SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૩૯–૧૪૦ ] [ ૨૬૭ આવી પડે. પરંતુ જીવને એકને જ રાગાદિ-અજ્ઞાનપરિણામ તો થાય છે; તેથી પુદ્દગલકર્મનો ઉદય કે જે જીવના રાગાદિ-અજ્ઞાનપરિણામનું નિમિત્ત છે તેનાથી જુદું જ જીવનું પરિણામ છે. ભાવાર્થ:- જો જીવ અને પુદ્ગલકર્મ ભેળાં થઈને રાગાદિરૂપે પરિણમે છે એમ માનવામાં આવે તો બન્નેને રાગાદિરૂપ પરિણામ ઠરે. પરંતુ પુદ્દગલકર્મ તો રાગાદિરૂપે (જીવરાગાદિરૂપે ) કદી પરિણમી શકતું નથી; તેથી પુદ્દગલકર્મનો ઉદય કે જે રાગાદિપરિણામને નિમિત્ત છે તેનાથી જુદું જ જીવનું પરિણામ છે. * * * સમયસાર ગાથા ૧૩૯-૧૪૦ મથાળું પુદ્દગલદ્રવ્યથી જુદું જ જીવનું પરિણામ છે એમ હવે પ્રતિપાદન કરે છેઃ * ગાથા ૧૩૯-૧૪૦ : ટીકા ઉ૫૨નું પ્રવચન * · જો જીવને, રાગાદિ-અજ્ઞાનપરિણામના નિમિત્તભૂત એવું જે ઉદયમાં આવેલું પુદ્દગલકર્મ તેની સાથે જ (અર્થાત્ બંને ભેગાં મળીને જ), રાગાદિ-અજ્ઞાનપરિણામ થાય છે–એમ વિતર્ક કરવામાં આવે તો, જેમ ભેળાં થયેલાં ફટકડી અને હળદર બન્નેને લાલરંગરૂપ પરિણામ થાય છે તેમ, જીવ અને પુદ્ગલકર્મ બન્નેને રાગાદિ-અજ્ઞાન-પરિણામ આવી પડે.’ જીવને જે રાગાદિ-અજ્ઞાનપરિણામ થાય છે તેમાં પૂર્વનું જૂનું કર્મ નિમિત્ત છે. અહીં એમ કહે છે કે જીવને જે રાગદ્વેષના પરિણામ થાય છે તે જીવ અને પૂર્વનું કર્મ એ બન્ને ભેગાં મળીને થાય છે એમ નથી. છતાં બંને ભેગાં મળીને જીવને રાગાદિ-અજ્ઞાનપરિણામ થાય છે એમ જો કોઈ માને તો, જેમ ભેગાં મળેલાં હળદર અને ફટકડી બન્નેને લાલરંગરૂપ પરિણામ થાય છે તેમ જીવ અને પુદ્દગલ બન્નેને રાગાદિના પરિણામ આવી પડે. એમ થતાં જડ પુદ્દગલને પણ રાગદ્વેષ આવી પડે, અને પુદ્દગલ પોતાની અવસ્થાથી ખાલી જ રહે. એમ તો ત્યારે જ બને જ્યારે પુદ્દગલ જીવરૂપ થઈ જાય વા પુદ્દગલ અને જીવ એક થઈ જાય. પરંતુ એમ તો થતું નથી. જીવ રાગદ્વેષના પરિણામ સ્વતંત્રપણે કરે છે, અને તે વેળા નવું કર્મ બંધાય તે પણ સ્વતંત્રપણે બંધાય છે. જૂનાં કર્મ જે ઉદયમાં આવે છે તે પુદ્દગલકર્મની પર્યાય પણ સ્વતંત્રપણે થાય છે. જીવ રાગદ્વેષરૂપે સ્વયં પરિણમે ત્યારે સાથે જૂનાં કર્મનો ઉદય નિમિત્ત છે, પણ બન્ને મળીને જીવના રાગદ્વેષના પરિણામ કરે છે એમ નથી. જીવ પણ પોતાના રાગદ્વેષના પરિણામ કરે અને જૂનાં કર્મ પણ જીવના રાગદ્વેષના પરિણામને કરે એમ નથી. અરે ભાઈ! જીવના પરિણામ જુદા અને જડકર્મ જે ઉદયમાં આવ્યું તેના પરિણામ પણ જુદા છે. જીવે રાગદ્વેષ સ્વતંત્રપણે પોતાથી કર્યા છે, કર્મને Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008286
Book TitlePravachana Ratnakar 05
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy