SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૧૮૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ એમ નથી ભાઈ, આ સમજવામાં પંડિતાઈની જરૂર નથી. પંડિત કોને કહેવા? પરમાર્થને જાણે-અનુભવે તે પંડિત છે. બાકી તો મોક્ષમાર્ગ પ્રકાશકમાં આવે છે કે હું પડે! હે પાંડે ! હે પાંડે ! તું કણને છોડી માત્ર તુષ જ ખાંડે છે, અર્થાત તું અર્થ અને શબ્દમાં જ સંતુષ્ટ છે પણ પરમાર્થ જાણતો નથી માટે મૂર્ખ જ છે.” આ સમજવામાં તો અંતરની રૂચિની જરૂર છે, બહારની પંડિતાઈની નહિ. સમયસાર, ગાથા ૧૫૬માં પણ કહ્યું છે કે વિદ્ધન્જનો ભૂતાર્થ તજી વ્યવહારમાં વર્તન કરે, પણ કર્મક્ષયનું વિધાન તો પરમાર્થ-આશ્રિત સંતને. જુઓ, પકારકથી પર્યાયમાં જે વિકૃતિરૂપ વ્યવહાર તેમાં વિદ્ધ જનો-પંડિતો વર્તન કરે છે, પણ નિશ્ચય નિજ પરમાર્થ વસ્તુમાં વર્તન કરતા નથી. ભાઈ, તારી બહારની પંડિતાઈ શું કામ આવે? એય સંસાર જ છે. સમજાય છે કાંઈ...? કોઈએ અહીં આત્મસિદ્ધિ શાસ્ત્રની એક ગાથા “ગુરુ રહ્યા છદ્મસ્થ પણ વિનય કરે ભગવાન આ ગાથાના સ્પષ્ટીકરણની માગણી કરી છે. વાત એમ છે કે આમાં શ્વેતાંબર શૈલીની જરા વાત આવી ગઈ છે. ખરેખર કેવળી ભગવાન છદ્મસ્થનો વિનય કરે એવો વ્યવહાર ત્રણકાળમાં સંભવિત નથી. કેવળી ભગવાનને અપૂર્ણતાય નથી, ને વિકલ્પ નથી; પછી તે બીજાનો વિનય કેવી રીતે કરે? શ્વેતાંબર શાસ્ત્રોમાં એવી વાત ભરપુર આવે છે, તેની થોડી ઝલક આમાં રહી ગઈ છે. બાકી ત્રણલોકના નાથ કેવળી પરમાત્માથી મોટા કોણ છે કે તેઓ બીજાનો વિનય કરે? વિનયનો વિકલ્પ કેવળીને હોતો નથી, કેમકે તેઓ પૂર્ણ વીતરાગ થયા છે. ભાઈ, કસોટીએ ચઢાવીને માર્ગની સત્યતાનો નિર્ણય કરવો જોઈએ, માત્ર ઓથે-ઓધે માની લેવું એ કોઈ ચીજ નથી. ત્યાં બીજી પણ ગાથા આવી છે: જાતિ વેશનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય; સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય આ કથન પણ સત્યથી ફેરવાળું છે. ગમે તે જાતિ અને ગમે તે વેશથી મુક્તિ થાય એમ આમાં કહ્યું લાગે છે, પણ વાસ્તવમાં એમ નથી. બહારની જાતિ બ્રાહ્મણ, ક્ષત્રિય આદિ એ જ હોય, અને શરીરનું નગ્નપણે એ જ બાહ્યમાં વેશ હોય, કોઈ બીજી રીતે માને કે સંપ્રદાય ચલાવે તો તે સત્ય છે એમ નથી. (આ પ્રમાણે વિપરીત અર્થનું નિરાકરણ કર્યું ) ' અરે! ભરતક્ષેત્રમાં અત્યારે કોઈ કેવળી ને વિશેષ જ્ઞાની રહ્યા નહિ, ને લોકો માર્ગને બીજી રીતે માની તત્ત્વનો વિરોધ કરે છે. પણ તે મહા અન્યાય છે. તેનું ફળ બહુ આકરું છે ભાઈ ! તત્ત્વની વિરાધનાના ફળમાં તારાથી સહન નહિ થાય એવું અનંતુ દુ:ખ આવી પડશે. કોઈ જીવ દુઃખી થાય તે પ્રશંસાલાયક નથી. પણ શું થાય? મિથ્યા શલ્યનું ફળ એવું જ આકરું છે. માટે ચેતી જા પ્રભુ! ને સતનો જેમ છે તેમ સ્વીકાર કર. અહા ! આચાર્યદવે શક્તિનું વર્ણન કરીને નિર્મળ મોક્ષમાર્ગ કેમ પ્રગટ થાય તે સિદ્ધ કરી દીધું છે. મલિન પરિણતિ હો, છતાં મલિનતા રહિત પરિણમન-નિર્મળ જ્ઞાનભાવમય પરિણમન-થાય એ જ જ્ઞાનીની પરિણતિ છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના પરિણામ હોય, પણ તે જ્ઞાનીનું મૂળ સ્વરૂપ નથી, કેમકે એ તો રાગ-વિકલ્પ છે, પુણ્યબંધનું કારણ છે. જ્ઞાની તેને પરયપણે જાણે છે બસ. આવો મારગ છે. અરે! એણે સત્યાર્થ માર્ગને સાંભળ્યો નથી, ને એનો કદી પરિચય પણ કીધો નથી! બહાર ને બહાર ગોથાં ખાધા કરે છે; પણ પોતાની ચીજ બિહારમાં છે નહિ તો કયાંથી મળે? ' અરે ભાઈ ! તારા હિતને માટે તું અંદર તારામાં જ જે, બહારમાં કારણોને મા શોધ; કેમકે તારા હિતનાં કારકો બહારમાં નથી. પોતાના જ નિર્મળ છ કારકોને અનુસરીને પોતે જ પરમાત્મદશારૂપે પરિણમી જાય એવો ભગવાન! તારો સ્વભાવ છે. તું ભગવાન સ્વરૂપ જ છો પ્રભુ! તારી પ્રભુતા માટે બાહ્ય સામગ્રી (નિમિત્તાદિ) ને શોધવાની વ્યગ્રતા મા કર. બાહ્ય સામગ્રી વિના જ પોતે એકલો પોતાના નિર્મળ કારકોરૂપ પરિણમીને કેવળજ્ઞાનરૂપે થઈ જાય એવો સ્વયંભૂ ભગવાન Please inform us of any errors on [email protected]
SR No.008292
Book TitlePravachana Ratnakar 11
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy