SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૨ ] * કળશ ૮૫ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન * ‘નાના’ જીવ નાનારૂપ છે ‘PT’ એવો એક નયનો પક્ષ છે. જીવ અનેક ગુણપર્યાયની અપેક્ષાએ નાનારૂપ એટલે અનેકરૂપ છે એવો વ્યવહારનયનો પક્ષ છે. ‘ન તથા’ જીવ નાનારૂપ નથી ‘ પરફ્ય’ એવો બીજા નયનો પક્ષ છે. એકવસ્તુપણાની દૃષ્ટિએ જીવ અનેકરૂપ નથી અર્થાત્ એક છે એવો નિશ્ચયનયનો પક્ષ છે. ‘કૃતિ’ આમ ‘વિત્તિ' ચિસ્વરૂપ જીવ વિષે ‘હ્રયો:' બે નયોના ‘ૌ પક્ષપાતૌ' બે પક્ષપાત છે. બંને પક્ષ છે તે વિકલ્પ છે. હું અનેક છું, અનેક નથી, એક છું-એવા વિકલ્પમાં રોકવું તે સહજ અવસ્થાને વિઘ્નકર્તા છે. અહો! દિગંબર સંતોએ જંગલમાં રહીને અમૃતના સાગર ઊછાળ્યા છે! [ ૩૧૫ જ્ઞાનસ્વરૂપ આત્મા ચૈતન્યચમત્કારરૂપ વસ્તુ છે. તેમાં નયપક્ષના વિકલ્પ નથી. બંને નયોના પક્ષપાતને છોડી જે તત્ત્વવેદી છે તે પોતાના ચૈતન્યચમત્કારરૂપ ઘરમાં પ્રવેશી જાય છે. વિકલ્પરૂપી આંગણાને છોડી દઈને ધર્મી જીવ શુદ્ધ ચૈતન્મય ઘરમાં જ નિરતર રહે છે. એ જ કહે છે ‘ય: તત્ત્વવેલી વ્યુતપક્ષપાત:' જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે ‘તસ્ય' તેને ‘નિત્યં’ નિરંતર ‘વિત્’ ચિસ્વરૂપ જીવ ‘વ્રુત્તુ વિત્ વ અસ્તિ' ચિસ્વરૂપ જ છે. ધર્મી જીવ નિરંતર ચૈતન્યના સ્વાદને જ વેદે છે. * * * * કળશ ૮૬ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન * ‘ શ્વેત્ય: ’ જીવ ચેત્ય (–ચેતાવા યોગ્ય ) છે ‘પુત્સ્ય’ એવો એક નયનો પક્ષ છે. આત્મા ચેતાવા અર્થાત્ જણાવા યોગ્ય છે એવો નિશ્ચય નયનો પક્ષ છે. આત્મા ચેતાવા યોગ્ય છે એ વાત તો બરાબર છે, કેમકે જગતની ચીજોથી તે ભિન્ન છે. વિકલ્પ સહિત આખું જગત્ તેનાથી ભગવાન જગદીશ્વર ભિન્ન છે માટે તે ચેતાવા યોગ્ય છે. પરંતુ હું ચૈત્ય કહેતાં ચેતાવા યોગ્ય છું એવો જે વિકલ્પ છે તે નયપક્ષ છે. હું ચેત્ય છું એવા વિકલ્પથી ભગવાન ‘ચેત્ય ’ ભિન્ન છે, તે વિકલ્પ સાથે એકમેક નથી. ભાઈ! પરનો કર્તા અને ભોક્તા છે એ વાત તો કય ય રહી, અહીં કહે છે હું ચેત્ય છું એવા વિકલ્પથી પણ ચેત્ય જે વસ્તુ છે તે ભિન્ન છે ભગવાન ! તે ‘ચેત્ય' ના વિકલ્પને છોડી જે ‘ચેત્ય’ છે તેને ચેત, તેને વેદ. આવી વાત છે. અહાહા...! ચૈતન્યસૂર્ય પ્રભુ આત્મા ચૈત્ય એટલે ચેતાવા યોગ્ય છે એવો જે વિકલ્પ છે તે નયપક્ષ છે, દુઃખદાયક છે. ‘ન તથા ’જીવ ચેત્ય નથી ‘પરસ્ય’ એવો બીજો નયનો પક્ષ છે. જીવ ચેતાવા યોગ્ય નથી એવો વ્યવહારનયનો પક્ષ છે. આવો એક વ્યવહારનયનો પક્ષ છે. મન અને ઇન્દ્રિયોથી જીવ જણાવા યોગ્ય નથી એનો તો નિષેધ પ્રથમથી કરતા આવ્યા છીએ. હવે કહે છે– Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008286
Book TitlePravachana Ratnakar 05
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy