SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૬૬ ] પ્રવચન રત્નાકર ભાગ-૫ (વસંતતિના ) अज्ञानतस्तु सतृणाभ्यवहारकारी ज्ञानं स्वयं किल भवन्नपि रज्यते यः। पीत्वा दधोक्षुमधुराम्लरसातिगृद्ध्या गां दोग्धि दुग्धमिव नूनमसौ रसालम्।। ५७ ।। એકરૂપે નહિ પણ ભિન્નભિન્નપણે અનુભવન હોવાથી), જેની ભેદસંવેદનશક્તિ ઊઘડી ગઈ છે. એવો હોય છે, તેથી તે જાણે છે કે “અનાદિનિધન, નિરંતર સ્વાદમાં આવતો, સમસ્ત અન્ય રસથી વિલક્ષણ (ભિન્ન ), અત્યંત મધુર જે ચૈતન્યરસ તે જ એક જેનો રસ છે એવો આ આત્મા છે અને કષાયો તેનાથી ભિન્ન રસવાળા (કષાયલા-બેસ્વાદ) છે; તેમની સાથે જે એકપણાનો વિકલ્પ કરવો તે અજ્ઞાનથી છે;” આ રીતે પરને અને પોતાને ભિન્નપણે જાણે છે; તેથી “અકૃત્રિમ (નિત્ય), એક જ્ઞાન જ હું છું પરંતુ કૃત્રિમ (અનિત્ય), અનેક જે ક્રોધાદિક તે હું નથી ” એમ જાણતો થકો “હું ક્રોધ છું' ઇત્યાદિ આત્મવિકલ્પ જરા પણ કરતો નથી, તેથી સમસ્ત કર્તુત્વને છોડી દે છે; તેથી સદાય ઉદાસીન અવસ્થાવાળો થયો થકો માત્ર જાણ્યા જ કરે છે; અને તેથી નિર્વિકલ્પ, અકૃત્રિમ, એક વિજ્ઞાનઘન થયો થકો અત્યંત અકર્તા પ્રતિભાસે છે. ભાવાર્થ:- જે પરદ્રવ્યના અને પારદ્રવ્યના ભાવોના કર્તુત્વને અજ્ઞાન જાણે તે પોતે કર્તા શા માટે બને? અજ્ઞાની રહેવું હોય તો પરદ્રવ્યનો કર્તા બને! માટે જ્ઞાન થયા પછી પરદ્રવ્યનું કર્તાપણું રહેતું નથી. હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થઃ- [ નિ] નિશ્ચયથી [ સ્વયં જ્ઞાન ભવન ]િ સ્વયં જ્ઞાનસ્વરૂપ હોવા છતાં [અજ્ઞાનત: તુ] અજ્ઞાનને લીધે [ :] જે જીવ, [ સંતૃપામ્યવહા૨ારી] ઘાસ સાથે ભેળસેળ સુંદર આહારને ખાનારા હાથી આદિ તિર્યંચની માફક, [૨ષતે] રાગ કરે છે ( અર્થાત્ રાગનો અને પોતાનો ભેળસેળ સ્વાદ લે છે ) [સૌ] તે, [ ધીમુમધુરાન્તરસાતિવૃદ્ધચી] દહીંખાંડના અર્થાત્ શિખંડના ખાટા-મીઠા રસની અતિ લોલુપતાથી [૨સત્રમ્ વીત્વી] શિખંડને પીતાં છતાં [ ટુથમ્ તોષેિ રૂવ જૂન ] પોતે ગાયના દૂધને પીએ છે એવું માનનાર પુરુષના જેવો છે. ભાવાર્થ- જેમ હાથીને ઘાસના અને સુંદર આહારના ભિન્ન સ્વાદનું ભાન નથી તેમ અજ્ઞાનીને પુદ્ગલકર્મના અને પોતાના ભિન્ન સ્વાદનું ભાન નથી, તેથી તે એકાકારપણે રાગાદિમાં વર્તે છે. જેમ શિખંડનો ગૃદ્ધી માણસ, સ્વાદભેદ નહિ પારખતાં, શિખંડના સ્વાદને માત્ર દૂધનો સ્વાદ જાણે તેમ અજ્ઞાની જીવ સ્વ-પરના ભેળસેળ સ્વાદને પોતાનો સ્વાદ જાણે છે. ૫૭. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008286
Book TitlePravachana Ratnakar 05
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy