SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૮૨ ] | [ પ્રવચન રત્નાકર ભાગ-૫ વ્યવહારરત્નત્રયનો કર્તા થતો નથી આ ફેંસલો આપ્યો. આ કારખાનાની વ્યવસ્થા કરવી અને પરનાં કામ કરવાં એ વાત તો ક્યાંય દૂર રહી ગઈ ! જ્ઞાની રાગનો અને પરદ્રવ્યનો કર્તા નથી. હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: * કળશ પ૭ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * વિત’ નિશ્ચયથી “સ્વયં જ્ઞાન ભવન પિ' સ્વયં જ્ઞાનસ્વરૂપ હોવા છતાં-શું કહે છે? ભગવાન આત્મા સ્વયં ત્રણ લોકનો જાણનાર દેખનાર છે, જગતની કોઈ ચીજનો કર્તા નથી. આવું જ તેનું સ્વરૂપ છે. અહાહા...! મંદિર ઉપર જેમ સોનાનો કળશ ચઢાવે તેમ આ ગાથાની ટીકા ઉપર આ કળશ ચઢાવ્યો છે. અહા ! કેટ-કેટલું સ્પષ્ટ કર્યું છે! જંગલમાં વસનારા દિગંબર મુનિવરને કણાબુદ્ધિનો વિકલ્પ આવ્યો અને આ શાસ્ત્ર રચાઈ ગયાં. જગતના પ્રાણીઓને દુઃખી-પીડિત દેખીને જ્ઞાની અનુકંપા કરવા જતા નથી પણ એને અંતરમાં એમ થાય છે કે-અરે! આ સંસારમાં પ્રાણીઓ નિજ ચૈતન્યસ્વરૂપને ઓળખ્યા વિના જન્મ-મરણ કરતા થકા બિચારા દુઃખી છે! પંચાસ્તિકાયની ગાથા ૧૩૭માં અનુકંપાના સ્વરૂપનું કથન કર્યું છે ત્યાં કહ્યું છે કે- “જ્ઞાનીની અનુકંપા તો નીચલી ભૂમિકાઓમાં વિહરતાં (–પોતે નીચેનાં ગુણસ્થાનોમાં વર્તતો હોય ત્યારે), જન્માર્ણવમાં નિમગ્ન જગતના અવલોકનથી (અર્થાત્ સંસારસાગરમાં ડૂબેલા જગતને દેખવાથી) મનમાં જરા ખેદ થવો તે છે.' જ્ઞાનીને હજુ રાગ છે તેથી હેયબુદ્ધિએ એવો રાગ આવે છે. ત્યાં પંચાસ્તિકાય ગાથા ૧૩૬ માં કહ્યું છે કે-“આ (પ્રશસ્તરાગ) ખરેખર, જે સ્થૂળલક્ષ્યવાળો હોવાથી કેવળ ભક્તિ-પ્રધાન છે એવા અજ્ઞાનીને હોય છે; ઉપરની ભૂમિકામાં (–ઉપરના ગુણસ્થાનોમાં) સ્થિતિ પ્રાપ્ત ન કરી હોય ત્યારે, અસ્થાનનો રાગ અટકાવવા અર્થે અથવા તીવ્ર રાગજ્વર હુઠાવવા અર્થ, કદાચિત્ જ્ઞાનીને પણ હોય છે.'' પ્રશસ્તરાગ કદાચિત્ જ્ઞાનીને પણ હોય છે એટલે પરિણમનની અપેક્ષાથી રાગ છે પણ જ્ઞાનીને રાગમાં ઉપાદેયબુદ્ધિ, કર્તવ્યબુદ્ધિ હોતી નથી તેથી તે રાગના કર્તા થતા નથી. અજ્ઞાનીને ભક્તિ, અનુકંપા આદિ રાગમાં ઉપાદેયબુદ્ધિ, કર્તવ્યબુદ્ધિ હોય છે. તે પ્રાણીઓને દુઃખી-પીડિત દેખીને તેમને હું આમ સુખી કરી દઉં અને આમ જીવાડી દઉં-એમ અનેક પ્રકારે વિકલ્પ કરતો થકો વિકલ્પનો કર્તા થાય છે. આ મેં પરની દયા કરી તે ઠીક કર્યું, તેથી મને ધર્મ થયો એમ અજ્ઞાનીને પરમ કર્તા બુદ્ધિ અને રાગમાં ધર્મબુદ્ધિ હોય છે તેથી તે કર્તા થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008286
Book TitlePravachana Ratnakar 05
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy