SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કળશ-ર૬૫ : ૨૧૭ જુઓ, આત્માને જ્ઞાનમાત્ર કહ્યો તેથી તે એકસ્વરૂપ જ છે એમ નહિ, પણ દ્રવ્યપર્યાયમય છે એમ વસ્તુને જેમ છે તેમ અનેકાન્તમય જાણવી. પ્રશ્ન- તો સમયસારની છઠ્ઠી ગાથામાં હું-આત્મા અપ્રમત્તેય નહિ ને પ્રમત્તેય નહિ-એમ કહ્યું છે ને? ઉત્તર:- હા, ત્યાં બીજી વાત છે. ત્યાં દષ્ટિનો વિષય એક જ્ઞાયક ભાવ બતાવવાનું પ્રયોજન છે. અહીં દષ્ટિ અને દૃષ્ટિનો વિષય-બને મળી એક ચૈતન્યવહુ આત્મા એમ પ્રમાણજ્ઞાન કરાવ્યું છે. તેથી કહે છે કે ચૈતન્ય પણ વસ્તુ છે, અને તે દ્રવ્યપર્યાયમય છે. આમાં અહીં નિર્મળ પર્યાયની વાત છે હોં, અશુદ્ધતા એ તો શક્તિનું પરિણમન નથી. હવે કહે છે “તે ચૈતન્ય અર્થાત્ આત્મા અનંત શક્તિઓથી ભરેલો છે. અને કમરૂપ તથા અક્રમરૂપ અનેક પ્રકારના પરિણામના વિકારોના સમૂહરૂપ અનેકાકાર થાય છે તો પણ જ્ઞાનને-કે જે અસાધારણ ભાવ છે તેને છોડતો નથી, તેનો સર્વ અવસ્થાઓ-પરિણામો-પર્યાયો જ્ઞાનમય જ છે. જોયું? કહે છે–આત્મા અનંત શક્તિઓથી ભરપુર ભરેલો છે. કેટલી ? તો કહે છે–જેને ગણતાં અનંતકાળેય પાર ન આવે એટલી અનંત શક્તિઓથી ભરપુર ભરેલો ભગવાન આત્મા છે. અહા! અનંત શક્તિમય જ ભગવાન આત્મા છે. જ્ઞાનને અંતરમાં વાળતાં અનંત શક્તિમય ભગવાન આત્મા અનુભવમાં આવે છે, ને સાથે શક્તિઓ નિર્મળપણે ઊછળે છે–પરિણમે છે. આમ નિર્મળ નિર્મળ પરિણમતાં કેવળજ્ઞાન થાય ત્યારે અનંત શક્તિઓને તથા અસંખ્ય પ્રદેશોને ભિન્ન ભિન્ન કરીને પ્રત્યક્ષ જાણે. માટે હું ભાઈ, તારી અનંત ચૈતન્ય સંપદાને. સાક્ષાત્ દેખવી હોય તો તારા જ્ઞાનને રાગથી છૂટું કરીને અંદર સ્વભાવમાં વાળ, સ્વભાવમાં અંતર્લીન થઈને જાણતાં અનંત ચૈતન્ય સંપદા સાક્ષાત્ જણાઈ જાય છે. જુઓ, વેદાંતવાળા અદ્વૈત બ્રહ્મ-એક જ આત્મા-બ્રહ્મ છે એમ કહે છે, તેઓ ગુણ-પર્યાયોને સ્વીકારતા નથી. આત્માનો અનુભવ એ વળી શું? એમ દ્રવ્ય-પર્યાયરૂપ અનેકાન્તમય વસ્તુને માનતા નથી. પરંતુ તેમની એવી માન્યતા મિથ્યા છે, કેમકે વસ્તુમાં આત્મામાં અક્રમવર્તી ગુણો ને ક્રમવર્તી પર્યાયો સદાય વર્તે છે. વાસ્તવમાં અમે વર્તતા ગુણો ને કેમ વર્તતી પર્યાયો-એ બેના સમુદાયરૂપ જ ચૈતન્યવહુ આત્મા છે. અહા ! આવા આત્માના અનંત ગુણમાં જ્ઞાન એક અસાધારણ ભાવ છે જે સ્વને અને પરને સર્વને ભેદ પાડીને જાણે છે. આ જ્ઞાનભાવ વડ આત્માની બધી અવસ્થાઓ-પર્યાયો જ્ઞાનમય જ છે. આવી વાત ! સમજાણું કાંઈ...? આ અનેકસ્વરૂપ-અનેકાંતમય-વસ્તુને જેઓ જાણે છે, શ્રદ્ધા છે અને અનુભવે છે, તેઓ જ્ઞાનસ્વરૂપ થાય છે”—એવા આશયનું, સ્યાદ્વાદનું ફળ બતાવતું કાવ્ય હવે કહે છે: (વસન્તતિનવI) नैकान्तसङ्गतदशा स्वयमेव वस्तुतत्त्वव्यवस्थितिमिति प्रविलोकयन्तः। स्याद्वादशुध्दिमधिकामधिगम्य सन्तो ज्ञानीभवन्ति जिननीतिमलञ्चयन्तः।। २६५।। શ્લોકાર્થ - [તિ વસ્તુ-તત્ત્વ-વ્યવરિથતિમ્ નૈકાન્ત–સત–શા સ્વયમેવ વિનોયન્ત:] આવી (અનેકાંતાત્મક) વસ્તુતત્ત્વની વ્યવસ્થિતિને અનેકાંત-સંગત (–અનેકાંત સાથે સુસંગત, અનેકાંત સાથે મેળવાળી) દષ્ટિ વડે સ્વયમેવ દેખતા થકા, [ ચા-શુદ્ધિક્ ધિામ ધાખ્ય] સ્યાદ્વાદની અત્યંત શુદ્ધિને જાણીને, [ નિન-નીતિમ યન્ત:] જિનનીતિને (જિનેશ્વરદેવના માર્ગને) નહિ ઉલ્લંઘતા થકા, [ સન્ત: જ્ઞાનીમવત્તિ ] સપુરુષો જ્ઞાનસ્વરૂપ થાય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008292
Book TitlePravachana Ratnakar 11
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy