SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧ર ] ચન રત્નાકર ભાગ-૫ હોય તો આત્મા જેમ નિત્ય છે તેમ દેહ પણ નિત્ય થઈ જાય, દેહાવસાન ન થાય, મરણ ન થાય. પણ એમ છે નહિ, કેમકે દેહ આત્માથી ભિન્ન છે, આત્મા દેહથી ભિન્ન છે. આવો આત્મા છે તેમાં નયપક્ષનો વિકલ્પ ઊઠાવે તો ભગવાનના વિરહુ પડી જાય છે, આત્મા દૂર રહી જાય છે, અર્થાત્ અનુભવમાં આવતો નથી. પરંતુ નયપક્ષનો ત્યાગ કરીને જે આત્મસન્મુખ થાય છે તે નિજાનંદરસને અનુભવે છે. એ જ કહે છે ‘: તત્વવેલી વ્યુતપક્ષપત:' જે તત્ત્વવેદી પક્ષપાતથી રહિત છે ‘તચ' તેને “નિત્ય' નિરંતર “વિત’ ચિસ્વરૂપ જીવ “વસુ તિ છવ સ્તિ' ચિસ્વરૂપ જ છે. જેણે નય-પક્ષના વિકલ્પોને છોડી દીધા છે તે ધર્મી જીવ પક્ષપાતરહિત થઈને પોતાના ચૈતન્ય-સ્વરૂપને જેવું છે તેવું સદાય અનુભવે છે, ધર્મી જીવ પોતાના ચૈતન્યતત્ત્વને વેદે છે, પણ વિકલ્પને વેદતો નથી. * કળશ ૮૨ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * સાન્ત:' જીવ સાત (-અંતસહિત) છે “ ચ' એવો એક નયનો પક્ષ છે. જીવ એક સમયની દશા જેટલો સાત એટલે અંતસહિત છે એવો વ્યવહારનયનો પક્ષ છે. એક સમયની અવસ્થા જેટલો જ જીવ છે, જીવ ક્ષણિક છે એવો બૌદ્ધ આદિનો એકાંત મત છે. એ તો મિથ્યાત્વ છે. તેઓ ત્રિકાળી ચીજને માનતા જ નથી. અહીં તો એક સમયની દશાને દેખીને જીવ સાંત છે એમ માનવું તે વ્યવહારનયનો પક્ષ છે. એનો નિષેધ તો પહેલેથી કરતા આવ્યા છીએ. હુર્ત કર્યું છે ન તથા' જીવ સાત નથી “પરસ્ય' એવો બીજા નયનો પક્ષ છે. જીવ અનાદિ-અનંત ત્રિકાળ ધ્રુવ છે એવો નિશ્ચયનયનો પક્ષ છે. જીવ શુદ્ધ ચૈતન્યમય ધ્રુવ-ધ્રુવ ધ્રુવ એમ ત્રિકાળ ધ્રુવ છે એ વાત તો સાચી છે પણ એવો વિકલ્પ ઉઠાવવો તે નયપક્ષ છે અને તે વસ્તુની અંદર પ્રવેશ કરવામાં વિઘ્ન કરનાર છે. ‘રૂતિ' આમ ‘વિતિ' ચિસ્વરૂપ જીવ વિષે ‘યો:' બે નયોના ‘કૌ પક્ષપાતૌ' બે પક્ષપાત છે. હું સાત છું, પર્યાય જેવડો છું એવો વ્યવહારનયનો જે પક્ષ છે તેનો તો નિષેધ પહેલેથી કરાવ્યો છે. અહીં હું અનાદિ અનંત ધ્રુવ ચૈતન્યધામ છું એવો નિશ્ચયના પક્ષનો જે વિકલ્પ છે તેનો પણ નિષેધ કરવામાં આવે છે. ભગવાન આત્મા ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ ત્રિકાળ સત્ મોજુદગીવાળી સચ્ચિદાનંદસ્વરૂપ ચીજ છે. આવી ચીજ સાત નથી, ત્રિકાળ છે એ સત્યાર્થ છે. પરંતુ એવો જે વિકલ્પ છે તે રાગ છે, વસ્તુનો અનુભવ થવામાં બાધારૂપ છે. પક્ષ છે ને! તે અનુભવ થવામાં વિપ્ન-કર્તા છે માટે તેનો અહીં નિષેધ કરવામાં આવ્યો છે. ચિસ્વરૂપ જીવ વિકલ્પ સાથે Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008286
Book TitlePravachana Ratnakar 05
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy