SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૯૯ जदि सो परदव्वाणि य करेज्ज णियमेण तम्मओ होज्ज। जम्हा ण तम्मओ तेण सो ण तेसिं हवदि कत्ता।। ९९ ।। यदि स परद्रव्याणि च कुर्यान्नियमेन तन्मयो भवेत्। यस्मान्न तन्मयस्तेन स न तेषां भवति कर्ता।। ९९ ।। વ્યવહારી લોકોની એ માન્યતા સત્યાર્થ નથી એમ હવે કહે છે: પદ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય તે બને, પણ તે નથી તન્મય અરે ! તેથી નહિ કર્તા ઠરે. ૯૯. ગાથાર્થ- [ યદ્રિ 7] જો [ 1 ] આત્મા [પદ્રવ્યાળિ] પરદ્રવ્યોને [ કુર્યાત ] કરે તો તે [ નિયમેન] નિયમથી [ તન્મય:] તન્મય અર્થાત પરદ્રવ્યમય [ મ ] થઈ જાય; [ યસ્માત્ર તન્મય:] પરંતુ તન્મય નથી [તેન] તેથી [ :] તે [તેષાં] તેમનો [ર્તા] í [ભવતિ] નથી. ટીકા:- જો નિશ્ચયથી આ આત્મા પરદ્રવ્યસ્વરૂપ કર્મને કરે તો, પરિણામ-પરિણામીપણું બીજી કોઈ રીતે બની શકતું નહિ હોવાથી, તે (આત્મા) નિયમથી તન્મય (પદ્રવ્યમય) થઈ જાય; પરંતુ તે તન્મય તો નથી, કારણ કે કોઈ દ્રવ્ય અન્યદ્રવ્યમય થઈ જાય તો તે દ્રવ્યના નાશની આપત્તિ (દોષ) આવે. માટે આત્મા વ્યાપ્ય- વ્યાપકભાવથી પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા નથી. ભાવાર્થ- એક દ્રવ્યનો કર્તા અન્ય દ્રવ્ય થાય તો બન્ને દ્રવ્યો એક થઈ જાય, કારણ કે કર્તાકર્મપણું અથવા પરિણામ-પરિણામીપણું એક દ્રવ્યમાં જ હોઈ શકે. આ રીતે જો એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ થઈ જાય, તો તે દ્રવ્યનો જ નાશ થાય એ મોટો દોષ આવે. માટે એક દ્રવ્યને અન્ય દ્રવ્યનો કર્તા કહેવો ઉચિત નથી. સમયસાર ગાથા ૯૯: મથાળું વ્યવહારી લોકોની એ માન્યતા સત્યાર્થ નથી એમ હવે કહે છે: * ગાથા ૯૯ : ટીકા ઉપરનું પ્રવચન * “જો નિશ્ચયથી આ આત્મા પરદ્રવ્યસ્વરૂપ કર્મને કરે તો, પરિણામ-પરિણામીપણું બીજી કોઈ રીતે બની શક્યું નહિ હોવાથી, તે (આત્મા) નિયમથી તન્મય (પરદ્રવ્યમય ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008286
Book TitlePravachana Ratnakar 05
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy