SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કળશ-ર૬૪ : ૨૧૫ જુઓ ધર્માત્માની આ સૂક્ષ્મ તત્ત્વદષ્ટિ! જેમ ભેંસનો પતિ પાડો હોય તેમ, કહે છે, જડનો પતિ જડ જ હોય. પણ હું તો એક જ્ઞાયક ભાવ છું, ને જ્ઞાયક જ રહીશ અર્થાત્ જ્ઞાયકના સ્વામીપણે જ રહીશ. લ્યો, આવી વાત! ધર્મી જીવ માત્ર પોતાના સ્વ-સ્વભાવમાં જ સ્વ-સ્વામિત્વ જાણે છે, શરીર, કર્મ, કે રાગાદિ સાથે સ્વ-સ્વામિત્વ સ્વીકારતા નથી. ધર્મીને વર્તમાન દશામાં કિંચિત રાગ છે, પણ તેના અભિપ્રાયમાં “રાગ તે હું’ એવી રાગની પકડ નથી; “એક જ્ઞાયક ભાવ જ હું-એવી સ્વભાવની જ પકડ છે. સમ્યગ્દષ્ટિનો સ્વ-સ્વામિત્વ સંબંધ પોતાના સ્વરૂપમાં જ સમાય છે. તેથી નિર્મળ ત્રિકાળી દ્રવ્ય-ગુણ અને તેની નિર્મળ, પવિત્ર પરિણતિ-એ ત્રણે જે પોતાનો ભાવ છે તે તેનું સ્વ છે, ને તેનો જ તે સ્વામી છે. જ્ઞાની ધર્માત્મા પુરુષને “રાગ મારું સ્વ ને રાગનો હું સ્વામી ' એવો સંબંધ છે જ નહિ. તેને વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ આવે છે, પણ તે જ્ઞય-જ્ઞાયકરૂપ વ્યવહારના સંબંધમાં જાય છે. રાગ તે પરય છે, પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય તે સ્વજ્ઞય છે; શુદ્ધ આત્મદ્રવ્ય સ્વજ્ઞય છે, તે ઉપાદેય છે, ને રાગ પરય છે, તેનો ધર્મી જીવ જ્ઞાતા માત્ર છે. રાગ પરશેય–બસ એટલો વ્યવહાર સંબંધ છે, તેની સાથે હવે ધર્મીને બીજો કોઈ સંબંધ નથી. અહાહા...! અંદર મીઠો મહેરામણ અમૃતનો નાથ પ્રભુ આત્મા ફૂલે છે, તેમાંથી અમૃત ઝરે છે તેનો સ્વાદ કર; રાગ છે એ તો ઝેરનો સ્વાદ છે, જ્ઞાની તેના સ્વાદના સ્વામી થતા નથી. જુઓ, રત્નત્રયના નિર્મળ પરિણામ તે મારું સ્વ ને હું તેનો સ્વામી, એક જ્ઞાયક ભાવ તે મારું સ્વ, ને હું તેનો સ્વામી-એમ સ્વ-સ્વામીરૂપ ભેદ-વિકલ્પની આ વાત નથી. વાસ્તવમાં ધર્મીને દ્રવ્ય-પર્યાયની એકતારૂપ પરિણમન થયું છે એની આ વાત છે. પોતે પોતાના સ્વભાવ સાથે જ સંબંધ રાખીને તેનાથી જ એક્તારૂપે પરિણમે, તેમાં જ લીનતા કરી પરિણમે એવો આત્માનો સ્વભાવ છે, ને તે જ એની શોભા છે, સુંદરતા છે. પરના સંબંધથી આત્માને ઓળખવો એ તો કલંક છે; લૌકિકમાં પણ એને કલંક કહે છે, માટે હે ભાઈ ! પરના સંબંધથી વિરિત્ત થઈને તારા એક જ્ઞાયક ભાવમાં જ એકત્વ કર. એક જ્ઞાયક ભાવમાં એકત્વ પામતાં અંદર નિર્મળ રત્નત્રય પાકશે. તે તારો સ્વ-ભાવ છે, ને તે તેનો સ્વામી છો. આ સિવાય બીજા કોઈ સાથે તારે સ્વ-સ્વામીપણાનો સંબંધ છે નહિ. લ્યો, આવી વાત! આ પ્રમાણે છેલ્લી આ સંબંધશક્તિનું વર્ણન પૂરું થયું. * કળશ - ૨૬૪ ઇત્યાદિક અનેક શક્તિઓથી યુક્ત આત્મા છે તો પણ તે જ્ઞાનમાત્રપણાને છોડતો નથી” –એવા અર્થનું કળશરૂપ કાવ્ય હવે કહે છે: (વસન્તતિનવેT) इत्याद्यनेकनिजशक्तिसुनिर्भरोऽपि यो ज्ञानमात्रमयतां न जहाति भावः । एवं क्रमाक्रमविवर्तिविवर्तचित्रं तद्रव्यपर्ययमयं चिदिहास्ति वस्तु।। २६४।। શ્લોકાર્થ- [ રૂત્યાદ્રિ–અનેર–નિન-શ$િ–સુનિર્મર: ]િ ઇત્યાદિ (-પૂર્વે કહેલી ૪૭ શક્તિઓ વગેરે વગેરે) અનેક નિજ શક્તિઓથી સારી રીતે ભરેલો હોવાં છતાં [ ૫: ભાવ: જ્ઞાનમાત્રમયતાં જ નંદાતિ] જે ભાવ જ્ઞાનમાત્રમયપણાને છોડતો નથી, [ત૬] એવું તે, [gā – મ–વિવર્તિ-વિવર્ત–વિત્ર ] પૂર્વોક્ત પ્રકારે કમરૂપે અને અક્રમરૂપે વર્તતા વિવર્તથી (-રૂપાંતરથી, પરિણમનથી) અનેક પ્રકારનું, [p–પર્યયમવું] દ્રવ્યપર્યાયમય [ વિદ્] ચૈતન્ય (અર્થાત્ એવો તે ચૈતન્યભાવ-આત્મા) [ રૂદ] આ લોકમાં [ વસ્તુ બસ્તિ ] વસ્તુ છે. ભાવાર્થ:- કોઈ એમ સમજશે કે આત્માને જ્ઞાનમાત્ર કહ્યો તેથી તે એકસ્વરૂપ જ હશે. પરંતુ એમ નથી. વસ્તુનું સ્વરૂપ દ્રવ્યપર્યાયમય છે. ચૈતન્ય પણ વસ્તુ છે, દ્રવ્યપર્યાયમય છે. તે ચૈતન્ય અર્થાત્ આત્મા અનંત Please inform us of any errors on [email protected]
SR No.008292
Book TitlePravachana Ratnakar 11
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy