SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૧૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ છૂટીને ક્યાંય સંસારસમુદ્રમાં ડૂબી જઈશ. બાપુ! આ દેહ કાંઈ તારો નથી કે તે તારી પાસે રહે, અને (વ્યવહારનો) રાગેય તારો નથી કે તે તારી પાસે રહે. તારી પાસે રહેલી ચીજ તો અનંત જ્ઞાન, આનંદ ને વીતરાગી શાંતિથી ભરેલો ભગવાન આત્મા છે. માટે તેમાં તલ્લીન થઈને રહેને પ્રભુ! અહાહા...! આચાર્ય કહે છે તું સ્વઘરમાં રહેને પ્રભુ! તું પરઘરમાં કેમ ભટકે છે? નિર્મળાનંદનો નાથ ચિદાનંદઘન પ્રભુ તારું સ્વઘર છે. એ સ્વઘરને છોડીને પરઘરપરવસ્તુમાં કેમ ભમે છે? અહા ! પરઘરમાં ભમે એ તો એકલું દુઃખ છે, પરાશ્રિતભાવમાં રહે એ દુઃખ છે, માટે જ્યાં એકલું સુખ છે તે સ્વઘરમાં આવીને વસ, ત્યાં તને નિરાકુલ આનંદ થશે. અહા ! પરભાવ (વ્યવહારના ભાવ) દુ:ખરૂપ છે છતાં તેને છોડીને સન્દુરુષો અંદર સુખથી ભરેલા સ્વઘરમાં આવીને કેમ વસતા નથી? એ મહાન અચંબો છે. અહા! ત્રણલોકના નાથ દેવાધિદેવ સર્વજ્ઞ પરમેશ્વરની વાણીમાં એમ આવ્યું કેપરવસ્તુની એકત્વબુદ્ધિ મિથ્યા છે, અસત્ય છે અને તેથી દુઃખરૂપ છે. સ્વના આશ્રયરૂપ એકતા તે સદ્દબુદ્ધિ છે, અને સ્વ-પરની એકત્વબુદ્ધિ અસદ્દબુદ્ધિ છે, મિથ્થાબુદ્ધિ છે. ચિદાનંદઘન પ્રભુ પોતે સત્ છે, એ અપેક્ષાએ પરવસ્તુ બધી અસત્ છે. એ અસત સાથે પોતાના સતને ભેળવનારી-એકમેક કરનારી બુદ્ધિ અસદબુદ્ધિ છે, મિથ્યાબુદ્ધિ છે. તે મિથ્યા હોવાથી દુ:ખદાયક અને દુઃખરૂપ છે, અને તેથી તે છોડાવવામાં આવી છે. આચાર્ય કહે છે ભગવાને પર સાથેની એકત્વબુદ્ધિ છોડાવી છે તેથી અમે તને પરને આશ્રયે થતા બધાય ભાવોને, તેઓ દુ:ખરૂપ છે એમ જાણીને છોડાવીએ છીએ તો તું ત્યાંથી (પરાશ્રયથી) હઠીને સ્વના આશ્રયમાં અંદર કેમ આવતો નથી? અહા ! પરવસ્તુ મારી છે એમ માનવું એ જાણ્યું છે, પરમાં સુખબુદ્ધિ કરવી એ જૂઠી છે. તેથી અમે તને સર્વ પરાશ્રયનો દુ:ખરૂપ ભાવ છોડાવીએ છીએ તો પછી અહીં સ્વમાં-સુખરૂપ સ્વરૂપમાં આવી કેમ ઠરતો નથી ? લ્યો, આવું આશ્ચર્ય આચાર્યદવ પ્રગટ કરે છે. અહા! આ સંતોની-વીતરાગી મુનિવરોની કરુણા તો જાઓ! કહે છે-ભગવાન! તું તારી દયા તો પાળ, તારી કરુણા કરને પ્રભુ! આ પરના આશ્રયે થયેલા (દયા, આદિના) ભાવથી તો તારા સ્વભાવનો ઘાત થાય છે, તારા સ્વરૂપની તેમાં હિંસા થાય છે, કેમકે તેમાં સ્વરૂપનો અનાદર થાય છે. રાજકોટમાં સંવત ૧૯૯૫માં એક મોટા ડોકટર ત્રણ-ચાર દિ' વ્યાખ્યાનમાં આવ્યા ને પછી કહેવા લાગ્યા- આ મહારાજનું આવું સાંભળીએ તો કોઈને કામના ન રહીએ અર્થાત્ કોઈનું કામ ન કરી શકીએ. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008289
Book TitlePravachana Ratnakar 08
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages551
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy