SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ] Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ પ્રવચન રત્નાકર ભાગ-૮ કર્મ (અર્થાત્ કાય-વચન-મનની ક્રિયારૂપ યોગ), [ન નૈવરાનિ] નથી અનેક પ્રકારનાં કરણો [વા ન વિ—વિવધ:] કે નથી ચેતન-અચેતનનો ઘાત. [ ૩૫યો મૂડ RTIfમ: ય–ણેયમ્ સમુપયાતિ] “ઉપયોગભૂ” અર્થાત્ આત્મા રાગાદિક સાથે જે ઐકય પામે છે [H: gવ છેવનં] તે જ એક (–માત્ર રાગાદિક સાથે એકપણું પામવું તે જ-) [ વિન ] ખરેખર [ નૃત્ વન્યદેતુ: ભવતિ ] પુરુષોને બંધનું કારણ છે. ભાવાર્થ- અહીં નિશ્ચયનયથી એક રાગાદિકને જ બંધનું કારણ કહ્યું છે. ૧૬૪. સમયસાર બંધ અધિકાર પ્રથમ અર્થકાર પંડિત શ્રી જયચંદજી મંગલાચરણ કહે છેઃ રાગાદિકથી કર્મનો બંધ જાણી મુનિરાય, તજે તેહ સમભાવથી, નમું સદા તસુ પાય.” શું કહે છે? કે રાગ ને દ્વેષ, ને પુષ્ય ને પાપ ઈત્યાદિ જે વિકારી ભાવ પર્યાયમાં થાય છે તે વડે કર્મબંધ થાય છે; આ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના જે શુભભાવ થાય છે તે બંધનના ભાવ છે એમ કહે છે. અહાહા.! વ્રતાદિના જે વ્યવહાર પરિણામ થાય છે તે બંધનરૂપ છે એમ મુનિરાજ જાણે છે. સમજાણું કાંઈ...? જુઓ, જે વ્યવહારના રાગને-બંધનને મુનિરાજ જાણે છે તે વ્યવહારનય છે. (નિશ્ચયે તો તે સ્વરૂપવિશ્રાંત છે) તો શું રાગને-બંધને વ્યવહારે જાણે છે એટલાથી મુનિરાજને મુક્તિ થાય છે? તો કહે છે-ના; તો કેવી રીતે છે? તો કહે છે “તજે તેવું સમભાવથી',-શું કહ્યું? કે રાગને-બંધને જાણીને અંતર-એકાગ્રતા વડે સમભાવની-વીતરાગભાવની પ્રગટતા કરીને તે રાગને-બંધને છોડી દે છે ને મુક્તિને પામે છે. અહાહા..! આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પૂર્ણાનંદનો નાથ પ્રભુ અભેદ એક જ્ઞાયકભાવમય વસ્તુ છે. મુનિરાજ આવા પોતાના નિજ આત્મદ્રવ્યમાં અંતરએકાગ્રતા વડે સ્થિર થઈ શાંત-શાંત પરમ શાંત વીતરાગભાવને-સમભાવને પ્રગટ કરે છે ને તે વડે રાગને-બંધને દૂર કરે છે ને મુક્તિ પામે છે. લ્યો, આવા (સ્વરૂપમાં વિશ્રાંત એવા) મુનિરાજ હોય છે અને તેમને, અર્થકાર કહે છે-હું સદા નમસ્કાર કરું છું. અહા ! શુદ્ધ આત્મદ્રવ્યના આશ્રયે જેમને અત્યંત નિર્વિકાર પરિણમન થયું ને કર્મબંધન ટળી ગયું તે મુનિરાજના ચરણકમળમાં હું નિત્ય ઢળું છું-નમું છું એમ કહે છે. હવે પ્રથમ ટીકાકાર કહે છે કે-હવે બંધ પ્રવેશ કરે છે. જેમ નૃત્યના અખાડામાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008289
Book TitlePravachana Ratnakar 08
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages551
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy