SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૪ ] | [ ૩૫૯ અત્યારે તો માર્ગમાં ખૂબ ગરબડ થઈ છે. શુભરાગ કરતાં કરતાં ધર્મ થાય એવી પ્રરૂપણા થવા લાગી છે; પરંતુ તે યથાર્થ નથી. અહીં કહે છે ભગવાન આત્મા અનંત વિજ્ઞાનઘનસ્વરૂપ વસ્તુ છે. તેમાં “હું શુદ્ધ છું” એવો વિકલ્પ પણ પ્રવેશી શકતો નથી. અહા ! આ તો ૧૪૪ મી ગાથા છે! જેમ સરકારમાં ૧૪૪ મી કલમ છે કે બે માણસો ભેગા ન થઈ શકે અને થાય તો દડપાત્ર થાય તેમ ભગવાનની આ ૧૪૪ મી કલમ છે કે આત્મા અને રાગ ભેગા ન થાય; અને (અભિપ્રાયમાં) થાય તો ચારગતિરૂપ સંસારની જેલ થાય. ગજબ વાત છે ૧૪૪ માં! ૧૪૪ નો આંક છે એના અંકોનો સરવાળો ૧+૪+૪=૯ આવે. આ નવની ગુણક સંખ્યાના અંકો પણ મળીને નવ થાય છે. જેમકે ૯૪૧= ૯ ૯૪૨=૧૮; ૧+૪=૯ ૯૩=૨૭; ૨૭ ૯ ૯૪૪=૩૬; ૩૬=૯ ઇત્યાદિ. આ નવનો અંક (નવ કેવળલબ્ધિ પ્રગટ કરનાર) વીતરાગભાવનો સૂચક છે. જ્ઞાતાદ્રવ્યમાં એકાગ્ર થયેલી જ્ઞાનની પર્યાયમાં આદિ-મધ્ય-અંતરહિત અનાદિઅનંત, કેવળ એક, અખંડ પ્રતિભાસમય, અનંત, વિજ્ઞાનઘનરૂપ વસ્તુનો જે પ્રતિભાસ થયો તે પરમાત્મરૂપ સમયસાર છે. અહાહા..! આત્માની શક્તિ, એનું સામર્થ્ય, એનું સ્વરૂપ પરમાત્મરૂપ છે. આત્માનું સિદ્ધસ્વરૂપ કહો કે પરમાત્મસ્વરૂપ કહો-એક જ વાત છે. આવા અખંડ પ્રતિભાસમય પરમાત્મરૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યકપણે દેખાય છે; દેખાય છે એટલે શ્રદ્ધાય છે અને જણાય છે. તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યક્રજ્ઞાન છે. આત્માનો અનુભવ એટલે શુદ્ધ દ્રવ્યનો અનુભવ, અનાદિ અનંત, કેવળ એક, અખંડ પ્રતિભાસમય, અનંત વિજ્ઞાનઘન પરમાત્મરૂપ સમયસારનો અનુભવ. આ અનુભવમાં આત્મા સમ્યપણે દેખાય છે, શ્રદ્ધાય છે. આનું નામ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે અને તે ભગવાન સમયસારથી ભિન્ન નથી, એક જ છે ભાઈ, દેવ-શાસ્ત્ર-ગુરુની બાહ્ય શ્રદ્ધા તે સમ્યગ્દર્શન અને લઈ લ્યો વ્રત એટલે ચારિત્ર-એમ કેટલાક માને છે પણ એ તો તદ્દન વિપરીત માન્યતા છે. પરમાત્મરૂપ આત્મદ્રવ્યની સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની દશાઓ કેવી હોય છે તે અહીં સમજાવે છે. જ્યારે આત્મા વિજ્ઞાનઘનસ્વરૂપ નિજ પરમાત્મરૂપ સમયસારનો અનુભવ કરે છે તે સમયે જ આત્મા સમ્યક પ્રકારે દેખવામાં આવે છે અને તે જ સમયે આત્માનાં સમ્યક શ્રદ્ધાન અને જ્ઞાન પ્રગટ થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008286
Book TitlePravachana Ratnakar 05
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy