SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૩૭ થી ૨૪૧ ] [ ૧૧ સમ્યકવંત મહંત સદા સમભાવ રહે..' એ “સદા ”ની વ્યાખ્યા છે તે અહીં પાછી આવી. વળી કેવું છે જ્ઞાન? તો કહે છે સદન–અવસ્થા સ્કર્ટ નાટયત' પોતાની જાણ નક્રિયારૂપ સહજ અવસ્થાને પ્રગટ નચાવી રહ્યું છે. પહેલાં એ નાચતું તો હતું; એ તો આવ્યું ને? કે –“રસ–ભાવ-નિર્મર–મહાનાટયેન કીડન્ત વ' પહેલાં એ નાચતું હતું રાગની ઘેલછાભર્યા નૃત્યથી. હવે સ્વભાવદષ્ટિ થતાં તેને છોડીને પોતાની જાણ નક્રિયારૂપ સહુજ અવસ્થાને પ્રગટ નચાવી રહ્યું છે. જાઓ, આમાં બંધની સામે જ્ઞાન લીધું. કોનું? સમ્યગ્દષ્ટિનું અહા! નિત્ય આનંદામૃતનું ભોજન કરે છે તે સમકિતીનું જ્ઞાન જાણનક્રિયારૂપ સહુજ અવસ્થાથી નાચી રહ્યું છે. અર્થાત્ સમકિતીને જાણનક્રિયામાત્ર પોતાની સહજ નિર્મળ અવસ્થા વર્તમાન પ્રગટ થઈ છે. પહેલાં રાગ પ્રગટ થતો હતો તેને બદલે હવે જ્ઞાન પ્રગટ થયું છે. વળી કેવું છે જ્ઞાન? “ધીર-સવારમ્' ધીર છે, ઉદાર છે. અહા! સમ્યજ્ઞાનીનું જ્ઞાન ધીર છે એટલે શું? કે તે ધીરું થઈને સ્વરૂપમાં સમાઈને રહેલું છે. આ કરું ને તે કરું-એવી બહારની હો-હા ને ધંધાલમાં તે પરોવાતું નથી. અહાહા...! અજ્ઞાની જ્યાં ખૂબ હરખાઈ જાય વા મુંઝાઈ જાય એવા અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગમાં જ્ઞાની તેને (–સંજોગને) જાણવામાત્રપણે–સાક્ષીભાવપણે જ રહે છે, પણ તેમાં હરખ-ખેદ પામતો નથી. શું કહ્યું? પ્રતિકુળતાના ગંજ ખડકાયા હોય તોપણ જ્ઞાની સ્વરૂપમાં નિશ્ચળ રહેતો થકો તેને જાણવામાત્રપણે રહે છે પણ ખેદખિન્ન થતો નથી. આવું જ્ઞાનીનું જ્ઞાન મહા ધીર છે. જે વડે તે અંત:આરાધનામાં નિરંતર લાગેલો જ રહે છે. વળી તે ઉદાર છે. સાધકને અનાકુળ આનંદની ધારા અવિરતપણે વૃદ્ધિગત થઈ પરમ (પૂર્ણ) આનંદ ભણી ગતિ કરે એવા અનંત અનંત પુરુષાર્થને જાગ્રત કરે તેવું ઉદાર છે. ભીંસના પ્રસંગમાં પણ અંદરથી ધારાવાહી શાન્તિની ધારા નીકળ્યા જ કરે એવું મહા ઉદાર છે. જ્યાં અજ્ઞાની અકળાઈ જાય, મુંઝાઈ જાય એવા આકરા ઉદયના કાળમાં પણ જ્ઞાનીનું જ્ઞાન ધારાવાહી શાંતિ-આનંદની ધારાને તેમાં ભંગ ન પડે તેમ ટકાવી રાખે તેવું ઉદાર છે. અહાહા..! આવું જ્ઞાનીનું જ્ઞાન ઉદાર છે. વળી “અનાવૃત્ત' અનાકુળ છે. જેમાં જરાય આકુળતા નથી તેવું આનંદરૂપ છે. જ્ઞાનીને ક્યાંય હરખ કે ખેદ નથી. તેને કિંચિત્ અસ્થિરતા હોય છે તે અહીં ગૌણ છે. વાસ્તવમાં તે નિરાકુળ આનંદામૃતનું નિરંતર ભોજન કરનારો છે. અહા ! જાણવું, જાણવું માત્ર જેનું સ્વરૂપ છે તેમાં આકુળતા શું? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008289
Book TitlePravachana Ratnakar 08
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages551
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy