SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૨૭ર : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ મિથ્યાષ્ટિ જે નવમી રૈવેયક જાય છે અને શુકલ લેશ્યાના પરિણામ હોય છે, પણ એ કાંઈ ચીજ નથી. કૃષ્ણ, નીલ, કપોત, પીત, પદ્મ, ને શુકલ એ બધી જ વેશ્યાઓ રાગભાવ છે, ક્લેશભાવ છે; શુકલ લેશ્યા પણ કષાયના રંગથી જ રંગાયેલી છે. લોકો પ્રશસ્ત રાગને ભલો માને છે ને? પણ એ તો એને અશુભની અપેક્ષા પ્રશસ્ત કહ્યો છે, બાકી એ પણ એપ્રશસ્ત જ છે, એની (પ્રશસ્ત રાગની) રુચિમાં તો એને આખો આત્મા દૂર થઈ ગયો છે. સમજાય છે કાંઈ...! ‘ક્રિયાના સમસ્ત ફળને’ એમ શબ્દો છે ને? મતલબ કે જેટલા રાગદ્વેષ ઉત્પન્ન થાય છે એટલું તે કાળે ત્યાં દુ:ખ ભોગવે છે. અહા ! આત્માનો અનુભવ છે નહિ, સ્વભાવ સન્મુખતા છે નહિ, સ્વભાવથી વિમુખતા છે, ને રાગની-વિભાવની સન્મુખતા છે તો તેને તે કાળે રાગનું-દુઃખનું વેદન છે એમ કહે છે. આ બધા ધનપતિ-ધૂળપતિ છે ને? એ બધા રાગ-દ્વેષનું-ઝેરનું વેદન કરે છે. એમાં મઝા માને છે એ તો મૂઢપણું ને પાગલપણું છે. જેમ ઉનાળાનો સખત ગરમીનો દિવસ હોય, અને બાળકને એની માતાએ દૂધ બહુ પીવડાવી દીધું હોય તો પછી તે બાળકને પાતળા દસ્ત થાય છે, એ દસ્તને બાળક હાથ અડાડે એટલે તે ઠંડો લાગે તેથી બાળક તેને ચાટવા લાગે છે, બસ એની જેમ અજ્ઞાની રાગદ્વેષ ઉત્પન્ન કરીને તેમાં મઝા માને છે. આવી વાત ! સમજાણું કાંઈ.? આ તો એનું પાગલપણું જ છે. અહા! રાગનું એકત્ર કરવાથી રાગની ક્રિયા ઉત્પન્ન થાય છે, અને એનું ફળ એ જ સમયે દુઃખને ભોગવે છે, દુ:ખને ભોગવતાં ખેદખિન્ન થાય છે. આટલી અજ્ઞાનની ક્રિયાની વાત કરી, હવે ગુલાંટ ખાય છે; જ્ઞાનની વાત કરે છે. ‘તત વિજ્ઞાન–વન–ઈ–મન' તે અજ્ઞાન હવે વિજ્ઞાનઘનના ઓઘમાં મગ્ન થયું (અર્થાત જ્ઞાનરૂપે પરિણમ્ય) ‘અધુના હિત વિશ્ચત ન વિશ્ચિત તેથી હવે તે બધું ખરેખર કાંઈ જ નથી. જુઓ શું કીધું? દૃષ્ટિએ જ્યાં પલટો ખાધો ત્યાં અંદરમાં હું રાગ છું એવી જે બુદ્ધિ હતી તે મટી બુદ્ધિ વિજ્ઞાનઘન થઈ ગઈ. હું વિજ્ઞાનઘન આત્મા જ છું એવી દષ્ટિ થતાં સમ્યગ્દર્શન થયું, અજ્ઞાન હવે વિજ્ઞાનઘનના ઓઘમાં સમાઈ ગયું, દ્રવ્યમાં અંદર પરિણામિકભાવે ભળી ગયું. રાગ ઉદયભાવ છે, એનો વ્યય થતાં તે અંદર રાગ સ્વરૂપે દ્રવ્યમાં ગયો એમ નહિ, પણ તે યોગ્યતારૂપે પરિણામિકભાવ થઈને દ્રવ્યમાં ભળી ગયો એમ વાત છે. અજ્ઞાનની ક્ષયોપશમ દશા હો કે સમ્યજ્ઞાનની ક્ષયોપશમ પર્યાય હો, એ નાશ થઈને કયાં ગઈ ? તો કહે છેજેમ જળના તરંગ જળમાં ડૂબે છે તેમ અજ્ઞાનની કે જ્ઞાનની પર્યાય વ્યય પામી અંદરમાં ગુડપ થઈ જાય છે. રાગની પર્યાય હો કે અજ્ઞાનની પર્યાય હો, તે પર્યાય સત છે, અને તેનો વ્યય થતાં અંદર દ્રવ્યમાં યોગ્યતારૂપે ગુડપ થઈ જાય છે; જે એમ ન હોય તો સનો અભાવ થઈ જાય, ને અભાવ થઈ જાય તો અંદરમાં યોગ્યતા ન રહે. અહીં કહે છે – તે અજ્ઞાન હવે વિજ્ઞાનઘનના ઓઘમાં મગ્ન થયું, અર્થાત અજ્ઞાનનો વ્યય થઈને સમ્યજ્ઞાન થયું. પહેલાં દષ્ટિ વિપરીત હતી તે પલટીને દ્રવ્યની દૃષ્ટિ થઈ ત્યાં હું વિજ્ઞાનઘન પરમ પ્રભુ છું એવું દષ્ટિ-જ્ઞાનનું પરિણમન થઈ ગયું. પરિણમન હાં, વિકલ્પ નહિ. હું શુદ્ધ છું, બુદ્ધ છું ઇત્યાદિ વિકલ્પ રહે ત્યાં સુધી તો સમ્યગ્દર્શન નથી. આ વાત કર્તાકર્મ અધિકારમાં આવી ગઈ છે. આ તો દ્રવ્યની એકપણાની દૃષ્ટિ થઈ ત્યાં રાગની પર્યાયના કારકો છૂટી નિર્મળ પર્યાયના કારકો ઊભા થયા. દષ્ટિ પલટી, દિશા પલટી, ને આત્મા આનંદમાં લીન થયો. સવારમાં પ્રશ્ન હતો ને કે સમ્યગ્દર્શન કેમ થાય? લ્યો, સમાધાન એમ છે કે-રાગની રુચિ પલટીને નિજ વિજ્ઞાનઘન સ્વરૂપનાં મહિમા અને રુચિ કરી દૃષ્ટિ અંદરમાં લઈ જતાં સમ્યગ્દર્શન થાય છે. પહેલામાં પહેલું આ કર્તવ્ય છે; આ વિના બધું એકડા વિનાનાં મીંડાં છે. તે અજ્ઞાન વિજ્ઞાનઘનસ્વભાવમાં મગ્ન થયું, એટલે અજ્ઞાન ન રહ્યું, અંદરમાં યોગ્યતારૂપ થઇ દ્રવ્યમાં ગયું. અંદરમાં અજ્ઞાન રહે અને તે જ્ઞાન થાય એમ બને નહિ. અહા ! રાગની એકતા એ તો આત્મઘાત છે; એમાં તો આત્માનું મૃત્યુ થાય છે. વિજ્ઞાનઘન પ્રભુ આત્માને રાગવાળો માનવો, અર્થાત્ હું રાગ છું એમ માનવું એ તો ભાવમરણ છે, કેમકે એમાં પોતાના ચૈતન્યસ્વરૂપનો ઇન્કાર થયો ને! ચૈતન્યનો ઇન્કાર એ એની હિંસા છે, ને એ ભાવમરણ છે. અહા ! રાગથી મને લાભ છે એવી દ્રષ્ટિમાં પ્રભુ! તારું ક્ષણે ક્ષણે ભાવમરણ થઈ રહ્યું છે. શ્રીમમાં આવ્યું છે ને કે “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો!' ભાઈ, પરમાં ને રાગમાં સુખ માનતાં તારા સુખનો નાશ થાય છે એ તો જો. આ અવસર પૂરો થઈ જશે ભાઈ ! દેહ ફૂ થઈ જશે, ને તું કયાંય ચાલ્યો જઈશ, ને ક્ષણક્ષણનું ભાવમરણ ચાલ્યા જ કરશે. (જો આત્મદષ્ટિ હમણાં જ ના કરી તો). અહાહા...! અનાદિથી જીવ રાગમાં પોતાપણું માનતો હતો તે હવે ગુલાંટ મારી જ્યાં દ્રવ્યસ્વભાવની દષ્ટિ કરી Please inform us of any errors on [email protected]
SR No.008292
Book TitlePravachana Ratnakar 11
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy