SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૨૫૯ एसा दु जा मदी दे दुक्खिदसुहिदे करेमि सत्ते त्ति। एसा दे मूढमदी सुहासुहं बंधदे कम्मं ।। २५९ ।। एषा तु या मतिस्ते दुःखितसुखितान करोमि सत्त्वानिति। एषा ते मूढमति: शुभाशुभं बध्नाति कर्म।। २५९ ।। હવે, આ અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે એમ ગાથામાં કહે છે: આ બુદ્ધિ જે તુજ-“દુખિત તેમ સુખી કરુ જીવને', તે મૂઢ મતિ તારી અરે! શુભ અશુભ બાંધે કર્મને. ૨૫૯. ગાથાર્થઃ- [7] તારી [યા ઉષા મતિઃ 1] જે આ બુદ્ધિ છે કે હું [સત્ત્વાન] જીવોને [ દુ:રિષત સુવિતાન] દુઃખી-સુખી [ રોમિ તિ] કરું છું, [ તે મૂઢમતિ: ] તે આ તારી મૂઢ બુદ્ધિ જ (મોહસ્વરૂપ બુદ્ધિ જ ) [ શુભાશુમ શર્મ] શુભાશુભ કર્મને [ વજ્ઞાતિ ] બાંધે છે. ટીકાઃ- “પર જીવોને હું હસું છું, નથી હણતો, દુઃખી કરું છું, સુખી કરું છું' એવો જે આ અજ્ઞાનમય અધ્યવસાય મિથ્યાષ્ટિને છે, તે જ ( અર્થાત્ તે અધ્યવસાય જ) પોતે રાગાદિરૂપ હોવાથી તેને (-મિથ્યાષ્ટિને) શુભાશુભ બંધનું કારણ છે. ભાવાર્થ:- મિથ્યા અધ્યવસાય બંધનું કારણ છે. સમયસાર ગાથા ૨૫૯: મથાળું હવે, આ અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે એમ ગાથામાં કહે છે: * ગાથા ૨૫૯ : ટીકા ઉપરનું પ્રવચન * પર જીવોને હું હસું છું, નથી હણતો, દુઃખી કરું છું, સુખી કરું છું-એવો જે આ અજ્ઞાનમય અધ્યવસાય મિથ્યાદષ્ટિને છે, તે જ પોતે રાગાદિરૂપ હોવાથી તેને (મિથ્યાષ્ટિને) શુભાશુભ બંધનું કારણ છે.' આત્મા સચ્ચિદાનંદ પ્રભુ નિત્ય નિરંજન એક જ્ઞાનસ્વભાવ માત્ર વસ્તુ છે. એમાં આ હું પરને હણું ને ન હણું એવો જે અજ્ઞાનમય રાગ-દ્વેષ-મોહના, પાપ ને પુણ્યના પરિણામ થાય તે, કહે છે, મિથ્યાષ્ટિને બંધનું કારણ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008289
Book TitlePravachana Ratnakar 08
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages551
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy