SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૮૩ ] [ ૧૮૩ ભોક્તા આત્મા છે, પણ તરનો ભોક્તા નથી. અજ્ઞાની પણ શરીર આદિ પરને ભોગવતો નથી. આ લાડુ, લાપસી, મૈસુબ ઈત્યાદિ ખાતી વખતે જીવ પોતાના રાગને ભોગવે છે પણ એ ચીજને (લાડુ વગેરેને) ભોગવતો નથી. આ ભેદજ્ઞાનની અંતરની વાત છે, ભાઈ ! આવો અંતરમાં નિર્ણય કદી કર્યો નહિ અને વિકાર કર્મથી થાય અને કર્મ માર્ગ આપે તો સમકિત આદિ નિર્વિકારી દશા થાય એમ તે માન્યું છે પણ એ બધી બધી જૂઠી માન્યતા છે. કહે છે-ભાવ્યભાવકભાનો અભાવ હોવાથી પરનો આત્મા ભોક્તા નથી. ભાવ્ય એટલે ભોગવવા લાયક અને ભાવક એટલે ભોગવનાર. જડ કર્મ ભોગવવા લાયક અને આત્મા એનો ભોગવનાર-એવા ભાવનો અભાવ છે. આત્મ ભાવક અને કર્મનો ઉદય અને શરીરની અવસ્થા ભોગવવા યોગ્ય-એવા ભાવનો અભાવ છે. શરીરની બિમારી કે રોગની અવસ્થાને આત્માને ભોગવે છે એમ છે જ નહિ. તે સમયે જે રાગ છે તે રાગનો મિથ્યાષ્ટિ જીવ કર્તા અને ભોક્તા છે. જુઓ, નરકમાં ઉષ્ણતા એટલી છે કે એ ઉષ્ણતાનો એક કણ અહીં આવે તો દશ યોજનમાં રહેલાં મનુષ્યનાં મરણ થઈ જાય. આવી ઉષ્ણતાનો ભોક્તા આત્મા નથી કેમકે ઉષ્ણતા પરદ્રવ્યની પર્યાય છે. અહાહા...! એ ઉષ્ણતાના નિમિત્તે દશ જોજનમાં સ્થિત મનુષ્યના દેહ ભસ્મ થઈ જાય પણ એ દેહની ભસ્મ થવાની જે ક્રિયા થઈ તે દેહથી પોતાથી થઈ છે, અગ્નિ આવી માટે તે ક્રિયા થઈ છે એમ નથી. બહુ સૂક્ષ્મ વાત, ભાઈ ! અરે! લોકોએ સ્થૂળ એવા વ્યવહાર અને નિમિત્તને પ્રધાન માનીને આત્માની સ્વતંત્રતા ખોઈ નાખી છે. અહીં કહે છે-ભાવ્યભાવકભાવના અભાવને કારણે પરભાવ વડ પરભાવનો અનુભવ થયો અશક્ય છે. જીવ પોતે કરેલા રાગભાવનો અનુભવ કરે છે પણ તે રાગદ્વારા નિમિત્તનો પણ અનુભવ કરે છે એમ નથી. પરભાવ એટલે શરીર કર્મ વગેરેનો આત્મા વડ અનુભવ થાય એ અશક્ય છે. કર્મનો અનુભાગ એમ જડની પર્યાય છે, તે આત્માને ભોગવવો પડે છે એ વાત યથાર્થ નથી. પ્રશ્ન:- કર્મનો વિપાક જીવ અનેભવને એમ ગોખ્ખટસારમાં આવે છે ને? ઉત્તર:- ભાઈ ! એ તો બધાં નિમિત્તનાં કથન છે. શાસ્ત્રમાં તો એમ લખ્યું હોય છે કે જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનને રોકે. પણ એ તો નિમિત્તનું કથન છે. પરદ્રત જીવના જ્ઞાનને રોકે એમ છે નહિ. પોતાની જ્ઞાનપર્યાયમાં પોતે હીણપણે પરિણમે છે. તેમાં જ્ઞાનાવરણીય કર્મનો ઉદય નિમિત્ત છે, બસ. નિમિત્તે જ્ઞાન હીણ કર્યું છે એમ નથી. તથા નિમિત્તને આત્મા ભોગવે છે એમ નથી. આત્મા સમયસારની પર્યાયનો સ્વતંત્ર કર્તા થઈને પોતાની પર્યાયને ભ જુઓ, ભોગના કાળમાં સ્ત્રીના શરીરને જીવ ભોગવે છે એમ કહો તો એ જૂઠી Please inform us of any errors on [email protected]
SR No.008285
Book TitlePravachana Ratnakar 04
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages295
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy