SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૬ ] [ ૫૯ હવે ત્રીજી વાત કહે છે કે મૃતક કલેવર વડે પરમ અમૃતસ્વરૂપ વિજ્ઞાનઘન પોતે મૂર્શિત થઈ ગયો છે. જુઓ, આ શરીર મૃતક કલેવર એટલે મડદું છે એમ અહીં કહ્યું છે. પ્રશ્ન:- પણ કયારે ? ઉત્તર:- અત્યારે હમણાં જ. શરીર તો સ્વરૂપથી અચેતન મડદું જ છે પણ જીવના સંયોગની અપેક્ષાએ તેને ઉપચારથી સચેત-જીવિત કહેવામાં આવે છે. વાસ્તવમાં તો જીવ હોવા છતાં પણ શરીર તો મૃતક કલેવર જ છે, કેમકે શરીર કદીય જીવરૂપ-ચૈતન્યરૂપ થતું નથી અને જીવ કદીય શરીરરૂપ થતો નથી. જીવ સદા જીવ જ છે અને શરીર સદા શરીર જ છે. તેથી તેને મૃતક કલેવર અર્થાત્ મડદું અહીં કહ્યું છે. અહીં કહે છે કે પરમ અમૃતરૂપ વિજ્ઞાનઘન પ્રભુ આત્મા અજ્ઞાનને લઈને શરીરરૂપ મૃતક કલેવરમાં-મડદામાં મૂર્જાયો છે. અરે ! રાતદિવસ એને એ મડદાની કેટલી ચિંતા! ખવડાવવું, પીવડાવવું, ઊંઘાડવું અને એને પુષ્ટ રાખવું-એમ એની જ સંભાળ કર્યા કરે છે. એ શરીરના લક્ષ મૂર્છાઈ ગયો છે, બેહોશ થઈ ગયો છે. આચાર્ય કહે છે-ભાઈ ! તું આ મડદે કેમ મૂર્ણાયો છે? તું તો અમૃતસ્વરૂપ આનંદનો નાથ વિજ્ઞાનઘન પ્રભુ છો ને! જાગૃત થા અને સ્વરૂપનું ભાન કરી એમાં ઠરી જા. આત્મા એકલો જ્ઞાનસ્વરૂપ અમૃતરસનો સાગર છે. પ્રભુ! એની દૃષ્ટિ છોડી આ દેહનામડદાના રખોપામાં કયાં રોકાયો? ચા, દૂધ, ઉકાળા, રોટલી, દાળ, ભાત, લાડુ વગેરેના ખાનપાનમાં તું એકાકાર થઈ ગયો છે તે તારું અજ્ઞાન છે. ચા પીધી હોય તો મગજ તર રહે અને બીડી પીધી હોય તો બરાબર કેફ રહે. અરે ભાઈ ! તું આ શું માને છે? આ તો મૂઢપણું છે. ભગવાન! તું તો સચ્ચિદાનંદ પ્રભુ અમૃતનો સાગર છું. તને આ શું થયું? શરીરની સર્વ ચિંતા છોડીને અમૃતસ્વરૂપ આત્માનું ભાન કર. જુઓ, ત્રણ વાત કરીમનના વિષયમાં-છ પદાર્થના વિચારમાં ચૈતન્યધાતુ રોકાઈ ગઈ એ એક વાત. પાંચ ઇન્દ્રિયના વિષયમાં કેવળ બોધ ઢંકાઈ ગયો એ બીજી વાત. અને પરમ અમૃતરૂપ વિજ્ઞાનઘનસ્વભાવ મૃતક કલેવરમાં મૂર્છાઈ ગયો એ ત્રીજી વાત. આ પ્રમાણે અજ્ઞાનને લીધે જીવ ઇન્દ્રિયના વિષયમાં, મનના વિષયમાં અને શરીરમાં મૂછંભાવને પામેલો હોવાથી તે પ્રકારના ભાવનો તે કર્તા પ્રતિભાસે છે. એટલે જે જે પ્રકારનો શુભાશુભ રાગ આવે છે તેનો તે કર્તા થાય છે. * ગાથા ૯૬ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “આ આત્મા અજ્ઞાનને લીધે, અચેતન કર્મરૂપ ભાવકનું જે ક્રોધાદિ ભાવ્ય તેને Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008286
Book TitlePravachana Ratnakar 05
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy