SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૨૦૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧) સ્વપરપ્રકાશક શક્તિ હમારી, તાતેં વચન ભેદ ભ્રમ ભારી; શયદશા દુવિધા પરકાસી, નિજરૂપા પરરૂપ ભાસી. બાપુ ! સ્વસ્વરૂપનું ભાન થયા વિના પરપદાર્થ પરશયપણે ભાસતો નથી. સમજાય છે કાંઈ...? અહાહા..! અનાદિ વિભ્રમ જેનું મૂળ છે એવી પુણ્ય-પાપરૂપ પરસમયરૂપ પ્રવૃત્તિને દૂર કરીને, નિજ ચૈતન્યસ્વભાવના આશ્રયે સ્વાનુભવ પ્રગટ કરી નિજસ્વરૂપમાં વિશેષ રમણતા કરવી તે સમયપ્રવૃત્તિ છે અને તેનું નામ ચારિત્ર છે. અહાહા..! નિર્મળ રત્નત્રય જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે રૂપ પરિણમવું તે સ્વસમયપ્રવૃત્તિ છે અને તે ધર્મ છે, મોક્ષમાર્ગ છે. આ તો સર્વજ્ઞદવે પ્રગટ કરેલા વીતરાગ માર્ગની અપૂર્વ વાતો છે ભાઈ ! આવી વાત બીજે કયાંય છે નહિ. વીતરાગી પરિણમનસ્વરૂપ આખોય મોક્ષમાર્ગ છે. ત્યાં દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ છે, પરિણમન થાય તે પર્યાય છે. સમ્યગ્દર્શન તે પર્યાય છે, સમ્યક્રચારિત્ર તે પર્યાય છે, કેવળ જ્ઞાન પર્યાય છે, ને સિદ્ધદશા પણ પર્યાય છે. પહેલાં અજ્ઞાનવશ પુણ્ય-પાપના ભાવો ઉત્પન્ન થતા હતા, તે પરસમયપ્રવૃત્તિ હતી. તે પરસમયરૂપ પ્રવૃત્તિ દૂર કરીને... જોયું? પુણ્ય-પાપરૂપ પરસમયપ્રવૃત્તિને રાખીને એમ નહિ, દૂર કરીને, નિજ જ્ઞાનાનંદસ્વરૂપમાં એકાગ્ર થઈ રમણતા કરે તે સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્રરૂપ સ્વસમયપ્રવૃત્તિ છે. આ સમયપ્રવૃત્તિરૂપ પરિણમન તે મોક્ષમાર્ગ છે. હવે દ્રવ્ય શું? ગુણ શું? અને એનું પરિણમન શું? –એની કાંઈ ખબર ન મળે એ શું કરે? ચાર ગતિમાં રઝળી મરે બીજું થાય ? નિજસ્વરૂપમાં રમણતા કરવારૂપ દર્શન-જ્ઞાન-ચારિત્રનું પરિણમન થાય તે મોક્ષમાર્ગ છે. ભાઈ ! આ ભગવાનની 3ૐધ્વનિ નીકળી તેમાં આવેલી વાત છે. આવે છે ને કે મુખ કાર ધુનિ સુનિ, અર્થ ગણધર વિચાર, રચી આગમ ઉપદેશ, ભવિક જીવ સંશય નિવારે. ભગવાનની ૐધ્વનિ સાંભળી ભગવાન ગણધરદેવ આગમની રચના કરે છે. તે આગમનું સેવન કરી ભવિ જીવો સંશય નિવારે છે, અર્થાત્ સમ્યગ્દષ્ટિ થાય છે. અહા ! તે આગમમાં આ આવ્યું છે કે-નિર્મળ પવિત્ર જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ પોતે છે તેની પ્રતીતિ, તેનું જ્ઞાન અને તેમાં રમણતા–બસ આ પરિણમનસ્વરૂપ મોક્ષનો માર્ગ છે. સાથે સહુચર જે રાગ છે તે મોક્ષમાર્ગ નથી, ઉપચારથી તેને મોક્ષમાર્ગ કહીએ છીએ. એ રાગ છે તે વાસ્તવમાં તો પરસમય છે; ધર્માત્મા તેને પરસમય જ જાણે છે. અહા! આમ સ્વસ્વરૂપની દષ્ટિ-જ્ઞાનપૂર્વક તેમાં જ રમણતા કરતાં કરતાં સંપૂર્ણ સ્થિરતા કરી તે કેવળજ્ઞાનને પ્રાપ્ત Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008291
Book TitlePravachana Ratnakar 10
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy