SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪ર ] [ ૩૦૫ આ તારા આત્માની સ્વદયાની વાત છે. જીવ જેવો (ચિસ્વરૂપ) છે તેવો વિકલ્પ રહિત થઈને અનુભવવો તે સ્વદયા છે. જીવને દયા, દાનના રાગવાળો માનવો, વા નયપક્ષના વિકલ્પોમાં ગુંચવી દેવો તે જીવતી જ્યો-ચૈતન્યજ્યોતિ સ્વરૂપ ભગવાન આત્માનો અનાદર છે, ઘાત છે. રાગથી લાભ માનનાર પોતાની હિંસાનો કરનારો છે. નિજ ચૈતન્યસ્વરૂપનો અનાદર કરવો તે સ્વહિંસા છે, અદયા છે. પ્રભુ! તે અનંત ભવમાં અનંત જન્મમરણ કર્યા. તારું મરણ થતાં તારી માતાના આંખમાંથી જે આંસુ ટપક્યાં તે બધાં આંસુ ભેગા કરીએ તો દરિયાના દરિયા ભરાય. આટલાં જન્મ-મરણ કર્યા છે તેં! એના અતિ ઘોર દુ:ખની શી વાત! (ચાર ગતિનાં) આવાં તીવ્ર દુ:ખથી છૂટવાનો ઉપાય આ જ છે. નયપક્ષના વિકલ્પને છોડીને અંતર્લીન થઈ ચિસ્વરૂપ જીવને ( પોતાને) ચિસ્વરૂપે અનુભવવો તે જન્મ-મરણના અંતનો ઉપાય છે. જે તત્ત્વવેદી છે તે પણ નિરંતર પોતાને ચિસ્વરૂપ જ અનુભવે છે. * કળશ ૭૭: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * સૂક્ષ્મ:' જીવ સૂક્ષ્મ છે “ સ્ય' એવો એક નયનો પક્ષ છે. જીવ રાગાદિથી ભિન્ન ચૈિતન્યપિંડ પ્રભુ સૂક્ષ્મ છે એવો નિશ્ચયનયનો પક્ષ છે. નિશ્ચયથી દયા, દાન, વ્રતના જે વિકલ્પ ઊઠે તેની સાથે જીવ એકરૂપ નથી. આવો જીવ સૂક્ષ્મ છે. જીવ સૂક્ષ્મ છે એ તો સાચું જ છે પરંતુ એવો જે વિકલ્પ છે તે રાગ છે અને તે છોડવા યોગ્ય છે. શરીર સાથે આત્મા એકપિંડરૂપ નથી. નિમિત્તના સંબંધથી શરીર સાથે એકરૂપ છે એમ વ્યવહારથી ભલે કહેવાય, પણ વસ્તુ તરીકે શરીર સાથે આત્મા એક નથી. જો શરીર સાથે Iભા એક થઈ જાય તો જેમ આત્મા વસ્તુ નિત્ય છે તેમ શરીર પણ નિત્ય થઈ જાય, શરીરનો પણ નાશ ન થાય. પણ એમ છે નહિ. તેવી રીતે આત્મા લોકાલોક સાથે એકમેક હોય તો જેમ લોકાલોક દેખાય છે તેમ આત્મા પણ દેખાવો જોઈએ. પણ એમ છે નહિ. તેથી આત્મા શરીરથી, રાગથી, લોકાલોકથી ભિન્ન એવો ચૈતન્યમૂર્તિ ભગવાન સૂક્ષ્મ છે એવો નિશ્ચયનયનો એક પક્ષ છે. આ પક્ષ છે તે રાગ છે તેથી તેને છોડવાની અહીં વાત છે. ચૈતન્યરત્ન પ્રભુ આત્મા, શરીર, મન, વાણી, ઇન્દ્રિય કે રાગ સાથે તન્મય નથી એવો સૂક્ષ્મ છે એવો નિશ્ચયનયનો પક્ષ છે. હવે કહે છે ન તથા' જીવ સૂક્ષ્મ નથી “પરચ' એવો બીજા નયનો પક્ષ છે. જીવ રાગવાળો, કર્મવાળો છે માટે સ્થૂળ છે, સૂક્ષ્મ નથી એવો વ્યવહારનયનો પક્ષ છે. આનો તો પ્રથમથી જ આચાર્યદવ નિષેધ કરતા આવ્યા છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008286
Book TitlePravachana Ratnakar 05
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy