SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કળશ-૨૭૪ : ર૬૩ છે તેની વાત કરે છે: ‘: કૃષીય-રુત્તિ: રત્નતિ' એક તરફથી જોતાં કષાયોનો ક્લેશ દેખાય છે અને “અછત: શાન્તિ: સ્તિ' એક તરફથી જોતાં શાંતિ (કષાયોના અભાવરૂપ શાંત ભાવ) છે; જુઓ, પર્યાયમાં રાગાદિ છે તે કષાયોની ભડભડતી ભટ્ટી છે, ક્લેશ છે. જો રાગાદિ ન હોય તો પરમ અનાકુળ સિદ્ધ દશા હોય. પણ પર્યાયને જોતાં કપાયોની આકુળતા ને ક્લેશ દેખાય છે; અને એક તરફથી અર્થાત દ્રવ્યની દૃષ્ટિથી જોતાં શાંતિ-કષાયોના અભાવસ્વરૂપ શાંતભાવ છે. નિજ અકષાય સ્વભાવની દૃષ્ટિથી જોતાં શાંતિનો પિંડ પ્રભુ આત્મા છે એમ દેખાય છે, તેને દેખનારી દષ્ટિ પણ કષાયના અભાવરૂપ શાંતભાવમય છે. આવું અદ્ભુત સ્વરૂપ છે. હવે કહે છે “veત: ભવ-સંપત્તિ:' એક તરફથી જોતાં ભવની (–સંસાર સંબંધી) પીડા દેખાય છે અને “પુછત: મૂવિત્ત: કરિ સ્મૃતિ ' એક તરફથી જોતાં (સંસારના અભાવરૂપ) મુક્તિ પણ સ્પર્શે છે.... જોયું? પર્યાયમાં નર-નારકાદિ ગતિ છે, તે સંબંધીના રાગથી જીવ હણાય છે, પીડાય છે. આમ પર્યાયથી જુઓ તો નર-નારકાદિ ગતિ સંબંધી પીડા દેખાય છે, અને એક તરફથી અર્થાત્ દ્રવ્યના સ્વભાવથી જુઓ તો દ્રવ્ય તો ભવના અભાવસ્વરૂપ મુક્ત છે એમ દેખાય છે. કોઈ કળશમાં આવે છે કે પર્યાયનું લક્ષ છોડી દે તો વસ્તુ મુક્ત જ છે. અહીં “મુક્તિને સ્પર્શે છે' એમ કહ્યું છે ને? મતલબ વસ્તુ જે મુક્તસ્વભાવી છે તેનો આશ્રય લેતાં આ મુક્ત હું છું એમ પર્યાયમાં ભાસે છે, લ્યો, આવો મહા અદ્દભુત આત્માનો સ્વભાવ છે. અહા! આ શરીર ઉપરથી દેખો તો જાણે સુંવાળું ચામડું હોય એવું દેખાય છે. એને જ અંદરના ભાગથી દેખો તો જુદા જ પ્રકારે ચામડું દેખાય છે. એની નીચે જુદાં જુદાં અંગનાં હાડકાં દેખાય છે, અને એમાં ભરેલો મળ-એને દેખો તો જાણે ગારો ભર્યો હોય. આ ચારેને જુદા પાડી એક તપેલામાં ભરી દેખો તો લાગે કે-અરરર! આવું શરીર! દેખીને ચક્કર આવે, ને ઉલટી થાય. ભાઈ, આવો આ દેહ-તેની સ્થિતિ, સંતો કહે છે, દોડતી મરણ સન્મુખ થઈ રહી છે. ભાઈ, જોતજોતામાં એની સ્થિતિ પૂરી થઈ જશે, અને તું કયાંય હાલ્યો જઈશ. આ શરીર ને તારે શું છે? કાંઈ જ સંબંધ નથી, એ તો બહારની ચીજ છે; એને જોવાનું છોડી દે, ને તારા અસ્તિત્વમાં શું છે તે જો. અહા ! સાધકદશામાં ધર્મીને એક બાજુ ભવ દેખાય છે તો બીજી બાજુ મુક્તિ દેખાય છે. એક બાજુ ગતિ દેખાય છે તો બીજી બાજુ ગતિ વિનાનો સ્વભાવ દેખાય છે. આવી સાધકદશા છે. મુક્તની સિદ્ધની આ વાત નથી. જુઓ, જૈનદર્શનનું તત્ત્વ કહો કે વસ્તુનું તત્ત્વ કહો, તે આવું અનેકાન્તમય છે. ભાઈ, જરા શાંતિ ને ધીરજથી વિચારે તો સમજાય એવું છે. વળી કહે છે-“છત: ત્રિતયમ્ ન{I[ રતિ' એક તરફથી જોતાં ત્રણ લોક સ્કુરાયમાન છે (-પ્રકાશે છે, દેખાય છે) અને ‘વત: રિત વાસ્તિ' એક તરફથી જોતાં કેવળ એક ચૈતન્ય જ શોભે છે. અહાહા..! જોયું? કહે છે–એક તરફથી અર્થાત્ પોતાની જ્ઞાનની દશામાં ભિન્ન ત્રણકાળ-ત્રણલોક-આખું વિશ્વ જણાય છે, અને એક તરફથી જોતાં, અંતર્મુખ જોતાં કેવળ એક ચૈતન્ય જ પ્રકાશે છે. પર્યાયમાં ત્રિકાળી દ્રવ્યને જોતાં એક ચૈતન્ય જ એના અસ્તિત્વમાં ભાસે છે; અહાહા...! ચિત્... ચિત્... ચિત્... ચિત્રમત્કાર જ કેવળ ભાસે છે, જગતનું અનંતપણું ભાસે છે એમ નહિ. અહાહા...! જાણનારના જ્ઞાનમાં, અર્થાત્ સાધકના જ્ઞાનમાં આમ બે પ્રકારે તત્ત્વ ભાસે છે. અહા ! અહીં એમ નથી લીધું કે એક બાજુ જુઓ તો કર્મ, શરીર, બાયડી-છોકરાં ને મહેલ-હજીરા દેખાય છે અને બીજી બાજુ આત્મા દેખાય છે; કેમકે એ કોઈ તો એના અસ્તિત્વમાં જ નથી. અહીં તો સ્વભાવથી પૂર્ણ ભરપુર એવી પોતાની વસ્તુનું ભાન થયું ત્યાં સાધકને ધર્મીને એક બાજુ વર્તમાન ભવ પીડાકારી ભાસે છે, અને બીજી બાજુ ભવ રહિત પોતાનો ભગવાન ભાસે છે. આવું જ્ઞાનમાં ભાસતાં એને નિશ્ચય થાય છે કે હવે ભવ અને ભવનો ભાવ રહેશે નહિ. અહા ! મેં દયા પાળી, ને વ્રત પાળ્યાં, ને દાન દીધાં એમ ધર્મી ન માને. વર્તમાન અલ્પ રાગ હોય તે ધર્મીને પરરૂપ ભાસે, ને ક્લેશરૂપ ભાસે. એમાં સ્વામિત્વ ન ભાસે. આવો માર્ગ છે. ‘માત્મન: મુતાત્ મુત: સ્વભાવ–મહિમા વિનયતે' (આવો) આત્માનો અદભુતથી પણ અદ્ભુત સ્વભાવ-મહિમા જયવંત વર્તે છે. (-કોઈથી બાધિત થતો નથી). અહી....! એક સમયની કલુષિતતા-બાધકભાવ પોતાથી છે, કોઈ અન્યથી બાધિત થતો નથી, ને એક સમયની Please inform us of any errors on [email protected]
SR No.008292
Book TitlePravachana Ratnakar 11
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy