SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૧૬૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ મુનિની વાત છે. ચારિત્રવત મુનિ છે. તેમને ત્રણ કષાયનો અભાવ છે. તેમને છઠ્ઠા ગુણસ્થાનમાં બુદ્ધિપૂર્વકનો અને અબુદ્ધિપૂર્વકનો-એમ બન્ને પ્રકારનો રાગ હોય છે. અબુદ્ધિપૂર્વકનો રાગ જીવનો છે એમ અસદભૂત અનુપચાર નથી કહેવામાં આવે છે, ને ખ્યાલમાં આવે છે તે બુદ્ધિપૂર્વકનો રાગ તે અસદભૂત ઉપચરિત નયનો વિષય છે. રાગ પોતાના સ્વરૂપભૂત નથી માટે તે અસદભૂત છે, ને ખ્યાલમાં આવે છે તે રાગને જીવનો કહેવો તે ઉપચાર છે. તેવી રીતે ખ્યાલમાં ન આવે તેવો સૂક્ષ્મ અબુદ્ધિપૂર્વકનો રાગ અનુપચરિત અસભૂત નયનો વિષય છે. બુદ્ધિપૂર્વકનો ને અબુદ્ધિપૂર્વકનો રાગ-બને છઠ્ઠા ગુણસ્થાન પર્યત હોય છે, સાતમાં ગુણસ્થાનથી ઉપર એકલો અબુદ્ધિપૂર્વકનો રાગ હોય છે. પંડિતજીએ પોતાની ભૂલ સ્વીકારી સુધારી લીધેલું. તેઓ તે વખતે બોલ્યા, “અમારા બધા પંડિતોનું ભણતર નિમિત્તાધીન દષ્ટિવાળું જ થયું છે, નિમિત્તથી કાર્ય થાય એવું જ અમે બધા ભણ્યા છીએ. આપ કહો છો એવી સમજ અમારી પાસે નથી.' ચોથા ગુણસ્થાનમાં આત્મજ્ઞાન પ્રગટ થવા છતાં તેને કિંચિત્ કષાયભાવ હોય છે. કષાયમાં રાગ-દ્વેષ બન્ને આવી ગયા. માયા-લોભ તે રાગ, ને ક્રોધ-માન તે દ્વેષ. આમાંથી કોઈપણ અંશ ખ્યાલમાં આવે તે બુદ્ધિપૂર્વક છે, ને જે ખ્યાલમાં ન આવે તે અબુદ્ધિપૂર્વક રાગ છે. એ બન્નેનો આત્મામાં અભાવ છે માટે તેને અસદ્દભૂત કહેવામાં આવે છે. ક્રોધ છે ને તેનો અભાવ થશે એ વાત અહીં નથી. શક્તિના વર્ણનમાં ક્રોધાદિ છે નહિ, શક્તિ તો નિર્મળ સ્વભાવરૂપ છે, ને તેની વ્યક્તિ-પરિણમન નિર્મળ જ છે. નિર્મળ કમવર્તી પર્યાય ને અજમવર્તી ગુણો-એ બેનો સમુદાય તેને અહીં આત્મા કહેવામાં આવ્યો છે; વિકારની અહીં વાત જ નથી. ' અરે! અનંતકાળમાં એણે કદી યથાર્થ નિર્ણય અને સ્વાનુભવ કર્યો નહિ! સ્વાનુભવ કર્યા વિના તારાં જન્મમરણ નહિ મટે ભાઈ ! ભક્તિ, પૂજા, વ્રત ને તપ લાખ કરે તો ય આત્મજ્ઞાન વિના એ બધા રાગ છે, વિકાર છે, દુઃખ છે, ક્લેશ છે. પંડિત દોલતરામજીએ કહ્યું છે ને કે પૈ નિજ આતમજ્ઞાન બિના, સુખ લેશ ન પાયો.” ભાઈ, પાંચ-દસ કરોડની મૂડી હોય, ને પાંચ-પચીસ લાખ ખર્ચી નાખે તો ધર્મ થઈ જાય એવું ધર્મનું સ્વરૂપ નથી. શું કરીએ ? વસ્તુ જ એવી છે. અમે તો એક દષ્ટાંત આપીએ છીએ. એક કરોડપતિ ગૃહસ્થ, તેમની છેલ્લી સ્થિતિ વખતે ભાવ થયા કે આ બધી પૂંજી છોડીને હમણાં ચાલ્યા જવાનું છે, તો લાવ દાનમાં કાંઈક આપું. હવે લકવાને લઈને પૂરું બોલાય નહિ. તૂટક તૂટક બોલવાની ચેષ્ટા કરે કે-શુ.. ભ ખા. તે... દસ... લા. ખ. છોકરો સમજી ગયો કે બાપુજી દશ લાખ દાનમાં આપી દેવાનું કહે છે. એટલે તરત તે એના બાપુજીને કહે “બાપુજી અત્યારે પૈસાને યાદ ન કરાય, ભગવાનનું સ્મરણ કરો.” જુઓ, આ સંસાર! નિયમસારમાં એક શ્લોક આવે છે કે-આ બૈરાંછોકરાં ને સગાં-વહાલાં એ તો પોતાની આજીવિકા માટે ધુતારાની ટોળી તને મળી છે. તારું બધું જ લૂંટી લેશે. તારે દાન કરવું હશે તો વચ્ચે વિધ્ર નાખશે. પરદ્રવ્ય મારું છે, તેને હું સાચવી રાખું-એમ માનનારને શાસ્ત્રમાં મિથ્યાદષ્ટિ કહ્યો છે. અને દાનથી ધર્મ થાય એમ માનનાર પણ મિથ્યા પંથે જ છે. ભાઈ! તારી ચૈતન્ય વસ્તુનો સ્વાનુભવમાં નિર્ણય કર્યા વિના કયાંય ધર્મ થાય એમ નથી. ભગવાન આત્મા જ્ઞાનમાં-સ્વસંવેદનજ્ઞાનમાં જાણવામાં આવે છે; તેની જેવી જાય તેવી પ્રતીતિ કરવી તે સમ્યગ્દર્શન છે. જે સ્વસંવેદનમાં જાણો તેની પ્રતીતિ કરવાની છે. સમયસારની ગાથા ૩૮, ને પ્રવચનસારની ગાથા ૯૨માં આચાર્યદવ કહે છે કે અમને આત્મજ્ઞાનથી મિથ્યાત્વનો નાશ થયો છે; હવે ફરીને મોહ ઉત્પન્ન નહિ થાય. સમકિત થાય, ને પછી પડી જાય એવી અહીં વાત જ નથી. જેને આત્મજ્ઞાન પ્રગટ થયું છે તેને વર્તમાન અભાવ છે તેનો ભાવ થશે. પહેલાં ભાવ-અભાવ કહ્યો તો તેમાં સમકિત પ્રગટ થયું તેનો અભાવ થશે એમ ન લેવું. અહીં તો એમ અર્થ છે કે વર્તમાન નિર્મળ પર્યાય છે તે “ભાવ” નો અભાવ થઈને બીજી નિર્મળ પર્યાયનો ઉદય-ભાવ થશે. વર્તમાન અલ્પ નિર્મળ પર્યાય છે તો તેનો અભાવ થઈને, અભાવ-ભાવશક્તિના કારણે વિશેષ નિર્મળ અપૂર્વ અપૂર્વ પર્યાય ભાવરૂપ થશે, ઉદયરૂપ થશે. પડી જવાની અહીં કોઈ વાત જ નથી. અહા ! જેને દ્રવ્યદૃષ્ટિમાં પૂર્ણ ચૈતન્યનું દળ એવું દ્રવ્ય આવ્યું તેને દ્રવ્યનો અભાવ થાય તો સમકિતનો અભાવ થાય; પણ દ્રવ્ય અને દ્રવ્યની શક્તિનો કદી ય અભાવ ન થાય. અહા ! તેનો-શુદ્ધ ચૈતન્ય ત્રિકાળી ધ્રુવ દ્રવ્યનો જેને સ્વાનુભવ થઈને પ્રતીતિ થઈ, તેને પર્યાયનો વ્યય-અભાવ થશે, પણ તે Please inform us of any errors on [email protected]
SR No.008292
Book TitlePravachana Ratnakar 11
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy