SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ આમ છે છતાં કોઇને આવી તત્ત્વની વાત ન બેસે તો તેના પ્રતિ વિરોધ ન હોય. કોઇ પણ વ્યક્તિ હો! અંદર ભગવાન બિરાજે છે, ભાઇ! એક સમયની પર્યાયમાં તેની ભૂલ છે. એ ભૂલને કાઢી નાખે તો પોતે ભગવાન છે. એ ભૂલ કેમ નીકળે એની અહીં વાત ચાલે છે. અહીં કહે છે કે નિમિત્તથી કાર્ય થાય, વ્યવહારથી( નિશ્ચય) થાય એમ છે જ નહિ. લોકોને આવી વાત કદી સાંભળી ન હોય એટલે આકરી લાગે છે. પણ માર્ગ તો આ જ છે બાપુ! પ્રભુ! તું તારી પર્યાયનો સ્વતંત્ર કર્તા છે. વિકારી કે અવિકારી પર્યાયને સ્વતંત્રપણે કરનારો તું પોતે કર્તા છે; એમાં પરની-નિમિત્તની રચમાત્ર પણ અપેક્ષા નથી. મિથ્યાત્વાદિની વિકારી પર્યાય સ્વયં પોતાના પકારકરૂપે પરિણમીને ઉત્પન્ન થાય છે, નિમિત્તથી નહિ અને પોતાના દ્રવ્યગુણથી પણ નહિ. કેમકે દ્રવ્ય-ગુણ ત્રિકાળ શુદ્ધ છે અને મિથ્યાત્વાદિ ભાવ તો અશુદ્ધ છે. દ્રવ્યમાં જેમ પટ્ટરકો છે તેમ પર્યાયમાં પણ પોતાના પદ્ગારક સ્વતંત્ર છે. અત્યારે તો ઘણી ગડબડ થઇ ગઇ છે. કેટલાક કહે છે કે આ તો અભિન્ન કારકની વાત છે. પણ અભિન્નનો અર્થ શું? એ જ કે વિકાર થાય છે તે પરની અપેક્ષા વિના સ્વતંત્ર પોતાથી થાય છે. પરકારકથી નિરપેક્ષપણે વિકાર પોતાથી સ્વતંત્ર થાય છે એમ પંચાસ્તિકાયની ગાથા ૬રમાં પાઠ છે. એ વાત અહીં સિદ્ધ કરે છે. ભાઇ! દિગંબર સંતોની વાણી પૂર્વાપર વિરોધ રહિત હોય છે. પૂર્વાપર વિરોધ હોય તે વીતરાગની વાણી જ નથી. ભાઇ! જ્યાં જે અપેક્ષાથી કથન હોય ત્યાં તે અપેક્ષાથી યથાર્થ સમજવું જોઇએ. કહ્યું છે ને કે અપનેકો આપ ભૂલકે હેરાન હો ગયા,” માટે કર્મને લઇને વિકાર થાય છે એમ છે જ નહિ. પૂજામાં આવે છે કે કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ; અગ્નિ સહે ઘનઘાત લોહકી સંગતિ પાઈ.' અગ્નિ લોહમાં પ્રવેશ કરે તો તેના ઉપર ઘણના ઘા પડે છે, ભિન્ન રહે તો ઘણના ઘા પડતા નથી. એમ ભગવાન આત્મા નિમિત્તનો સંગ કરીને વિકાર કરે તો દુઃખના ઘા ખાવા પડે છે. જુઓ, પોતે નિમિત્તનો સંગ કરીને સ્વતંત્રપણે પોતાની પર્યાયમાં મિથ્યાત્વ અને રાગદ્વેષના ભાવ કરે છે. વિષય વાસનાની જે પર્યાય થાય છે તેમાં વેદનો ઉદય નિમિત્ત ભલે હો, પણ વાસના જે ઉત્પન્ન થઈ તે પોતાનાથી થઈ છે. દ્રવ્ય વેદનો ઉદય કર્તા અને વાસના એનું કાર્ય એમ નથી. પર કર્તા અને પર ભોક્તા નથી પણ આત્મા સ્વયં પોતાની પર્યાયને કરે છે એ વાત અહીં સિદ્ધ કરવી છે. દ્રવ્ય અને પર્યાયની પરસ્પર વાત હોય ત્યાં તો મિથ્યાત્વ અને સભ્યત્વ-એ Please inform us of any errors on [email protected]
SR No.008285
Book TitlePravachana Ratnakar 04
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages295
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy