન સાકાર છે. અહો ! જ્ઞાનની કોઈ અચિંત્ય અદ્દભુત લીલા છે. અહા ! સ્વાભિમુખ જ્ઞાનનો ઉપયોગ પોતાને જાણે છે, ત્રિકાળી ધ્રુવને જાણે છે, સાથે એના અનંતા ગુણોને ને અનંતી પર્યાયોને જાણે છે, અંતરંગમાં પ્રગટ થયેલી અતીન્દ્રિય આનંદની લહરને પણ જાણે છે. ભલે શ્રુતજ્ઞાનનો ઉપયોગ હોય, શ્રુતજ્ઞાનની પર્યાયનું પણ સામર્થ્ય એટલું છે કે તે પોતાના ત્રિકાળી દ્રવ્યને, ત્રિકાળી ગુણોને અને પોતાની અનંત પર્યાયોને જાણે છે અને અનંતા પર દ્રવ્ય-ગુણ-પર્યાયને-બધાને જ્ઞાનની પર્યાય જાણી લે છે. અહાહા...! જાણવાનો જેનો અક્ષય અપરિમિત સ્વભાવ છે તે કોને ન જાણે? અહાહા...! જ્ઞાન પોતે પોતામાં જ સ્થિત રહીને સર્વને જાણી લે છે. અહા ! આવી સાકાર ઉપયોગમયી જીવમાં જ્ઞાનશક્તિ ત્રિકાળ છે. અહા! આવી શક્તિવાળા શક્તિવાન આત્માનો મહિમા લાવી અંતરમાં એની રૂચિ કરે તેને કેવળજ્ઞાનની શંકા રહે નહિ. ભાઈ ! તારો આત્મા તો અક્ષય અપરિમિત જ્ઞાનસ્વભાવનો સમુદ્ર છે. અહાહા..! તેમાંથી નિરંતર જ્ઞાનની પર્યાયો –લહરો ઉઠયા કરે એવું તેનું સામર્થ્ય છે. સાદિ-અનંતકાળ પર્યત તેમાંથી કેવળજ્ઞાન નીકળ્યા જ કરે તોય જ્ઞાન સ્વભાવમાં કાંઈ ક્ષતિ ન થાય એવું તારા કેવળજ્ઞાનસ્વભાવનું અચિંત્ય સામર્થ્ય છે. ભાઈ ! તું અંદર જો તો ખરો; તત્કાલ તને તેની ચિ-પ્રતીતિ થશે. અહાહા..! દર્શનશક્તિ જરા સૂક્ષ્મ છે. દર્શનશક્તિની પર્યાયમાં દ્રવ્ય-ગુણ-પર્યાય સહિત સ્વ-પર સર્વને દેખવાનું કાર્ય થાય છે, પણ દર્શનશક્તિનો ઉપયોગ સાકાર નથી. આ જ્ઞાનશક્તિ છે તે સાકા સ્વદ્રવ્ય, ત્રિકાળી જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અનંત ગુણ અને પોતાની અનંતી પર્યાય અને તે સિવાય અનંતા પર દ્રવ્ય-ગુણ-પર્યાય એ બધું જ એક સમયમાં સાકાર નામ વિશેષપણે જાણવારૂપ પરિણમન કરે એવું અદ્દભુત આ જ્ઞાનશક્તિનું કાર્ય છે. આવો ઝીણો મારગ ! હા, પણ આવું જ્ઞાન પ્રગટ કેમ થાય? બહુ શાસ્ત્ર ભણે તો થાય ખરું ને? ' અરે ભાઈ ! જ્ઞાન તો આત્માની નિજશક્તિ છે. હવે નિજશક્તિને જાણી શક્તિવાન ત્રિકાળી ધ્રુવ દ્રવ્યમાં દૃષ્ટિ સ્થાપિત કરે ત્યારે શક્તિ સ્વયં પરિણમી જાય છે, પર્યાયમાં વ્યક્ત થાય છે. જ્ઞાનશક્તિનું પરિણમન કયાંય બહારથીશાસ્ત્રમાંથી કે દેવ-ગુરુ આદિમાંથી નથી આવતું. અહા ! મહામહિમાવંત જ્ઞાનશક્તિવાળા આત્માની દૃષ્ટિ કર્યા વિના એકલા પરલક્ષે શાસ્ત્ર કોઈ ભણી જાય તોય શું? એથી કાંઈ શક્તિનું કાર્ય જે સમ્યજ્ઞાન તે પ્રગટતું નથી. શાસ્ત્ર તો બાપુ! નિમિત્ત માત્ર છે. તેય કોને? જે અંતર-અવલંબને પરિણમે તેને. જે સ્વસ્વરૂપનું આલંબન લે નહિ તેને શાસ્ત્ર શું કરે? કાંઈ જ ન કરે. સમજાણું કાંઈ..? જુઓ, અભિવિને જ્ઞાનની પરિણતિ નથી અહાહા..! અનેક શાસ્ત્ર ભણે, અગિયાર અંગ ભણે તોય ભવિને જ્ઞાનની પરિણતિ નથી. ઝીણી વાત છે ભાઈ ! અવિને જ્ઞાનનો ક્ષયોપશમ છે, પણ અભવ્યત્વરૂપ અયોગ્યતા છે ને? મિથ્યાદષ્ટિ છે ને? તેથી તેને જ્ઞાનની પરિણતિ નથી, તેને શુદ્ધજ્ઞાનમય આત્માનું જ્ઞાન-શ્રદ્ધાન ઉદય પામતું નથી. જ્ઞાનની પરિણતિ તો શુદ્ધ સમ્યગ્દષ્ટિને જ હોય છે. એમ તો જ્ઞાનની પર્યાયમાં અજ્ઞાનીને પણ આત્મદ્રવ્ય જાણવામાં આવે છે. આવો ૧૭-૧૮ ગાથામાં પાઠ છે. જ્ઞાનગુણ તો ત્રિકાળ ધ્રુવ છે, તેમાં જાણવાનું કાર્ય થતું નથી, જાણવાનું કાર્ય પર્યાયમાં થાય છે. તો જાણવાની પર્યાયમાં અજ્ઞાનીને પણ સ્વદ્રવ્ય જાણવામાં આવે છે, પણ તેની દ્રવ્ય ઉપર દૃષ્ટિ નથી, તેની પર્યાય અને રાગ ઉપર જ દષ્ટિ છે. તેથી પર્યાય ને રાગ હું છું એમ તે જાણે છે, માને છે. આ રીતે શાસ્ત્ર ભણવા છતાં અંતઃદષ્ટિ વિના અજ્ઞાનીને શાસ્ત્ર ભણવાનો લાભ થતો નથી. આવી વાત ! સમજાણું કાંઈ...? Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008292
Book TitlePravachana Ratnakar 11
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy