SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૬૩ છે, કેમકે આ જ ભાવનાથી કેવળી થવાય છે. વ્રત, તપ, આદિ ક્રિયાકાંડના વિકલ્પથી કાંઈ કેવળજ્ઞાન પ્રગટતું નથી. સ્વરૂપનો અનુભવ, તેનો અભ્યાસ અને સ્વરૂપમણતાની જમાવટ-બસ આજ એક ઉપાય છે. હવે કહે છે. -- બાહ્ય વ્યવહારચારિત્ર છે તે આના જ સાધનરૂપ છે અને આના વિના વ્યવહાર ચારિત્ર શુભકર્મને બાંધે છે, મોક્ષનો ઉપાય નથી.' બાહ્ય વ્યવહારચારિત્ર છે તે આના જ સાધનરૂપ છે–એટલે શું ? કે જેને અંતરંગમાં સ્વરૂપની રમણતારૂપ સાધન પ્રગટયું છે તેને સહુચરપણે રાગાંશ વિદ્યમાન હોય છે તેને વ્યવહારથી સાધન કહીએ છીએ. આ (વ્યવહાર) સાધનથી સાધ્ય પ્રગટે છે એમ અર્થ નથી. સાધ્ય નામ મોક્ષનું સાધન તો સ્વરૂપ રમણતા જ છે. પણ રાગાંશને તેનો સહુચર વા નિમિત્ત જાણી તેને વ્યવહારથી સાધન કહેવામાં આવે છે; તે કાંઈ વાસ્તવિક સાધન નથી. સમજાણું કાંઈ...? વાસ્તવિક સાધન વિના વ્યવહારચારિત્ર કાંઈ જ નથી, અર્થાત્ તે શુભકર્મને જ બાંધે છે. અહાહા...! અંતરંગમાં શુદ્ધ સ્વરૂપના આશ્રય સ્વાનુભવ અને સ્વરૂપલીનતા થયા વિના વ્રત, તપ આદિ જે રાગના પરિણામ છે તે પુણ્યબંધનું જ કારણ થાય છે, તે ભવબંધનું જ કારણ થાય છે, તે કાંઈ મોક્ષનો ઉપાય નથી. અહા ! પોતાના સ્વરૂપના ભાન વિના કોઈ રાજ્ય છોડ, રાણીઓ છોડે, પંચમહાવ્રતનું પાલન કરે, પણ એ બધી ક્રિયા બંધનું-સંસારનું જ કારણ થાય છે. અંદર આત્મા પોતે વીતરાગસ્વભાવી છે તેમાં લીનતા-સ્થિરતા થતાં ચારિત્ર પ્રગટે છે. તેને સહુચરપણે મંદરાગ હોય છે તેને વ્યવહાર સાધન કહેવામાં આવે છે. પરંતુ સમકિત થયા વિના એકલા ક્રિયાકાડ-વ્રત, તપ, ભક્તિ આદિ સંસારનું જ કારણ બને છે, તે મોક્ષનું કારણ નથી. આત્મા અતીન્દ્રિય આનંદનું દળ છે. તેનો અનુભવ કરવો અને તેની લીનતા કરવી તે મોક્ષમાર્ગ છે. તે વિનાના કોરા ક્રિયાકાંડ તે મોક્ષનો ઉપાય નથી, બંધનનો માર્ગ છે. આવી ચોકખી વાત છે. ભાઈ! વ્રતાદિના રાગને કોઈ મોક્ષનું કારણ માને તો તે અજ્ઞાની છે. અહીં આ સ્પષ્ટ કહે છે કે આત્માના અનુભવ વિના વ્યવહારચારિત્ર શુભકર્મને બાંધે, પુણ્યને બાંધે; તેનાથી ભવ મળશે, મોક્ષ નહિ. આવી વાત છે. ફરી કાવ્ય કહે છે: * કળશ ૨૩ર : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * પૂર્વ-ભાવ-ત-કર્મ-વિષક્માનાં સાનિ : મુંજે' પૂર્વે અજ્ઞાનભાવથી કરેલાં જે કર્મ તે કર્મરૂપી વિષવૃક્ષોનાં ફળને જે પુરુષ (તેનો સ્વામી થઈને) ભોગવતો નથી અને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008291
Book TitlePravachana Ratnakar 10
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy