SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૭૦ ] [ ૫૧ * ગાથા ૭૨ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * આગ્નવો અશુચિ છે, જડ છે, દુઃખનાં કારણો છે. આત્મા પવિત્ર છે, જ્ઞાતા છે, સુખસ્વરૂપ છે. એ રીતે લક્ષણભેદથી બંનેને ભિન્ન જાણીને આસ્રવોથી આત્મા નિવૃત્ત થાય છે. પુણ્ય-પાપને જે પહેલાં ઉપાદેયપણે માનતો તેને હવે હેય જાણીને આત્માને ઉપાદેયપણે સ્વીકારે છે. તેને કર્મનો બંધ થતો નથી. સ્વ આશ્રિત નિશ્ચય અને પરાશ્રિત વ્યવહાર તે એક જ સિદ્ધાંત છે. શુભભાવ તે ધર્મ નથી, ધર્મનું કારણ પણ નથી. આત્મા અને આગ્નવોનો ભેદ જાણ્યા છતાં જો આત્મા આસ્રવોથી નિવૃત્ત ન થાય તો તે ભેદજ્ઞાન જ નથી, અજ્ઞાન જ છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે અવિરત સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધી પ્રવૃત્તિઓનો તો આસ્રવ નથી થતો પણ અન્ય પ્રકૃતિઓનો તો આસ્રવ થઈને બંધ થાય છે, તેને જ્ઞાની કહેવો કે અજ્ઞાની? તેનું સમાધાનઃ- સમ્યગ્દષ્ટિ જીવ જ્ઞાની જ છે, કારણ કે તે અભિપ્રાયપૂર્વકના આસ્રવોથી નિવર્યો છે. ધર્મીને જ્ઞાનધારા પ્રગટ થઈ ગઈ છે. રાગધારા ભલે હો, અભિપ્રાયથી તે રાગથી નિવર્યો જ છે. અસ્થિરતા ટળીને સ્થિરતા થઈ નથી, પણ અભિપ્રાયમાં તેને રાગનો આદર નથી. સ્વભાવનું સ્વામીપણું તેને પ્રગટયું છે અને પરનું-રાગનું સ્વામીપણું છૂટી ગયું છે. માટે, જ્યાં સુધી તેને ચારિત્રમોહનો ઉદય છે ત્યાં સુધી તેના ઉદય અનુસાર જે આસ્રવબંધ થાય છે તેનું સ્વામીપણું નથી. ઉદય અનુસાર એટલે ઉદય હોય છે, પણ પોતાની યોગ્યતા પ્રમાણે આસ્રવ થાય છે. ઉદય છે તે પ્રમાણે જ આસ્રવ-બંધ થાય એમ નથી. નહિતર તો કોઈ છૂટવાનું બને જ નહિ. ઉદય હોય છતાં પોતાની ઉપાદાન યોગ્યતા અનુસાર આસ્રવ થાય. પોતાના પુરુષાર્થની મંદતાથી જ્ઞાનીને રાગ થાય છે, પણ રાગનો તેને અભિપ્રાય નથી. અભિપ્રાયમાં તો તે આસ્રવ-બંધથી સર્વથા છૂટવા ઇચ્છે છે. તેથી તે જ્ઞાની જ છે. જ્ઞાનીને બંધ થતો નથી એમ કહ્યું છે તેનું કારણ આ પ્રમાણે છે:- મિથ્યાત્વસંબંધી બંધ જે અનંત સંસારનું કારણ છે તે જ અહીં પ્રધાનપણે વિવક્ષિત છે, કહેવા ધારેલો છે. અવિરતિ આદિથી બંધ થાય છે તે અલ્પ સ્થિતિ-અનુભાગવાળો છે, દીર્થસંસારનું કારણ નથી; તેથી તેને પ્રધાન ગણવામાં આવ્યો નથી. રાગ થાય તે સંસારનું કારણ છે, પણ જ્ઞાનીને તે રાગ દીર્ઘ સંસારનું કારણ નથી તેથી તેને પ્રધાન ગણ્યો નથી. અથવા તો આ પ્રમાણે કારણ છે:- જ્ઞાન બંધનું કારણ નથી. જ્યાં સુધી જ્ઞાનમાં મિથ્યાત્વનો ઉદય હુતો ત્યાં સુધી તે અજ્ઞાન કહેવાતું હતું અને મિથ્યાત્વ ગયા પછી અજ્ઞાન નથી, જ્ઞાન જ છે. તેમાં જે કાંઈ ચારિત્રમોહ સંબંધી વિકાર છે તેનો સ્વામી Please inform us of any errors on [email protected]
SR No.008285
Book TitlePravachana Ratnakar 04
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages295
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy