SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૭ ] [ ૯૭ હવે, અજ્ઞાની પણ પોતાના જ ભાવને કરે છે પરંતુ પુદ્ગલના ભાવને કદી કરતો નથીએવા અર્થનો, આગળની ગાથાની સૂચનિકારૂપ શ્લોક કહે છે - * કળશ ૬૧: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * પર્વ' આ રીતે “ જ્ઞાસા' ખરેખર “માત્માનમ્' પોતાને “જ્ઞાનું જ્ઞાન પિ' અજ્ઞાનરૂપ કે જ્ઞાનરૂપ “ફર્વન' કરતો “લાત્મા માત્મમારા વર્તા ચાત્' આત્મા પોતાના જ ભાવનો કર્તા છે, “પરમાવસ્ય’ પરભાવનો (પુદ્ગલના ભાવોનો ) કર્તા તો “વરિત્ન' કદી નથી. પરની દયા પાળવી તે ધર્મ છે એમ ઘણા માને છે. સામાં પ્રાણી જીવે તે ઉપાદાન અને જીવાડનારનો ભાવ તે નિમિત્ત-આ બંને મળીને ત્યાં કાર્ય થાય છે એમ કેટલાક માને છે પણ એ બરાબર નથી કેમકે એમ છે નહિ. પરવસ્તુ નિમિત્ત છે પણ નિમિત્તથી કાર્ય થાય છે એમ નથી. નિમિત્તથી કાર્ય થાય તો નિમિત્ત અને ઉપાદાન એક થઈ જાય. નિમિત્ત હોય છે પણ તે પરના કાર્યનું કર્તા નથી. નિમિત્તને અનુકૂળ કહેલ છે. પાણીનો પ્રવાહુ વહી જતો હોય તેને કિનારો અનુકૂળ છે; પણ કિનારો છે તો પ્રવાહ તેનાથી ચાલે છે એમ નથી. પાણીનો પ્રવાહુ વહી જાય છે તે ઉપાદાન અને કિનારો છે તે અનુકૂળ નિમિત્ત તટસ્થ છે. ભાઈ ! તારા સની બલિહારી છે. તે કેવો છો, કયાં છો, કેમ છો તે અહીં બતાવે છે. કહે છે-હું જ્ઞાનસ્વરૂપ છે અને જે રાગ થાય તેને જાણું જ છું. જ્ઞાનની રૂપરપ્રકાશક પર્યાય પોતાની તાકાતથી સ્વપરને જાણે છે. હું મારી સ્વયં પ્રગટ થયેલી જ્ઞાનપર્યાયથી રાગને જાણે જ છું. અહાહા..! ખૂબ સૂક્ષ્મ વાત અહીં કહે છે કે આત્મા કાં તો જ્ઞાન કરે, વા અજ્ઞાન કરે પણ પરભાવનો કર્તા તો આત્મા કદી નથી. રાગનો કર્તા થાય એ પણ પોતાથી અને રાગનો જાણનાર થાય એ પણ પોતાથી છે. આ સિવાય કોઈ પણ પરવસ્તુનો કર્તા આત્મા (અજ્ઞાનીપણ) કદી નથી. ભાઈ ! આ શરીર, મન, વાણી, કર્મ, અને નોકર્મનો કે દેશ અને સમાજની સેવાનાં કાર્યોનો કર્તા આત્મા કદી નથી. આત્મા પોતાને જ્ઞાનરૂપ વ અજ્ઞાનરૂપ કરે છે અને તે તે પોતાના ભાવોનો કર્તા થાય છે પણ પરભાવોનો કર્તા તે કદાપિ નથી. અહીં અજ્ઞાનને, વિકારીભાવને પોતાનો ભાવ કહ્યો છે કેમકે તે પોતાની પર્યાય છે. તથા પરભાવ શબ્દનો અર્થ અહીં વિકારી ભાવ નહિ પણ જડ પુદ્ગલના અને પરદ્રવ્યના ભાવ એમ કરવો. પુદ્ગલના અને પરદ્રવ્યના ભાવોનો કર્તા આત્મા કદી નથી. આ વાણી બોલાય, શરીરનું હુલનચલન થાય, મંદિર આદિનું નિર્માણ થાય કે કર્મબંધનની પર્યાય થાય ઇત્યાદિ સર્વ પરદ્રવ્યોના ભાવોનો કર્તા આત્મા ત્રણકાળમાં નથી. પ્રશ્ન:- આમા જ્ઞાનભાવે તો પરનું કાંઈ ન કરે પણ વિભાવભાવ વડે તો પરનું કાંઈ કરે કે નહિ ? Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008286
Book TitlePravachana Ratnakar 05
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy