SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૪૨ થી ૨૪૬ ] [ ૪૫ તેને બંધ નથી કેમકે તેને બંધનું કારણ જે રાગાદિનો સભાવ તેનો અભાવ છે; જ્યારે કર્તા થાય તેને અવશ્ય બંધ થશે કેમકે તેને રાગાદિનો સદ્દભાવ છે. અહા ! રાગાદિને પરની ક્રિયાનો હું કરનારો છું એમ માનશે તેને મિથ્યાત્વ થશે અને તેથી તેને બંધ થશે જ. આવી વાત છે. જે જાણે છે તે કરતો નથી અને જે કરે છે તે જાણતો નથી; કરવું તે તો કર્મનો રાગ છે, રાગ છે તે અજ્ઞાન છે અને અજ્ઞાન છે તે બંધનું કારણ છે.” આવા અર્થનું કાવ્ય હવે કહે છે – * કળશ ૧૬૭ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘નાનાતિ : ન કરોતિ' જે જાણે છે તે કરતો નથી “તુ' અને “ય: રોતિ માં રવતુ નાનાતિ ' જે કરે છે તે જાણતો નથી. કહ્યું? કે જે કોઈ આત્મા પોતાના શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ આત્માને જાણે છે, અનુભવે છે તે કરતો નથી. કરતો નથી એટલે કે પોતામાં રાગને કરતો નથી. લ્યો, રાગને કરતો નથી તો પછી પરની ક્રિયા કરવાની તો વાત જ કયાં રહી? ત્યારે કોઈ પંડિતો વળી કહે છે કે-આત્મા પરનું કરે; પરનો કર્તા ન માને તે દિગંબર નહિ. અરે ભાઈ ! આ શું થયું છે તને? આ તો મહા વિપરીતતા છે, નરી મૂઢતા છે. અહીં તો મહાન દિગંબરાચાર્ય એમ કહે છે કે-જેણે એકલા જ્ઞાન અને આનંદનો સમુદ્ર વિજ્ઞાનઘન પ્રભુ આત્માને પર્યાયમાં ભાળ્યો-અનુભવ્યો તે રાગને-વિકલ્પને કરતો નથી. અહા ! જેને તત્ત્વદષ્ટિ સમ્યક પ્રગટ થઇ તે દષ્ટિની પર્યાયનો કર્તા છે પણ રાગનો કર્તા નથી. ભગવાન આત્મા એકલા જાણગ-જાણગ સ્વભાવનું દળ પ્રભુ નિત્ય જ્ઞાતા-દરા સ્વભાવી છે. આવા પોતાના સ્વરૂપનું ભાન થઇને જેને પર્યાયમાં નિર્મળ રત્નત્રયરૂપ ધર્મ પ્રગટયો એ ધર્મી જીવને, હજુ પૂરણ વીતરાગ થયો નથી ત્યાં સુધી વ્યવહારરત્નત્રયનો શુભ વિકલ્પ હોય છે, પણ તે એ શુભ વિકલ્પને પોતાનામાં કરતો નથી, તેને માત્ર જાણે છે એમ કહે છે. અહા ! જે જાણે છે તે કરતો નથી. ગજબ વાત પ્રભુ! વળી “જે કરે છે તે જાણતો નથી.” શું કહ્યું? કે હું દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિનો કરનારો એમ જે વ્યવહારધર્મના-વ્યવહારરત્નત્રયના શુભરાગને કરે છે તે જાણતો નથી. જાણતો નથી એટલે શું? કે જે રાગને પોતામાં કરે છે તે અજ્ઞાની જીવ પોતાનો એક જ્ઞાતા-દષ્ટાસ્વભાવી આત્મા છે તેને જાણતો નથી. અહા! કરે છે તે જાણતો નથી. રાગને કરે છે તે રાગરહિત શુદ્ધ આત્માને જાણતો નથી. અહીં ! આ તો જૈનદર્શનનું પરમ અદ્દભુત રહસ્ય છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008289
Book TitlePravachana Ratnakar 08
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages551
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy