SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates [ ૫૧૭ સમયસાર ગાથા ૩૦૬-૩૦૭ ] અહીં કહે છે-મિથ્યાત્વની ભૂમિકામાં થતા પુણ્ય ને પાપના ભાવની એમ વાત જ કરતા નથી. જેઓ મિથ્યાત્વસહિત છે તેઓ તો એકલા પાપથી હણાયેલા ચારગતિમાં રઝળનારા જ છે. પરંતુ સમ્યગ્દષ્ટિ કે સાચા સંત-મુનિ હોય કે જેમને આ દ્રવ્યપ્રતિક્રમણાદિના શુભભાવ આવ્યા વિના રહેતા નથી તે ભાવ પણ તેમને બંધનું કારણ હોવાથી હૈય છે. માટે જ્યાં સુધી પૂર્ણ કેવળજ્ઞાનની દશાની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી, કહે છે, જ્ઞાનની દશાને ભગવાન શાયકસ્વરૂપ આત્મામાં જોડી દે. એ બહારનું આલંબન જવા દે, કેમકે એનાથી તો રાગ અને બંધ જ થશે. આત્મા શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વરૂપ છે તેમાં જ્ઞાનને જોડી દે, જ્ઞાન જ્ઞાનમાં (આત્મામાં) સુપ્રતિસ્થિત રહે એ એક જ મોક્ષનું કારણ છે. (દ્રવ્યપ્રતિક્રમણાદિનો બાહ્ય વ્યવહા૨ કાંઈ મોક્ષનું કારણ નથી ). * * * અહીં નિશ્ચયનયથી પ્રતિક્રમણાદિકને વિષકુંભ કહ્યાં અને અપ્રતિક્રમણાદિકને અમૃતકુંભ કહ્યાં તેથી કોઈ ઉલટું સમજી પ્રતિક્રમણાદિકને છોડી પ્રમાદી થાય તો તેને સમજાવવાને કળશરૂપ કાવ્ય કહે છેઃ * કળશ ૧૮૯ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન * ‘યંત્ર પ્રતિમાં વ વિષે પ્રીત' ( અરે ! ભાઈ,) જ્યાં પ્રતિક્રમણને જ વિષ કહ્યું છે, ‘તંત્ર અપ્રતિમળત્ વ સુધા ત્: ચાત્' ત્યાં અપ્રતિક્રમણ અમૃત ક્યાંથી હોય ? (અર્થાત્ ન જ હોય ). જીઓ, પ્રતિક્રમણને જ એટલે શુભભાવને જ અમે વિષ કહ્યું ત્યાં અપ્રતિક્રમણ અર્થાત્ અશુભભાવ અમૃત ક્યાંથી હોય? જ્યાં વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર પ્રત્યાખ્યાન ઈત્યાદિ વ્યવહા૨ની શુભક્રિયાઓને ઝેર કહી છે ત્યાં તીવ્ર રાગમાં જવું ને અશુભમાં જવું, અજ્ઞાનમાં જવું–એ અમૃત કેમ હોય ? ભાઈ! એ (-અશુભ) તો ઝેર જ ઝેર છે. શુભને છોડી અશુભમાં જવાની તો અહીં વાત જ નથી. અહીં તો શુભને છોડી ઊંચે ઊંચે ચઢવાની–શુદ્ધમાં જવાની વાત છે. ભાઈ! અમે તને શુભભાવ છોડાવીને, જે વડે જન્મ-મરણનો અંત આવે અને જેમાં આત્મપ્રાપ્તિ થાય એવા વાસ્તવિક ધર્મમાં લઈ જવા માગીએ છીએ. અહા! અંદર ભગવાન આત્મા ચિહ્નન પ્રભુ ત્રિકાળ પરમાત્મસ્વરૂપે વિરાજે છે તેમાં લઈ જવા શુભભાવને અમે ઝેર કહ્યું છે. પરંતુ શુભને ઝેર જાણી અશુભમાં જાય એ તો તારી ઊંધીવિપરીત દષ્ટિ છે. અમે એવા અર્થમાં શુભને ય ક્યાં કહ્યું છે? અરે! જ્યાં પ્રતિક્રમણને વિષ કહ્યું ત્યાં અપ્રતિક્રમણ (-અશુભ) અમૃત કયાંથી થયું? જ્યાં શુભને જ હેય બતાવ્યું ત્યાં અશુભ ઉપાદેય ક્યાંથી થઈ ગયું? (અજ્ઞાનીના શુભાશુભભાવ બધા અજ્ઞાનમય હોવાથી અપ્રતિક્રમણ છે. ) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008289
Book TitlePravachana Ratnakar 08
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages551
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy