SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કળશ-૨૬૬ : ૨૩૩ અહા ! સ્વરૂપની દૃષ્ટિ વિના, અજ્ઞાની જીવ એકલા રાગના રંગે રંગાયો છે. દયા, દાન, વ્રત, તપ ઇત્યાદિ રાગની ક્રિયાઓમાં તે રચ્યો રહે છે. તે રાગને જ દેખે છે, રાગને જ સર્જે છે, ને રાગને જ આચરે છે. તેને મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રનું જ આચરણ છે. ધર્મની ક્રિયાનું તો તેને ભારેય નથી. શુદ્ધ ચૈતન્યના આશ્રયે જે નિર્વિકલ્પ દશાઓ થાય તેની તો એને ગધેય નથી. તેને સ્વભાવનું ભવન જ નથી ને! એ તો એકાંતે રાગની ક્રિયાઓમાં ધામા નાખીને ત્યાં જ રમી રહ્યો છે. અહા ! અનેક ક્રિયાકાંડ કરવા છતાં તેને સંસાર-પરિભ્રમણ જ ઊભું રહે છે; તે સંસારમાં જ-૮૪ના અવતારોમાં જ –રખડે છે. અહા ! કર્મનું જોર છે માટે અજ્ઞાનીને સ્વરૂપનું અભવન છે એમ નથી. એની ઉંધી શ્રદ્ધાને લઈને એને સ્વરૂપનું અભવન છે. પોતાની ઉંધી શ્રદ્ધાનું જોર છે તેથી અજ્ઞાની રખડે છે. કર્મ માર્ગ આપે તો ધર્મ થાય એમ કર્મનાં ઉંધાં લાકડાં એનામાં ગરી ગયાં છે. એમ કર્મ-કર્મનું જોર માનીને એણે નિજ આત્મસ્વભાવનો ત્યાગ કરી દીધો છે. અરે ભાઈ, કર્મ છે, પણ એ તો જડ-ધૂળ બાપુ! એ તને શું કરે? તારી દષ્ટિ બદલ તો સૃષ્ટિ બદલાઈ જશે. એક વાર એક લૌકિકમાં પ્રસિદ્ધ સંત પુરુષ રાજકોટમાં અમારા વ્યાખ્યાનમાં આવેલા. ત્યારે કહેલું કે-પર જીવોની દયા પાળવાનો ભાવ તે રાગભાવ છે, શુભરાગ છે, બંધનું કારણ છે, તે ધર્મ નથી. વળી જે જીવ માને છે કે હું પરની દયા પાળી શકું છું તે મૂઢ છે. રાગમાં ધર્મ માને એય મૂઢ છે, ને પરની દયા પાળવાનું માને તેય મૂઢ છે. તેમને આ વાત જચી નહિ. પણ શું થાય? મિથ્યાભાવ તો અંતરના પુરુષાર્થથી જ મટે ને! સ્વરૂપને ભૂલી જવું તે ભૂલ છે, ને પોતાની ભૂલને લઈને જ જીવ સંસારમાં ભમે છે. “અપને કો આ૫ ભૂલ કે હેરાન હો ગયા.' રાગની ક્રિયામાં જે ધર્મ માની બેઠા છે તે મિથ્યાષ્ટિ અજ્ઞાની જીવો છે, ને તે ચાર ગતિમાં પરિભ્રમે છે. આવી વાત ! કળશ - ૨૬૬ હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: (વસન્તતિના) ये ज्ञानमात्रनिजभावमयीमकम्पां भूमिं श्रयन्ति कथमप्यपनीतमोहाः ।। ते साधकत्वमधिगम्य भवन्ति सिध्दा मूढास्त्वमूमनुपलभ्य परिभ्रमन्ति।। २६६ ।। શ્લોકાર્થ:- [] જે પુરુષો, [ મ પ માનીત–મોદ:] કોઈ પણ પ્રકારે જેમનો મોહ દૂર થયો છે એવા થયા થકા, [ જ્ઞાનમાત્ર-નિન–ભાવમયીમ્ કમ્પાં ભૂમિં] જ્ઞાનમાત્ર નિજભાવમય અકંપ ભૂમિકાનો (અર્થાત્ જ્ઞાનમાત્ર જે પોતાનો ભાવ તે-મય નિશ્ચળ ભૂમિકાનો) [ કયન્તિ] આશ્રય કરે છે, [તે સાધત્વ ધરખ્ય સિદ્ગા: મવત્તિ] તેઓ સાધકપણાને પામીને સિદ્ધ થાય છે; [1] પરંતુ [મૂઢી:] જેઓ મૂઢ (–મોહી, અજ્ઞાની, મિથ્યાષ્ટિ) છે, તેઓ [ અમૂમ અનુપનભ્ય ] આ ભૂમિકાને નહિ પામીને [પરિભ્રમન્તિ] સંસારમાં પરિભ્રમણ કરે છે. ભાવાર્થ- જે ભવ્ય પુરષો, ગુરુના ઉપદેશથી અથવા સ્વયમેવ કાળલબ્ધિને પામી મિથ્યાત્વથી રહિત થઈને, જ્ઞાનમાત્ર એવા પોતાના સ્વરૂપને પામે છે, તેનો આશ્રય કરે છે, તેઓ સાધક થયા થકા સિદ્ધ થાય છે; પરંતુ જેઓ જ્ઞાનમાત્ર એવા પોતાને પામતા નથી, તેઓ સંસારમાં રખડે છે. ર૬૬. * કળશ ૨૬૬: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ચે' જે પુરુષો, ‘થમ પિ પુનીત–મોદ:' કોઈ પણ પ્રકારે જેમનો મોહ દૂર થયો છે એવા થયા થકા, ‘જ્ઞાનમીત્ર–નિન–ભાવમયીમ કમ્પાં મૂન' જ્ઞાનમાત્ર નિજભાવમય અકંપ ભૂમિકાનો (અર્થાત્ જ્ઞાનમાત્ર જે પોતાનો ભાવ Please inform us of any errors on [email protected]
SR No.008292
Book TitlePravachana Ratnakar 11
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy