SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ ઊછળશે. આનું નામ સમક્તિ ને આ ધર્મ છે. અરે, સાંભળ ભાઈ! વ્યવહાર સમકિત તે કાંઈ સમિતિ નથી. વ્યવહા૨ સમકિત એ તો વિકલ્પ-રાગ છે. દ્રવ્યદષ્ટિ થયે શ્રદ્ધાગુણના કાર્યરૂપ નિર્વિકલ્પ નિશ્ચય સમકિત પ્રગટ થાય છે, ને તેને સહચ૨૫ણે જે દેવ-ગુરુ-શાસ્ત્ર સંબંધી શુભાગ હોય છે તેને ઉપચારથી આરોપ દઈને વ્યવહા૨સમકિત કહેવામાં આવે છે. વાસ્તવમાં તે રાગ જ છે, ને તે સિદ્ધભાવરૂપ આત્માનું કર્મ નથી, તથા એનાથી નિર્મળ પર્યાયરૂપ આત્માનું કર્મ થાય છે એમ પણ નથી. વાસ્તવમાં સમ્યગ્દર્શનનો ઉત્પાદ થવામાં શ્રદ્ધાગુણ કારણ છે. શ્રદ્ધાગુણમાં કર્મશક્તિનું રૂપ છે ને! માટે તે ભાવ પ્રાસ કરાય છે. ભાઈ, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, આનંદ-એમ દરેક ગુણમાં પોતાની નિર્મળ પર્યાયરૂપ કર્મ પ્રગટ થાય છે તે પ્રાપ્ત કરાતો સિદ્ધરૂપ ભાવ છે, ને તે–મયી કર્મશક્તિ છે. સ્વાધ્યાયનો વિકલ્પ હોય છે, પણ તે વિકલ્પથી સમ્યજ્ઞાન પ્રગટ થાય છે એમ નથી. એ તો આત્માનો એવો જ્ઞાનસ્વભાવ છે કે જેથી તે પોતાના સમ્યજ્ઞાનરૂપ કર્મને પ્રાપ્ત કરે. તેવી રીતે પંચમહાવ્રતાદિનો વિકલ્પ હોય છે, પણ તે વિકલ્પથી સમ્યક્ચારિત્રરૂપ નિર્મળ કાર્ય થાય છે એમ નથી. એ તો આત્માનો એવો ચારિત્ર સ્વભાવ છે કે જેથી તે પોતાના સમ્યક્ચારિત્રરૂપ કર્મને પ્રાપ્ત કરે. આ પ્રમાણે શ્રદ્ધા, આનંદ ઇત્યાદિ આત્માના બધા જ ગુણોમાં સમજવું. આત્માના જ્ઞાન, ચારિત્ર, આનંદ આદિ બધા ગુણમાં કર્મશક્તિનું રૂપ છે. તેથી આત્મા પોતે પોતાના નિર્મળ સ્વભાવરૂપ કર્મને પ્રાપ્ત કરે જ છે. જ્યાં નિજસ્વરૂપના લક્ષે અંતર-એકાગ્ર થાય કે સ્વભાવના આશ્રયે શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર-આનંદ વગેરેનું નિર્મળ નિર્મળ કાર્ય પ્રગટ થાય જ છે. ત્યાં ‘હું આ નિર્મળ કાર્ય પ્રાપ્ત કરું' એવી ભેદવાસના રહેતી નથી, કેમકે પોતાની કર્મશક્તિથી પોતે સ્વયમેવ નિર્મળ કાર્યરૂપ થઈ જાય છે. આવી સૂક્ષ્મ વાત છે. વ્યવહાર સમિતિમાં સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા-એ બધા વિકલ્પ છે. એ વિકલ્પથી રહિત કર્મગુણના કારણથી સમ્યગ્દર્શનરૂપી વીતરાગી પર્યાયનું કાર્ય પ્રગટ થાય છે. પુણ્ય અને વિકલ્પથી એની સિદ્ધિ થતી નથી. બહારમાં અનુકૂળ નિમિત્તથી કાર્ય થયું એમ નિમિત્તની મુખ્યતાથી કહેવાય, પણ એમ છે નહિ. કોઈ કહે કે-અહો ! ભગવાન ! આપની કૃપાથી કાર્યસિદ્ધિ થઈ, પણ એમ છે નહિ, વસ્તુસ્વરૂપ એવું નથી. પ્રશ્ન:- મહારાજ! લોકો કહે છે આપની આ લાકડી ફરે તો પૈસા મળી જાય છે? ઉત્તર:- લોકો કહે છે એ તો લોકમૂઢતા છે ભાઈ! બાકી આ લાકડીમાં કાંઈ માલ નથી. હમણાં જ એક લાકડી ચોરાઈ ગઈ, કોઈક લઈ ગયું (અંદર મૂઢતા છે ને?) આ લાકડી તો અમે હાથમાં એટલા માટે રાખીએ છીએ કે શાસ્ત્રને ૫૨સેવાવાળો હાથ અડી જાય તો અસાતના થાય. બાકી લાકડીમાં કાંઈ જાદુ નથી કે એનાથી પૈસા મળે. જુઓ, બેંગ્લોરમાં એક શેઠે ભવ્ય જિનાલય બંધાવ્યું. તેની પ્રતિષ્ઠાનો મોટો ઉત્સવ થયો. શેઠ પંદરેક દિવસ ઉત્સવના કામમાં રોકાયા, તો દુકાનમાં માલ હતો એ વેચાતા વિના પડી રહ્યો. બન્યું એવું કે પછી એના ભાવ વધી ગયા, ને શેઠને અઢળક પૈસા મળ્યા. પણ એ તો પૂર્વના પુણ્યના કારણે લક્ષ્મી આવે છે ભાઈ ! અને એમાં ય શું છે? લક્ષ્મી-ધૂળ આવી એમાં આત્માને શું લાભ? ભગવાન ! વીતરાગી નિર્મળ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય એ તારું કર્મ છે, ને એ લાભ છે. બાકી તો બધી ધૂળની ધૂળ છે, ને તેના લક્ષે ચાર ગતિની રઝળપટ્ટી છે. સમજાણું કાંઈ...? અહા ! ધર્મી જીવ એમ જાણે છે કે સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધપદ પર્યંતનાં જે ૫રમ પદો છે તે પ્રાપ્ત કરવાની શક્તિ મારા આત્મામાં છે, ને તે જ મારાં કર્મ છે; એ સિવાય બહારમાં મોટાં રાજપદ કે દેવપદ વગેરે પ્રાસ થાય તે કાંઈ મારાં કર્મ નથી. કર્તાનું ઇષ્ટ તે કર્મ. અહા! મને મારા જ્ઞાન-આનંદ સ્વભાવમાંથી પ્રાપ્ત થતી જે નિર્મળ રત્નત્રયરૂપ અવસ્થા તે જ મારું ઇષ્ટ કર્મ છે, આ સિવાય પુણ્ય ને પુણ્યના ફળરૂપ પ્રાપ્ત સંયોગ તે મારું કાંઈ જ નથી. જુઓ આ ધર્મીની અંતર્દષ્ટિ! ધર્મીને પહેલાં પર્યાયમાં શુદ્ધિ અલ્પ હતી, પછી ક્રમે વિશેષ શુદ્ધિ થઈ. શુદ્ધિની વૃદ્ધિ થઈ તે નિર્જરા છે. નિર્જરાના બે પ્રકાર છેઃ દ્રવ્યનિર્જરા, ને ભાવનિર્જરા. જડ કર્મનું ખરી જવું તે દ્રવ્યનિર્જરા છે, ને તે કાળે અશુદ્ધતાનો વ્યય થઈને શુદ્ધિની વૃદ્ધિ થાય તે ભાવનિર્જરા છે. ધર્મીને જે શુદ્ધિની વૃદ્ધિનું કાર્ય થયું તેનું કારણ, અહીં કહે છે, દ્રવ્યની કર્મશક્તિ છે. પૂર્વપર્યાય નિર્મળ હતી માટે પછીની પર્યાય વિશેષ નિર્મળ થઈ એમ નથી. પૂર્વે મોક્ષમાર્ગની પર્યાય હતી માટે વર્તમાન Please inform us of any errors on [email protected]
SR No.008292
Book TitlePravachana Ratnakar 11
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy