SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૪૨ થી ૨૪૬ ] [ ૨૭ (વસન્તતિન્ના) जानाति यः स न करोति करोति यस्तु जानात्ययं न खलु तत्किल कर्मरागः। रागं त्वबोधमयमध्यवसायमाहु मिथ्यादृशः स नियतं स च बन्धहेतुः ।। १६७।। કર્મનો રાગ છે, રાગ છે તે અજ્ઞાન છે અને અજ્ઞાન છે તે બંધનું કારણ છે”. આવા અર્થનું કાવ્ય હવે કહે છે: શ્લોકાર્થ- [ : નાનાતિ : ન રોતિ] જે જાણે છે તે કરતો નથી [1] અને [૫: રોતિ નુ નાનાતિ 7] જે કરે છે તે જાણતો નથી. [ત વિરુન મૈરી:] જે કરવું તે તો ખરેખર કર્મચાગ છે [7] અને [11 નવોદયમ્ અધ્યવસાયમ્ નાદુ:] રાગને (મુનિઓએ) અજ્ઞાનમય અધ્યવસાય કહ્યો છે; [ : નિયત નિચ્યોદશ:] તે (અજ્ઞાનમય અધ્યવસાય) નિયમથી મિથ્યાષ્ટિને હોય છે [૨] અને [સ વન્ધહેતુ:] તે બંધનું કારણ છે. ૧૬૭. * * * સમયસાર ગાથા ૨૪૨ થી ૨૪૬: મથાળું “સમ્યગ્દષ્ટિ ઉપયોગમાં રાગાદિક કરતો નથી, ઉપયોગનો અને રાગાદિકનો ભેદ જાણી રાગાદિકનો સ્વામી થતો નથી.' શું કહે છે? અહાહા..! ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકભાવ પરિપૂર્ણ ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્માનાં જેને જ્ઞાન-પ્રતીતિ અને અનુભવ થયાં તે સમ્યગ્દષ્ટિ છે. એવા સમ્યગ્દષ્ટિને શુદ્ધ ચૈતન્યની દષ્ટિ નિરંતર હોવાથી તે પોતાના નિર્મળ જ્ઞાનસ્વભાવમાં રાગને એકપણે કરતો નથી. અહો ! સમ્યગ્દર્શનનો કોઈ અચિંત્ય મહિમા છે કે દષ્ટિવંત પુરુષ પોતાના ઉપયોગમાં રાગનો સંબંધ-જોડાણ જ કરતો નથી. એટલે શું? કે તે ઉપયોગને રાગથી અધિક જાણી રાગનો સ્વામી થતો નથી. અહાહા..શુદ્ધ ઉપયોગની દશામાં જેને અતીન્દ્રિય આનંદસ્વભાવનું ભાન થયું તે હવે રાગાદિક જે દુઃખમય છે તેનો સ્વામી કેમ થાય? (ન જ થાય). તેથી તેને પૂર્વોક્ત ચેષ્ટાથી બંધ થતો નથી એ હવે કહે છે:-' * ગાથા ૨૪૨ થી ૨૪૬: ગાથાર્થ ઉપરનું પ્રવચન * પાઠમાં (ગાથામાં) “વવિ' શબ્દ પડ્યો છે. એટલે કોઈ એમ કહે કે પરની ક્રિયા આત્મા કરે છે તો એમ નથી. એ તો લોકો એમ (સંયોગથી) જુએ છે ને કે-આ કરે છે એટલે ‘રેક્ટિ' શબ્દ વાપર્યો છે બાકી પરનું કોઈ કરે છે એમ છે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008289
Book TitlePravachana Ratnakar 08
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages551
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy